January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના તામછડી ગામે તણખો ઉડતા વૃધ્‍ધ આદિવાસી દંપતિનું ઘર બળીને ખાખ થયું

ધારાસભ્‍ય અરવિંદ પટેલ વ્‍હારે આવ્‍યા, જરૂરી સામાન-કપડા-વાસણ ગોદડાની મદદ કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: ધરમપુરથી 30 કિ.મી. દૂર આવેલા તામછડી ગામે રહેતા વૃધ્‍ધ દંપતિનું ઘર વાવાઝોડાથી તણખો ઉડતા ઘરમાં આગ લાગી હતી. મંગળવારે સાંજે બનેલી ઘટનામાં દંપતિનો તમામસરસામાન, અનાજ, કપડા, બચતના રોકડા બળીને ખાખ થઈ જતા ગરીબ આદિવાસી વૃધ્‍ધ દંપતિ રોડ ઉપર આવી ગયાની ઘટેલી ઘટનાથી ગામમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી.
પર્વતીય ક્ષેત્રના ગામ તામછડીમાં બોચુનીયા ફળીયામાં વૃધ્‍ધ આદિવાસી મહાધુભાઈ ધર્માભાઈ રાઠોડ અને તેમના પત્‍ની રહેતા હતા. ગત સાંજે ચુલામાંથી ઉડેલા તણખાથી ઘરમાં આગ લાગી હતી. જેમાં 70 મણ ભાત, 40 મણ નાગલી, 10 મણ તુવેર તથા કિસાન સન્‍માન નીધી અને બચતના રાખેલા રોકડા રૂા.11 હજાર, કપડા, સરસામાન બધુ ક્ષણોમાં સ્‍વાહા થઈ જતા દંપતિ રોડ ઉપર આવી ગયું હતું. આજે બુધવારે ધરમપુરના ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલને જાણ થતા તામછડી દોડી ગયા હતા. વૃધ્‍ધ દંપતિને માનવતા સ્‍વરૂપે તેમણે તાત્‍કાલિક જરૂરી તમામ પ્રાથમિક સરસામાન, રાશન, કપડાની તજવીજ કરીને વૃધ્‍ધ દંપતિની વ્‍હારે આવ્‍યા હતા. દંપતિ પાસે પહેરેલા કપડા સિવાય કાંઈ બચ્‍યું નહોતુ.

Related posts

દીવના નાગવા બીચ ખાતે ફાયર બ્રિગેડનું એક પેટા મથક બનાવવું ખાસ આવશ્‍યક

vartmanpravah

‘ગરીબ કલ્યાણ સંમેલન’-નવસારી: સરકારની જન કલ્યાણકારી યોજનાથકી છેવાડાના માનવીનું  જીવનધોરણ ઉચું આવ્યું છે: જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહીર : નવસારી ખાતે ‘ગરીબ કલ્યાણ સંમેલન’યોજાયું

vartmanpravah

છીરીના રામજશસિંહ ગુમ થયા

vartmanpravah

વલસાડ જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક જિલ્લા કલેકટર નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને મળી

vartmanpravah

પારડીમાંવાજપેયીજીની 100મી જન્‍મ જયંતી (સુશાસન દિન)ની કરાયેલી ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપના બંગારામ ખાતે ઞ્‍20 એંગેજમેન્‍ટ ગ્રુપ મીટિંગનું કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

Leave a Comment