April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના તામછડી ગામે તણખો ઉડતા વૃધ્‍ધ આદિવાસી દંપતિનું ઘર બળીને ખાખ થયું

ધારાસભ્‍ય અરવિંદ પટેલ વ્‍હારે આવ્‍યા, જરૂરી સામાન-કપડા-વાસણ ગોદડાની મદદ કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: ધરમપુરથી 30 કિ.મી. દૂર આવેલા તામછડી ગામે રહેતા વૃધ્‍ધ દંપતિનું ઘર વાવાઝોડાથી તણખો ઉડતા ઘરમાં આગ લાગી હતી. મંગળવારે સાંજે બનેલી ઘટનામાં દંપતિનો તમામસરસામાન, અનાજ, કપડા, બચતના રોકડા બળીને ખાખ થઈ જતા ગરીબ આદિવાસી વૃધ્‍ધ દંપતિ રોડ ઉપર આવી ગયાની ઘટેલી ઘટનાથી ગામમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી.
પર્વતીય ક્ષેત્રના ગામ તામછડીમાં બોચુનીયા ફળીયામાં વૃધ્‍ધ આદિવાસી મહાધુભાઈ ધર્માભાઈ રાઠોડ અને તેમના પત્‍ની રહેતા હતા. ગત સાંજે ચુલામાંથી ઉડેલા તણખાથી ઘરમાં આગ લાગી હતી. જેમાં 70 મણ ભાત, 40 મણ નાગલી, 10 મણ તુવેર તથા કિસાન સન્‍માન નીધી અને બચતના રાખેલા રોકડા રૂા.11 હજાર, કપડા, સરસામાન બધુ ક્ષણોમાં સ્‍વાહા થઈ જતા દંપતિ રોડ ઉપર આવી ગયું હતું. આજે બુધવારે ધરમપુરના ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલને જાણ થતા તામછડી દોડી ગયા હતા. વૃધ્‍ધ દંપતિને માનવતા સ્‍વરૂપે તેમણે તાત્‍કાલિક જરૂરી તમામ પ્રાથમિક સરસામાન, રાશન, કપડાની તજવીજ કરીને વૃધ્‍ધ દંપતિની વ્‍હારે આવ્‍યા હતા. દંપતિ પાસે પહેરેલા કપડા સિવાય કાંઈ બચ્‍યું નહોતુ.

Related posts

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા દાનહમાં આયોજીત ત્રિ-દિવસીય ગર્ભાશય અને સ્‍તનના કેન્‍સરની નિઃશુલ્‍ક તપાસનો 293 મહિલાઓએ લીધેલો લાભ

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ સંઘપ્રદેશના નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવતે કુપોષિત બાળકોના ઘરે જઈ પરિવારને સમજાવવા કરેલો અનોખો પ્રયાસ

vartmanpravah

વાપીના ઉદ્યોગપતિની પ્રથમ પર્યાવરણ લક્ષી પહેલ: આર્યન પેકેજીંગ ઈન્‍ડસ્‍ટ્રીઝના માલિક સુનિલભાઈ શાહે કંપનીની આસપાસ 20000 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું

vartmanpravah

કપરાડામાં ‘‘આંતરરાષ્‍ટ્રીય બાલિકા દિવસ” નિમિત્તે ‘‘લંચ વિથ લાડલી” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપીના ચલા ખાતે 123મી રંગ જયંતીની ભક્‍તિભાવ પૂર્વક કરોલી ઉજવણી

vartmanpravah

એસઆરએમડી મિશન હોલ ધરમપુર ખાતે આદિ જનજાતિ ગૌરવ દિવસ ઉજવણી પ્રસંગે મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા 200થી વધુ લોકોની તપાસ કરાઈ

vartmanpravah

Leave a Comment