April 19, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

લોરેન્‍સ બિશ્‍નોઈના માથા માટે 11 લાખનું ઈનામ જાહેર કરનાર કરણી સેનાના અધ્‍યક્ષ ડો.રાજ શેખાવત વાપીમાં

ડિસેમ્‍બર 22ના રોજ અમદાવાદમાં યોજાનાર કરણી સેનાના રાષ્‍ટ્રીય અધિવેશન અંતર્ગત રાજ શેખાવત વાપી પધાર્યા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: લોરેન્‍સ બિશ્‍નોઈ હાલ સાબરમતિ અમદાવાદ જેલમાં છે પરંતુ લોરેન્‍સનું નામ આજકાલ નેશનલ મીડિયામાં ખુબ ચગી રહ્યું છે. ખાસ કરીને અભિનેતા સલમાન ખાનની પાસે 5 કરોડની ફિરોતીની માંગણી બાદ એજ લોરેન્‍સ બિશ્‍નોઈના માથા માટે ભારતીય રાજપૂત કરણી સેનાના અધ્‍યક્ષ ડો.રાજ શેખાવત પણ એ 11,11,111 રૂપિયાના ઈનામની જાહેરાત કરી ત્‍યારથી ડો.રાજ શેખાવત પણ એટલા જ ચર્ચામાં છે. રવિવારે ડો.રાજ શેખાવત વાપીના મહેમાન બન્‍યા હતા.
ધારાસભ્‍ય અને કોંગ્રેસ નેતા બાબા સિદ્દીકીની મુંબઈમાં તેમની ઓફીસ સામે લોરેન્‍સ બિશ્‍નોઈના શાર્પશુટરોએ ગોળીઓથી ભુંજી દીધા હતા. એજ લોરેન્‍સના માથા માટે કરણી સેનાના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ ડો.રાજ શેખાવત પણ મેદાનમાં આવી ગયા છે. તેમણે લોરેન્‍સના માથા માટે 11,11,111 રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. લોરેન્‍સનું માથું તેમને એટલા માટે જોઈએ છે કે થોડા સમય પહેલાં કરણી સેનાના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષની કરપીણ હત્‍યા લોરેન્‍સના શાર્પ સુટરોએ તેમની જ ઓફીસમાં કરી હતી. હાલમાં બહુચર્ચિત એવા ડો.રાજ શેખાવત વાપીના મહેમાન બન્‍યા હતા. કારણ કે કરણી સેનાનું રાષ્‍ટ્રીય અધિવેશન 22મી ડિસેમ્‍બરે અમદાવાદમાં યોજાનાર છે.તેના પ્રચાર-પ્રસાર માટે તેઓ વાપી આવ્‍યા હતા.

Related posts

આંટિયાવાડના નવનિયુક્‍ત સરપંચ ઉર્વશીબેન પટેલે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વાપી નજીકના પંડોરમાં અનોખો અનાવિલ સમાજનો સ્‍નેહ મિલન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ટાઉન પોલીસની જાંબાઝ અભિનંદનીય કામગીરી: વાપીમાં સગીર બાળાનું અપહરણ કરનાર આરોપીને પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં દબોચી લીધો

vartmanpravah

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ, દમણ દ્વારા ‘વિશ્વ તમાકુ નિષેધ દિવસ’ નિમિત્તે નાગરિકોને તમાકુ અને તેની બનાવટવાળી વસ્‍તુઓના સેવનથી થતાં નુકસાનની આપેલી માહિતી

vartmanpravah

દમણ જિ.પં.ના નવનિયુક્‍ત પ્રમુખ જાગૃતિબેન પટેલે કરેલી આવકારદાયક પહેલઃ વિવિધ પંચાયતોનું શરૂ કરેલું રૂબરૂ નિરીક્ષણ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિનો સંઘપ્રદેશમાં પણ પડેલો પડઘો

vartmanpravah

Leave a Comment