June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નારગોલના ભુનવાળી ફળિયા ખાતે મકાનમાં આગ લાગવાની બનેલી ઘટના

ગામના યુવાનોએ ભેગા મળી પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લીધી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.21: નારગોલ ગામના ભુનવાળી ફળિયા ખાતે કલાવતીબેન છોટુભાઈ દુબળાના અર્ધકાચા મકાનમાં બપોરના સમયે અચાનક આગ લાગવાની ઘટના બનવા પામી હતી. મકાનના રસોડાના ભાગે અગમ્‍ય કારણોસર આગ લાગવાની ઘટના સામે આવતાની સાથે જ સ્‍થાનિકોએ ગામના સરપંચ સ્‍વીટીબેન ભંડારીને જાણ કરી હતી. ઘટનાની જાણ પંચાત દ્વારાઈમરજન્‍સી વિભાગ અને અગિ્નશામક દળને કરવામાં આવી હતી. જોકે સ્‍થાનિક યુવાનો દ્વારા યુદ્ધના ધોરણે આગ ઉપર પાણીનો છંટકાવ કરી આગને ગણતરીના ક્ષણોમાં આગ કાબુ કરતા અગિ્નશામક દળને આવવાની જરૂરીયાત પડી ન હતી. આગના બનાવવામાં કોઈ મોટી નુકસાની થવા પામી ન હતી કે કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ મકાનના રસોડાના ભાગે રાખવામાં આવેલા ઈંધણના લાકડા તેમજ છતના પતરાંને વ્‍યાપક નુકસાન થવા પામ્‍યું હતું.

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના આગમનને વધાવવા તૈયારીને અપાઈ રહેલો આખરી ઓપ

vartmanpravah

‘સમગ્ર શિક્ષણ’ અંતર્ગત પ્રાથમિક મરાઠી શાળા દાદરીપાડામાં ‘માં બેટી મેળા’નું કરાયેલું આયોજન

vartmanpravah

આગામી લોકસભાની ચૂંટણીમાં દમણ-દીવની બેઠક જીતનું પુનરાવર્તન કરશેઃ કેન્‍દ્રિય મંત્રી નારાયણ રાણેનો વિશ્વાસ

vartmanpravah

વાપી કેબીએસ કોમર્સ અને નટરાજ સાયન્સ કોલેજના ખેલાડીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન

vartmanpravah

આજે વિશ્વ હેલ્‍થ ડેઃ ‘‘હેલ્‍થ ફોર ઓલ”ની થીમ સાથે ડિજિટલ ઈન્‍ડિયામાં આભા કાર્ડ કેન્‍દ્ર સરકારની નવી પહેલ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ધો.10-12 બોર્ડની પરીક્ષા પૂર્વે આત્‍મ વિશ્વાસ હેલ્‍પલાઈનનો પ્રારંભ કરાયો

vartmanpravah

Leave a Comment