Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નારગોલના ભુનવાળી ફળિયા ખાતે મકાનમાં આગ લાગવાની બનેલી ઘટના

ગામના યુવાનોએ ભેગા મળી પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લીધી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.21: નારગોલ ગામના ભુનવાળી ફળિયા ખાતે કલાવતીબેન છોટુભાઈ દુબળાના અર્ધકાચા મકાનમાં બપોરના સમયે અચાનક આગ લાગવાની ઘટના બનવા પામી હતી. મકાનના રસોડાના ભાગે અગમ્‍ય કારણોસર આગ લાગવાની ઘટના સામે આવતાની સાથે જ સ્‍થાનિકોએ ગામના સરપંચ સ્‍વીટીબેન ભંડારીને જાણ કરી હતી. ઘટનાની જાણ પંચાત દ્વારાઈમરજન્‍સી વિભાગ અને અગિ્નશામક દળને કરવામાં આવી હતી. જોકે સ્‍થાનિક યુવાનો દ્વારા યુદ્ધના ધોરણે આગ ઉપર પાણીનો છંટકાવ કરી આગને ગણતરીના ક્ષણોમાં આગ કાબુ કરતા અગિ્નશામક દળને આવવાની જરૂરીયાત પડી ન હતી. આગના બનાવવામાં કોઈ મોટી નુકસાની થવા પામી ન હતી કે કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ મકાનના રસોડાના ભાગે રાખવામાં આવેલા ઈંધણના લાકડા તેમજ છતના પતરાંને વ્‍યાપક નુકસાન થવા પામ્‍યું હતું.

Related posts

દાનહમાં 05 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા : દમણમાં એકપણ નહી : તંત્ર હરકતમાં

vartmanpravah

દીવમાં અમરેલીથી આવેલ પર્યટકનો ખોવાયેલો મોબાઈલ માત્ર ૧૦ જ મીનિટમાં શોધીને પરત આપી ટ્રાફિક પોલીસે કરેલી સરાહનીય કામગીરી

vartmanpravah

દીવ ખાતે G-20 સમિતિના પ્રતિનિધિઓનું ભવ્‍ય સ્‍વાગત કરાયું

vartmanpravah

ચીખલી સહિત જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના ત્રિપલ-સી પ્રમાણપત્રના પ્રકરણમાં ભવિષ્‍યની અસર સાથે એક ઇજાફો અટકાવવાનો હુકમ કરવામાં આવતા શિક્ષકોમાં ફેલાયેલો રોષ

vartmanpravah

વલસાડમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે હલ્લાબોલ કાર્યક્રમ યોજાયોઃ કલેક્‍ટરને આવેદન અપાયું

vartmanpravah

દમણ અને દાનહમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ

vartmanpravah

Leave a Comment