July 18, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ દ્વારા ગુરુપૂર્ણિમાની ઉજવણી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)

વાપી, તા.13: શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ સંચાલિત શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવ, શ્રી સ્‍વામિનારાયણ ગુજરાત બોર્ડ ઇંગ્‍લીશ મીડિયમ સ્‍કૂલ, શ્રી સ્‍વામિનારાયણ સી.બી.એસ.સી. સ્‍કૂલ શ્રી સ્‍વામિનારાયણ હાયર સેકન્‍ડરી દ્વારા સંયુક્‍ત રીતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે સંચાલક મંડળ તથા શૈક્ષણિક સ્‍ટાફ દ્વારા ભવ્‍ય ગુરૂ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. ગુરુવર્ય પૂજ્‍ય પુરાણી સ્‍વામી કેશવચરણ દાસજીએ આશીર્વચન આપ્‍યા હતા તેમણે પૌરાણિક ઈતિહાસની વાતો કહેતા જણાવ્‍યું હતું કે, ભગવાન વેદવ્‍યાસનું પૂજન નૈમિષ્‍યારણમાં વસતા સૌનક ઋષિએ કર્યુ હતું. વેદવ્‍યાસજીની પાસેથી સૌનક ઋષિને આત્‍મજ્ઞાન થયું. વેદવ્‍યાસજીને ગુરૂ માની પૂજન કર્યું તે દિવસ આષાઢી પૂનમનો હતો. આ દિવસને ‘‘ગુરૂપુર્ણિમા”નું નામ મળ્‍યું. અને મહાપર્વ તરીકે આજદિન સુધી ઉજવાય છે. અષાઢ મહિનામાં શુક્‍લપક્ષની પૂનમના દિવસે ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. ગુરુનો અર્થ સમજવામાં આવે તો, ગુરુ શબ્‍દમાં (ગુ) નો મતલબ છે અંધારું, અજ્ઞાનતા અને (રુ) નો મતલબ છે દૂર કરવું. મતલબ જે આપણી અજ્ઞાનતા દૂર કરે છે અને જીવનમાં રહેલી નિરાશા તેમજ અંધકારને દૂર કરે તે ગુરુદેવ છે.

Related posts

દાદરા નગર હવેલીમાં બે ઇંચથી વધુ વરસાદ પડયો

vartmanpravah

રાષ્‍ટ્રીય સેવા યોજના, દીવના સ્‍વયંસેવકો દ્વારા દીવ કોલેજમાં ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ અને સંવિધાન દિવસ અંતર્ગત રંગોળી કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સેલવાસની લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલમાં નવદુર્ગા યજ્ઞ સમારોહ યોજાયો

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા 103 સ્‍કાઉટ ગાઈડ વૈષ્‍ણોદેવી કેમ્‍પની સફળતાપૂર્વક પૂર્ણાહુતિ

vartmanpravah

સાંઈયુગ ગ્રુપ ઉમરગામ દ્વારા કામળી સમાજની ક્રિકેટ ટૂર્નામેન્‍ટનુ કરવામાં આવેલું ભવ્‍ય આયોજન

vartmanpravah

દાનહ ‘આદિવાસી એકતા પરિષદ’ દ્વારા ‘આદિવાસી અધિકાર દિવસ’ નિમિતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment