ગામના યુવાનોએ ભેગા મળી પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લીધી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.21: નારગોલ ગામના ભુનવાળી ફળિયા ખાતે કલાવતીબેન છોટુભાઈ દુબળાના અર્ધકાચા મકાનમાં બપોરના સમયે અચાનક આગ લાગવાની ઘટના બનવા પામી હતી. મકાનના રસોડાના ભાગે અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના સામે આવતાની સાથે જ સ્થાનિકોએ ગામના સરપંચ સ્વીટીબેન ભંડારીને જાણ કરી હતી. ઘટનાની જાણ પંચાત દ્વારાઈમરજન્સી વિભાગ અને અગિ્નશામક દળને કરવામાં આવી હતી. જોકે સ્થાનિક યુવાનો દ્વારા યુદ્ધના ધોરણે આગ ઉપર પાણીનો છંટકાવ કરી આગને ગણતરીના ક્ષણોમાં આગ કાબુ કરતા અગિ્નશામક દળને આવવાની જરૂરીયાત પડી ન હતી. આગના બનાવવામાં કોઈ મોટી નુકસાની થવા પામી ન હતી કે કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ મકાનના રસોડાના ભાગે રાખવામાં આવેલા ઈંધણના લાકડા તેમજ છતના પતરાંને વ્યાપક નુકસાન થવા પામ્યું હતું.