October 20, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના તામછડી ગામે તણખો ઉડતા વૃધ્‍ધ આદિવાસી દંપતિનું ઘર બળીને ખાખ થયું

ધારાસભ્‍ય અરવિંદ પટેલ વ્‍હારે આવ્‍યા, જરૂરી સામાન-કપડા-વાસણ ગોદડાની મદદ કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: ધરમપુરથી 30 કિ.મી. દૂર આવેલા તામછડી ગામે રહેતા વૃધ્‍ધ દંપતિનું ઘર વાવાઝોડાથી તણખો ઉડતા ઘરમાં આગ લાગી હતી. મંગળવારે સાંજે બનેલી ઘટનામાં દંપતિનો તમામસરસામાન, અનાજ, કપડા, બચતના રોકડા બળીને ખાખ થઈ જતા ગરીબ આદિવાસી વૃધ્‍ધ દંપતિ રોડ ઉપર આવી ગયાની ઘટેલી ઘટનાથી ગામમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી.
પર્વતીય ક્ષેત્રના ગામ તામછડીમાં બોચુનીયા ફળીયામાં વૃધ્‍ધ આદિવાસી મહાધુભાઈ ધર્માભાઈ રાઠોડ અને તેમના પત્‍ની રહેતા હતા. ગત સાંજે ચુલામાંથી ઉડેલા તણખાથી ઘરમાં આગ લાગી હતી. જેમાં 70 મણ ભાત, 40 મણ નાગલી, 10 મણ તુવેર તથા કિસાન સન્‍માન નીધી અને બચતના રાખેલા રોકડા રૂા.11 હજાર, કપડા, સરસામાન બધુ ક્ષણોમાં સ્‍વાહા થઈ જતા દંપતિ રોડ ઉપર આવી ગયું હતું. આજે બુધવારે ધરમપુરના ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલને જાણ થતા તામછડી દોડી ગયા હતા. વૃધ્‍ધ દંપતિને માનવતા સ્‍વરૂપે તેમણે તાત્‍કાલિક જરૂરી તમામ પ્રાથમિક સરસામાન, રાશન, કપડાની તજવીજ કરીને વૃધ્‍ધ દંપતિની વ્‍હારે આવ્‍યા હતા. દંપતિ પાસે પહેરેલા કપડા સિવાય કાંઈ બચ્‍યું નહોતુ.

Related posts

દાનહમાં સરકારી વ્‍યાજબી ભાવની દુકાનો(કંટ્રોલ)માંથી દર મહિને અનાજ નહીં ઉઠાવતા લાભાર્થીઓને પૂછાનારૂંકારણ

vartmanpravah

પાલઘર મનોર હાઈવે ઉપર ગોઠવાયો પોલીસ કાફલો: વાઢવણબંદર વિરોધમાં રસ્‍તા રોકો આંદોલનની ચિમકી

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવ દ્વારા દિવાળી તહેવારની ઘણા હર્ષોલ્લાસથી ઉજવણી કરાઈ

vartmanpravah

શ્રી મહ્યાવંશી શિક્ષણ પ્રચારક સંઘની ટુકવાડામાં મિટીંગ યોજાઈ : કારોબારીની રચના જાહેર કરાઈ

vartmanpravah

દમણના કચીગામમાં નાળામાંથી યુવકની હત્‍યા કરાયેલી લાશ મળી આવતાં ચકચાર

vartmanpravah

સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત દમણઃ કચીગામ સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળામાં ‘બેટી સુરક્ષા-બેટી શિક્ષા’ વિષય ઉપર યોજાયેલો સ્‍વ જાગૃતિ કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment