July 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

લોકોની સેવા માટે ‘ઉત્તર ભારતીય વિકાસ સંગઠન દાનહ’ દ્વારા એમ્‍બ્‍યુલન્‍સનું કરાયું લોકાર્પણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16: ‘ઉત્તર ભારતીય વિકાસ સંગઠન દાદરા નગર હવેલી’ દ્વારા આજે કલેક્‍ટરશ્રીના હસ્‍તે જાહેર જનતાની સેવા માટે એમ્‍બ્‍યુલન્‍સનું લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું.
પ્રદેશની સામાન્‍ય જનતાની આરોગ્‍યની સમસ્‍યાને જોતા સંગઠન દ્વારા સામરવરણી પંચાયત હોલ ખાતે જિલ્લા કલેક્‍ટર શ્રી પ્રિયાંક કિશોરની અધ્‍યક્ષતામાં એમ્‍બ્‍યુલન્‍સ લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે કલેક્‍ટર શ્રી પ્રિયાંક કિશોરના હસ્‍તે લીલી ઝંડી બતાવી એમ્‍બ્‍યુલન્‍સને લોકોની સેવા માટે રવાના કરવામાં આવી હતી. આ મલ્‍ટીપલ એમ્‍બ્‍યુલન્‍સમાં ડેથ બોડી અને ઇમર્જન્‍સી આરોગ્‍ય સુવિધા બન્નેને ધ્‍યાનમાં રાખીને બનાવવામાં આવેલ છે. જેનો ઉપયોગ ઇમર્જન્‍સી દર્દીનેહોસ્‍પિટલમાં પહોંચાડવામાં ઉપયોગી બનશે.
આ અવસરે ઉત્તર ભારતીય વિકાસ સંગઠનના પ્રમુખ શ્રી બી.કે.ત્રિપાઠી, ઉદ્યોગપતિ શ્રી અજીત યાદવ, શ્રી નાગેન્‍દ્ર સિંહ, શ્રી અનિલ દીક્ષિત, શ્રી રાજેશ્વર શુક્‍લા, શ્રી મહેન્‍દ્ર યાદવ અને સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગના સલાહકાર ડો. વી.કે.દાસ સહિત સમાજના લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

પીએમ મોદીએ આઇકોનિક વીકમાં જન સમર્થ પોર્ટલ લોન્‍ચ કર્યું: દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં જીએસટી વિભાગ દ્વારા થયેલી જીવંત પ્રસારણની વ્‍યવસ્‍થા

vartmanpravah

ભિલાડથી સોનલબેન ગુમ થયા

vartmanpravah

ધરમપુર ખાતે જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલાના અધ્‍યક્ષ સ્‍થાને કરાયેલું લોકદરબારનું આયોજન

vartmanpravah

કોઈ પણ સર્જક આખરે તો શબ્‍દ બ્રહ્મની સાધના કરે છે, કવિ માટે સર્જન જ શબ્‍દની સાધનાછેઃ સંજુ વાળા

vartmanpravah

વલસાડી હાફુસ કેરી માટેનું જી.આઈ. ટેગ નહી હોવાથી ખેડૂતોને વૈશ્વિક બજારમાં વેચાણની મુશ્‍કેલી પડે છે

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર મોપેડ ઉપર વાપી આવવા નિકળેલા બે મિત્રોની મોપેડને ટ્રકે ટક્કર મારતા એકનું મોત, એક ઘાયલ

vartmanpravah

Leave a Comment