March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી છરવાડા હાઈવે અંડરપાસની લોકાર્પણની પૂર્વ તૈયારી શરૂ : નાણામંત્રી અને પોલીસે સ્‍થળ મુલાકાત લીધી

ટ્રાફિક સમસ્‍યાનો અંત આવશે : શહેરીજનોની સુવિધામાં વધારો થશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30: વાપી ગુંજન વિસ્‍તાર અને આસોપાલવ વિસ્‍તારને જોડતો રોડ ટૂંકમાં કાર્યરત થઈ જશે. છરવાડા રોડથી ભોલેબાબા આશ્રમ રોડ તરફ જતાં રોડ ઉપર હાઈવે અંડરપાસ પ્રોજેક્‍ટ પુર્ણ થઈ ચૂક્‍યો છે. ખુબ જ ટુંકાગાળામાં બનાવાયેલ આ અંડરપાસને લોકાર્પણ કરવાની તૈયારીઓ આરંભાઈ ચૂકી છે.
છરવાડા રોડ-વાપી આસોપાલવ રોડ ઉપર તૈયાર થયેલ હાઈવે અંડરપાસનું શનિવારે નાણામંત્રી કનુભાઈ દેસાઈ, ડી.વાય.એસ.પી. બી.એન. દવે, વી.આઈ.એ. પ્રમુખ સતિષભાઈ પટેલ તથા ટેકનિકલ સ્‍ટાફે સ્‍થળ વિઝિટ લીધીહતી. અંડરપાસની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. ટ્રાફિક નિયમન માટે વૈશાલી ચાર રસ્‍તાથી બલીઠા પુલ તરફ જતા સર્વિસ રોડ પર સ્‍પીડ બ્રેકર સાથે રેડ સિગ્નલ લાઈટ વગેરેની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ટ્રાફિકના જરૂરી સંચાલન અંગે પોલીસ સાથે ચર્ચા કરી હતી. વાપી છરવાડા રોડ અને ગુંજન વિસ્‍તારમાંથી હવે પછી સીધા વાપી જઈ શકાશે. વર્ષો જુની માંગણી હવે પૂર્ણ થઈ ચૂકી છે.

Related posts

દમણ જિલ્લાના સરપંચોના પ્રતિનિધિ મંડળે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

‘શ્રીમદ્ રાજચંદ્ર શૈક્ષણિક સાધન સહાય ૨૦૨૩’ દ્વારા દક્ષિણ ગુજરાતના ૬૦થી વધુ કેન્દ્રોમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરાશે

vartmanpravah

દાનહઃ ખડોલીની સિદ્ધિ વિનાયક કંપનીમાં થયેલ બ્‍લાસ્‍ટમાં ત્રણ વ્‍યક્‍તિ ઈજાગ્રસ્‍ત

vartmanpravah

એન.આર. અગરવાલ રોટરી હોસ્‍પિટલના પટાંગણમાં સ્‍વતંત્ર્ય દિવસની કરેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

શ્રી બાસુકીનાથ મહાદેવ મંદિરમાં દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પી દમણિયાએ મહાભિષેક અને પૂજા અર્ચના કરી

vartmanpravah

હવેથી દમણમાં ઓનલાઈન ડિજિટલ માધ્‍યમથી જ 1 અને 14ની નકલ મળશે

vartmanpravah

Leave a Comment