August 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

‘‘પરીક્ષા પે ચર્ચા”માં ભાગ લેનાર શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવના 38 શિક્ષકો અને 7 વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રીએ પત્ર લખી દેશની પ્રગતિ માટેનો વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા ‘‘પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવના 38 શિક્ષકો તથા 7 વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રી સાથે જીવંત વાર્તાલાપનો મોકો મળ્‍યો હતો. પ્રધાનમંત્રી દ્વારા હાલ આ તમામને તેમના હસ્‍તાક્ષર સાથે પત્ર પાઠવી આ પ્રસંગને દેશની ઉન્નતી સાથે સાંકડી આભાર વ્‍યક્‍ત કર્યો છે. એક જ શૈક્ષણિક સંસ્‍થાના આટલા શિક્ષકો અને વિદ્યાર્થીઓની પ્રધાનમંત્રી પોતે નોંધ લે એ નોંધનીય બાબત બની રહી છે.
પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા પાઠવાયેલા પત્રમાં શિક્ષકોને પ્રકાશપુંજ સમાન ગણાવી શિક્ષક સકારાત્‍મકતા અને આત્‍મવિશ્વાસનાભાવનું વિદ્યાર્થીઓના વ્‍યક્‍તિત્‍વમાં નિરૂપણ કરે તે જીવનભર તેને માર્ગદર્શન પૂરું પાડનાર હોવાનું વર્ણવ્‍યું છે.
જ્‍યારે વિદ્યાર્થીઓને પાઠવેલા પત્રમાં આજની યુવા પેઢીમાં ઉર્જા, આત્‍મવિશ્વાસ અને ક્ષમતાઓને જોઈ ખુબ ગર્વ થાય છે તેમ જણાવી ભારતની યુવા શક્‍તિ પોતાના વ્‍યક્‍તિગત સંકલ્‍પો સાથે દેશને પ્રગતિની નવી ઉંચાઈ પર લઈ જવાની મહત્‍વપૂર્ણ ભૂમિકા નિભાવશે એવો આશાવાદ વ્‍યક્‍ત કર્યો છે.
પ્રધાનમંત્રીશ્રી સાથે ‘‘પરીક્ષા પે ચર્ચા”માં ભાગ લેનાર તમામને સંસ્‍થાના મેં. ટ્રસ્‍ટી પૂજ્‍ય કપિલ સ્‍વામીજી અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

‘બટેંગે તો કટેંગે’ના સૂત્રનો છેદ ઉડાડતી ટુકવાડા અવધ યુટોપિયાની ઉચ્‍ચ વર્ણની ભારતી શાહ

vartmanpravah

વાપીનો યુવાન રાષ્‍ટ્ર પ્રેમનો મિશાલ બન્‍યો : 75મા ગણતંત્ર દિવસ 75 કીલોમીટર દોડ દોડી ઉજવ્‍યો

vartmanpravah

દાદરા નગર હવેલીના સાંસદ કલાબેન ડેલકરને ભારત સરકારની ગૃહ મંત્રાલય સમિતિના સભ્‍ય બનાવાયા

vartmanpravah

સેલવાસની દેવકીબા ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સમાં ગુરુ પૂર્ણિમાની કરાયેલી ઉજવણી

vartmanpravah

ખોરાક અને ઔષધ નિયમનતંત્ર દ્વારા એપ્રિલમાં ખાદ્ય પદાર્થોના ૩૬ નમૂનાની ચકાસણી

vartmanpravah

જીએનએલયુ સેલવાસ કેમ્‍પસ ખાતે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી દ્વારા ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે કોમન લૉ એડમિશન ટેસ્‍ટ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment