(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01 : દાદરા નગર હવેલીમાં આજે આખો દિવસ વાદળછાયા વાતાવરણને કારણે બફારો થઈ રહ્યો હતો અને મોડી સાંજે અચાનક વરસાદના છાંટા પડતાં વાતાવરણમાં આંશિક ઠંડક પ્રસરી જતાં લોકોને રાહત મળી હતી. પરંતુ આ વાદળછાયા વાતાવરણના કારણે કેરીના પાકને નુકસાન થવાની ભીતી છે.
હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ સુધી વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
