Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વિવેકાનંદ સોશિયલ એન્‍ડ કલ્‍ચરલ ચેરીટેબલ ટ્રસ્‍ટ અને માઁ શારદા દેવી મહિલા પાંખ નવસારી દ્વારા મહિલાઓ માટે નિબંધ લેખન અને વકૃત્‍વ સ્‍પર્ધા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.16: વિવેકાનંદ સોશિયલ એન્‍ડ કલ્‍ચરલ ચેરીટેબલ ટ્રસ્‍ટ નવસારી તથા માંૅ શારદા દેવી મહિલા પાંખ નવસારી દ્વારા બહેનો માટે માં શારદા દેવી જીવન કવન ‘નિબંધ લેખન’ સ્‍પર્ધા યોજવામાં આવી હતી. જેમાં 13 સ્‍પર્ધક બહેનોએ ભાગ લીધો હતો. શ્રી પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ નવસારી ખાતે યોજાયેલી માઁ શારદા દેવીના જીવન વિશેના વકળત્‍વ સ્‍પર્ધા યોજવામાં આવી હતી. જેમાં 6 બહેનોએ વકળત્‍વ સ્‍પર્ધામાં ભાગ લીધો હતો. સ્‍પર્ધામાં વિજેતા નિવડેલા બહેનોને માં શારદા દેવી મહિલા પાંખના પ્રમુખ ડો. નિરીક્ષા દેસાઈના અધ્‍યક્ષ સ્‍થાને યોજાયેલી સભામાં ઈનામનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. વકળત્‍વ સ્‍પર્ધામાં દિલીપ નાયક તથા દિનાઝ પટેલે નિર્ણાયક તરીકે સેવા આપી હતી.
વકળત્‍વ સ્‍પર્ધામાં પ્રથમ ક્રમે મીનાબેન અજમેરા, અને બીજા ક્રમે હર્ષા ઘોઘારી વિજેતા બન્‍યા હતા. આ સભામાં ઉપસ્‍થિત મહિલા પાંખના હોદ્દેદારોઉપરાંત ટ્રસ્‍ટીઓ તથા શુભેચ્‍છકોના હસ્‍તે નિબંધ લેખનના તમામ સ્‍પર્ધકોને ઈનામ આપવામાં આવ્‍યા હતા. સભામાં ઉપસ્‍થિત સૌનો આભાર માનવામાં આવ્‍યો હતો. તમામને માટે અલ્‍પાહારની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી.

Related posts

વાપી સ્‍થિત સેન્‍ટ જોસેફ ઉચ્‍ચત્તર/માધ્‍યમિક શાળામાં ધોરણ-1 થી 5 નાના ભૂલકાઓનું ફરીથી આગમન

vartmanpravah

તહેવારોની ભીડ અટકાવવા વાપી સહિત 8 રેલવે સ્‍ટેશન ઉપર પ્‍લેટફોર્મ ટિકિટ માટે તા.8 નવેમ્‍બર સુધી અસ્‍થાયી પ્રતિબંધ

vartmanpravah

વલસાડ જિલ્લા કક્ષાનો “વિશ્વાસથી વિકાસ યાત્રા” અંતર્ગત કેશ ક્રેડિટ કેમ્પ નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયો

vartmanpravah

નવસારી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈઃ

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં ગટરના પાણીનો વિડીયો ઉતારતા કથિત યુટયુબીયો પત્રકાર નાળામાં ખાબક્‍યો

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા વિવિધ સંગઠનાત્‍મક પદાધિકારીઓની કરાયેલી નિયુક્‍તિ

vartmanpravah

Leave a Comment