Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

આઝાદીના 75 વર્ષ બાદ પણ કપરાડાના લીખવડ ગામની 2000ની વસતિને આજદિન સુધી રસ્‍તાની સુવિધા મળી શકી નથી

કપરાડાના લીખવડ ગામમાં ભારે વરસાદથી સાઈટ પર ડુંગરની ભેખડો રોડ પર ધસી પડતા ગામલોકોને હાલાકી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
– સંજય તાડા દ્વારા
વાપી, તા.13: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના લીખવડ બાડુંસા ફળિયામાં જતો રોડ વરસાદ થતાં ભેખડો ધસી આવતા લોકો ભારે મુશ્‍કેલીઓનો ભોગ બન્‍યા છે.
લીખવડ ગામના સામાજીક આગેવાન ભગુભાઈ દળવી જણાવ્‍યું કે, ગામમાં ત્રણ ફળિયા 2000 ની વસ્‍તી ધરાવતુ ગામ છે. ઘણા વર્ષોથી ધારાસભ્‍ય હાલના ગુજરાત સરકારના મંત્રી જીતુભાઈ ચૌધરી વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. પણ આજદિન સુધી રોડ બન્‍યો નથી. હજુ કોઈપણ પ્રકારની સુવિધાઓ નથી. પાણી અને રસ્‍તા જેવી પાયાની સુવિધાઓનો અભાવ છે. અમારા ગામની દયનીય સ્‍થિતિનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે મોટી સંખ્‍યામાં વસ્‍તી છે અને અન્‍ય વિસ્‍તારોમાં મજૂરી કરી જીવન ગુજારે છે. અવારનવાર રજૂઆત છતાં નેતાઓ અને તંત્ર બેધ્‍યાન, 108 પણ જઈ શકે તેવી સ્‍થિતિમાંરસ્‍તો નથી અનેકવાર રજૂઆતો કરવા છતાં આઝાદીના 75 વર્ષ બાદ પણ આજદિન સુધી રસ્‍તાની સુવિધા મળી શકી નથી. સ્‍થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં સુતેલુ તંત્ર હજી જાગ્‍યું નથી. રસ્‍તો ન હોવાથી લોકોને ભારે હાલાકિનો સામનો કરવો પડે છે. સ્‍થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસા દરમિયાન વધારે વરસાદ થાય તો લોકોને હાલાકિનો સામનો કરવો પડે છે. એમ્‍બ્‍યુલન્‍સ પણ લોકોના ઘર સુધી પહોંચી શકતી નથી, જેના કારણે ઈમરજન્‍સી સારવારની જરૂર હોય એવા લોકોનો જીવ બચાવવો પણ કયારેક અઘરો પડે ખરાબ રસ્‍તાના કારણે મહિલા અને બાળકને ઘણી મુશ્‍કેલી પડે છે. સ્‍થાનિક લોકોનું કહેવું છે કે, વર્ષોથી કોઈ કામ કરાતું નથી. ચૂંટણીના સમયે આવતા નેતાઓ દ્વારા પણ વાયદા જ કરાય છે કયારે પણ રસ્‍તાનુ કામ કરી આપવામાં આવ્‍યું નથી.

Related posts

ગુજરાતમાં નકલી ના મારા સાથે વલસાડમાં રીટાયર્ડ અધિકારી માટે નકલી પાણી લાઈનનો ભાંડો ફૂટયો

vartmanpravah

વાપી ખાતે જિલ્લા કક્ષાના 75મા પ્રજાસત્તાક પર્વે રાજ્‍યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલે ધ્‍વજવંદન કરી સલામી આપી

vartmanpravah

દમણ પોલીસે મોટર સાયકલ ચોરી કરતા પાંચની કરેલી ધરપકડઃ 6 મોટર સાયકલ કબ્‍જે

vartmanpravah

ચીખલીના મલિયાધરામાં તાલુકા કક્ષાની યોજાયેલ પશુપાલન શિબિરમાં તજજ્ઞો દ્વારા પશુપાલકોને પશુઓની માવજત સંવધર્ન અંગે આપવામાં આવેલુ માર્ગદર્શન

vartmanpravah

નરોલી ગ્રા.પં.ના ઉપ સરપંચ પિયુષસિંહ ગોહિલ સહિત પંચાયતમાં શિવ સેના સાથે સંકળાયેલા તમામ સભ્‍યોએ ભાજપને જાહેર કરેલું સમર્થન

vartmanpravah

અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષાના રાજ્યમંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષસ્થાને ખેરગામ તાલુકા મથકે ‘‘વિશ્વ આદિવાસી દિવસ’’ની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

Leave a Comment