June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી છરવાડા હાઈવે અંડરપાસની લોકાર્પણની પૂર્વ તૈયારી શરૂ : નાણામંત્રી અને પોલીસે સ્‍થળ મુલાકાત લીધી

ટ્રાફિક સમસ્‍યાનો અંત આવશે : શહેરીજનોની સુવિધામાં વધારો થશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30: વાપી ગુંજન વિસ્‍તાર અને આસોપાલવ વિસ્‍તારને જોડતો રોડ ટૂંકમાં કાર્યરત થઈ જશે. છરવાડા રોડથી ભોલેબાબા આશ્રમ રોડ તરફ જતાં રોડ ઉપર હાઈવે અંડરપાસ પ્રોજેક્‍ટ પુર્ણ થઈ ચૂક્‍યો છે. ખુબ જ ટુંકાગાળામાં બનાવાયેલ આ અંડરપાસને લોકાર્પણ કરવાની તૈયારીઓ આરંભાઈ ચૂકી છે.
છરવાડા રોડ-વાપી આસોપાલવ રોડ ઉપર તૈયાર થયેલ હાઈવે અંડરપાસનું શનિવારે નાણામંત્રી કનુભાઈ દેસાઈ, ડી.વાય.એસ.પી. બી.એન. દવે, વી.આઈ.એ. પ્રમુખ સતિષભાઈ પટેલ તથા ટેકનિકલ સ્‍ટાફે સ્‍થળ વિઝિટ લીધીહતી. અંડરપાસની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. ટ્રાફિક નિયમન માટે વૈશાલી ચાર રસ્‍તાથી બલીઠા પુલ તરફ જતા સર્વિસ રોડ પર સ્‍પીડ બ્રેકર સાથે રેડ સિગ્નલ લાઈટ વગેરેની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ટ્રાફિકના જરૂરી સંચાલન અંગે પોલીસ સાથે ચર્ચા કરી હતી. વાપી છરવાડા રોડ અને ગુંજન વિસ્‍તારમાંથી હવે પછી સીધા વાપી જઈ શકાશે. વર્ષો જુની માંગણી હવે પૂર્ણ થઈ ચૂકી છે.

Related posts

વલસાડમાં તિથલ ખાતે ભવ્‍ય રજત જયંતિ મહોત્‍સવ અને સમૂહ લગ્નોત્‍સવનું કરાયેલુ આયોજનઃ 102 યુગલોએ પ્રભુતામાં પાડેલા પગલાં

vartmanpravah

સમગ્ર દમણ રામમય બન્‍યુ : ભગવાન રામની શોભાયાત્રામાં ઉમટેલો માનવ મહેરામણ: ઠેર ઠેર ભગવાન રામની શોભાયાત્રાનું કરાયેલું સન્‍માન : રામરાજ્‍યના જયઘોષની આહલેખ

vartmanpravah

દીવની ખ્‍યાતનામ હોટલ અઝારો અને કોહિનુર હવે સરકારી જગ્‍યામાં કાર્યરત ગણાશે

vartmanpravah

પારડીમાં હર્ષો ઉલ્લાસ અને વાંજતે ગાજતે થયું ગણેશ વિસર્જન: 11 દિવસ સાથે રહેલા ગણેશજીને વિદાય આપતા હર્ષના આંસુ છલકાયા

vartmanpravah

લોરેન્‍સ બિશ્‍નોઈના માથા માટે 11 લાખનું ઈનામ જાહેર કરનાર કરણી સેનાના અધ્‍યક્ષ ડો.રાજ શેખાવત વાપીમાં

vartmanpravah

ચીખલાની વિહંગમ હાઈસ્‍કૂલના મદદનીશ શિક્ષક મુકેશભાઈ પટેલને અપાયું ભવ્‍ય નિવૃત્તિ વિદાયમાન

vartmanpravah

Leave a Comment