November 30, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ દ્વારા ગુરુપૂર્ણિમાની ઉજવણી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)

વાપી, તા.13: શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ સંચાલિત શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવ, શ્રી સ્‍વામિનારાયણ ગુજરાત બોર્ડ ઇંગ્‍લીશ મીડિયમ સ્‍કૂલ, શ્રી સ્‍વામિનારાયણ સી.બી.એસ.સી. સ્‍કૂલ શ્રી સ્‍વામિનારાયણ હાયર સેકન્‍ડરી દ્વારા સંયુક્‍ત રીતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે સંચાલક મંડળ તથા શૈક્ષણિક સ્‍ટાફ દ્વારા ભવ્‍ય ગુરૂ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. ગુરુવર્ય પૂજ્‍ય પુરાણી સ્‍વામી કેશવચરણ દાસજીએ આશીર્વચન આપ્‍યા હતા તેમણે પૌરાણિક ઈતિહાસની વાતો કહેતા જણાવ્‍યું હતું કે, ભગવાન વેદવ્‍યાસનું પૂજન નૈમિષ્‍યારણમાં વસતા સૌનક ઋષિએ કર્યુ હતું. વેદવ્‍યાસજીની પાસેથી સૌનક ઋષિને આત્‍મજ્ઞાન થયું. વેદવ્‍યાસજીને ગુરૂ માની પૂજન કર્યું તે દિવસ આષાઢી પૂનમનો હતો. આ દિવસને ‘‘ગુરૂપુર્ણિમા”નું નામ મળ્‍યું. અને મહાપર્વ તરીકે આજદિન સુધી ઉજવાય છે. અષાઢ મહિનામાં શુક્‍લપક્ષની પૂનમના દિવસે ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. ગુરુનો અર્થ સમજવામાં આવે તો, ગુરુ શબ્‍દમાં (ગુ) નો મતલબ છે અંધારું, અજ્ઞાનતા અને (રુ) નો મતલબ છે દૂર કરવું. મતલબ જે આપણી અજ્ઞાનતા દૂર કરે છે અને જીવનમાં રહેલી નિરાશા તેમજ અંધકારને દૂર કરે તે ગુરુદેવ છે.

Related posts

સરદાર ભિલાડવાલા બેંકની 35 વર્ષથી ચાલતી દૈનિક કલેક્‍શન યોજના બંધ થવાને આરે

vartmanpravah

વલસાડની બેઠક લોકસભા કે વિધાનસભામાં જે પક્ષ જીતે તેની સરકાર બને : આ વાયીકા વધુ એકવાર સાચી ઠરી

vartmanpravah

બીલીમોરાની આઈસ ફેક્‍ટરીમાં એમોનિયાસ ગેસ લીકેજ તથા અફરા તફરીનો માહોલ સર્જાયો

vartmanpravah

ધરમપુર હાઈવે ચોકડી પરથી દારૂના જથ્‍થા સાથે ત્રણ વિદેશી ઝડપાયા

vartmanpravah

પારડી ખાતે સ્‍વાધ્‍યાય મંડળ સંચાલિત શ્રી બ્રહ્મર્ષિ સાતવળેકર સંસ્‍કૃત મહાવિદ્યાલયમાં વીર બાળ દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

ધરમપુરમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના હસ્‍તે રૂા. 200 કરોડના ખર્ચે સાકાર થયેલી શ્રીમદ્‌ રાજચંદ્ર હોસ્‍પિટલનું વર્ચ્‍યુઅલી ઉદ્‌ઘાટન કરાયું

vartmanpravah

Leave a Comment