March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના તામછડી ગામે તણખો ઉડતા વૃધ્‍ધ આદિવાસી દંપતિનું ઘર બળીને ખાખ થયું

ધારાસભ્‍ય અરવિંદ પટેલ વ્‍હારે આવ્‍યા, જરૂરી સામાન-કપડા-વાસણ ગોદડાની મદદ કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: ધરમપુરથી 30 કિ.મી. દૂર આવેલા તામછડી ગામે રહેતા વૃધ્‍ધ દંપતિનું ઘર વાવાઝોડાથી તણખો ઉડતા ઘરમાં આગ લાગી હતી. મંગળવારે સાંજે બનેલી ઘટનામાં દંપતિનો તમામસરસામાન, અનાજ, કપડા, બચતના રોકડા બળીને ખાખ થઈ જતા ગરીબ આદિવાસી વૃધ્‍ધ દંપતિ રોડ ઉપર આવી ગયાની ઘટેલી ઘટનાથી ગામમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી.
પર્વતીય ક્ષેત્રના ગામ તામછડીમાં બોચુનીયા ફળીયામાં વૃધ્‍ધ આદિવાસી મહાધુભાઈ ધર્માભાઈ રાઠોડ અને તેમના પત્‍ની રહેતા હતા. ગત સાંજે ચુલામાંથી ઉડેલા તણખાથી ઘરમાં આગ લાગી હતી. જેમાં 70 મણ ભાત, 40 મણ નાગલી, 10 મણ તુવેર તથા કિસાન સન્‍માન નીધી અને બચતના રાખેલા રોકડા રૂા.11 હજાર, કપડા, સરસામાન બધુ ક્ષણોમાં સ્‍વાહા થઈ જતા દંપતિ રોડ ઉપર આવી ગયું હતું. આજે બુધવારે ધરમપુરના ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલને જાણ થતા તામછડી દોડી ગયા હતા. વૃધ્‍ધ દંપતિને માનવતા સ્‍વરૂપે તેમણે તાત્‍કાલિક જરૂરી તમામ પ્રાથમિક સરસામાન, રાશન, કપડાની તજવીજ કરીને વૃધ્‍ધ દંપતિની વ્‍હારે આવ્‍યા હતા. દંપતિ પાસે પહેરેલા કપડા સિવાય કાંઈ બચ્‍યું નહોતુ.

Related posts

‘સમગ્ર શિક્ષણ’ અંતર્ગત પ્રાથમિક ગુજરાતી કેન્‍દ્ર શાળા, નરોલી ખાતે યોજાયેલી પ્રશ્નમંચ સ્‍પર્ધા

vartmanpravah

વાપી પાલિકાએ જી-20 અંતર્ગત લોકોમાં પર્યાવરણ જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું કરેલું આયોજન

vartmanpravah

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં આંતરરાષ્‍ટ્રીય ગેસ્‍ટ લેક્‍ચર યોજાયો

vartmanpravah

ખરડપાડા પંચાયતમાં ગ્રામસભા યોજાઈઃ ‘સબકી યોજના, સબકા વિકાસ’ના મુદ્દે થયેલી ચર્ચા-વિચારણાં

vartmanpravah

ધરમપુરના માલનપાડામાં યુવા બોર્ડ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ભાજપના રાષ્‍ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ દાનહ ભાજપ સાથે સતત 32 વર્ષથી જોડાયેલા કાર્યકરોનું કરેલું સન્‍માન

vartmanpravah

Leave a Comment