Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નારગોલના ભુનવાળી ફળિયા ખાતે મકાનમાં આગ લાગવાની બનેલી ઘટના

ગામના યુવાનોએ ભેગા મળી પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લીધી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.21: નારગોલ ગામના ભુનવાળી ફળિયા ખાતે કલાવતીબેન છોટુભાઈ દુબળાના અર્ધકાચા મકાનમાં બપોરના સમયે અચાનક આગ લાગવાની ઘટના બનવા પામી હતી. મકાનના રસોડાના ભાગે અગમ્‍ય કારણોસર આગ લાગવાની ઘટના સામે આવતાની સાથે જ સ્‍થાનિકોએ ગામના સરપંચ સ્‍વીટીબેન ભંડારીને જાણ કરી હતી. ઘટનાની જાણ પંચાત દ્વારાઈમરજન્‍સી વિભાગ અને અગિ્નશામક દળને કરવામાં આવી હતી. જોકે સ્‍થાનિક યુવાનો દ્વારા યુદ્ધના ધોરણે આગ ઉપર પાણીનો છંટકાવ કરી આગને ગણતરીના ક્ષણોમાં આગ કાબુ કરતા અગિ્નશામક દળને આવવાની જરૂરીયાત પડી ન હતી. આગના બનાવવામાં કોઈ મોટી નુકસાની થવા પામી ન હતી કે કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ મકાનના રસોડાના ભાગે રાખવામાં આવેલા ઈંધણના લાકડા તેમજ છતના પતરાંને વ્‍યાપક નુકસાન થવા પામ્‍યું હતું.

Related posts

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મદિવસના ઉપલક્ષમાં દાભેલના આટિયાવાડ ખાતે સેવા પખવાડા હેઠળ નિઃશુલ્‍ક દાંત અને આંખની તપાસ શિબિર યોજાઈ

vartmanpravah

દમણ પરિવહન વિભાગે ઓટોરીક્ષા, ટેક્ષી તથા બસ ચાલકોની આંખની તપાસ માટે યોજેલો મેગા આઈ ચેકઅપ કેમ્‍પ

vartmanpravah

‘જળવાયું પરિવર્તન અને ભૂમિ બચાવો’ના સંદેશ સાથે નીકળેલા 17 વર્ષના યુવાનનું સેલવાસમાં આગમન

vartmanpravah

વાપી સ્‍ટેશને માથા ફરેલ બેખોફ રીક્ષા ચાલકે મહિલાને બિભત્‍સ ભાષા બોલી શરમજનક વર્તન કર્યું: રીક્ષા ચાલક હવાલાતમાં

vartmanpravah

ગુજરાતના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઈ દેસાઈએ દિલ્‍હી ખાતે સાંસદ લાલુભાઈ પટેલના નિવાસ સ્‍થાને લીધેલી મુલાકાત: સાંસદશ્રીએ મંત્રીશ્રીનું ઉષ્‍માભર્યું કરેલું અભિવાદન

vartmanpravah

વલસાડ જિલ્લામાં બેરોકટોક ચાલતા ગેરકાયદે કતલખાના અને મટન શોપની તપાસ કરવા કલેક્‍ટરને રજૂઆત

vartmanpravah

Leave a Comment