March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

‘‘પરીક્ષા પે ચર્ચા”માં ભાગ લેનાર શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવના 38 શિક્ષકો અને 7 વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રીએ પત્ર લખી દેશની પ્રગતિ માટેનો વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા ‘‘પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવના 38 શિક્ષકો તથા 7 વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રી સાથે જીવંત વાર્તાલાપનો મોકો મળ્‍યો હતો. પ્રધાનમંત્રી દ્વારા હાલ આ તમામને તેમના હસ્‍તાક્ષર સાથે પત્ર પાઠવી આ પ્રસંગને દેશની ઉન્નતી સાથે સાંકડી આભાર વ્‍યક્‍ત કર્યો છે. એક જ શૈક્ષણિક સંસ્‍થાના આટલા શિક્ષકો અને વિદ્યાર્થીઓની પ્રધાનમંત્રી પોતે નોંધ લે એ નોંધનીય બાબત બની રહી છે.
પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા પાઠવાયેલા પત્રમાં શિક્ષકોને પ્રકાશપુંજ સમાન ગણાવી શિક્ષક સકારાત્‍મકતા અને આત્‍મવિશ્વાસનાભાવનું વિદ્યાર્થીઓના વ્‍યક્‍તિત્‍વમાં નિરૂપણ કરે તે જીવનભર તેને માર્ગદર્શન પૂરું પાડનાર હોવાનું વર્ણવ્‍યું છે.
જ્‍યારે વિદ્યાર્થીઓને પાઠવેલા પત્રમાં આજની યુવા પેઢીમાં ઉર્જા, આત્‍મવિશ્વાસ અને ક્ષમતાઓને જોઈ ખુબ ગર્વ થાય છે તેમ જણાવી ભારતની યુવા શક્‍તિ પોતાના વ્‍યક્‍તિગત સંકલ્‍પો સાથે દેશને પ્રગતિની નવી ઉંચાઈ પર લઈ જવાની મહત્‍વપૂર્ણ ભૂમિકા નિભાવશે એવો આશાવાદ વ્‍યક્‍ત કર્યો છે.
પ્રધાનમંત્રીશ્રી સાથે ‘‘પરીક્ષા પે ચર્ચા”માં ભાગ લેનાર તમામને સંસ્‍થાના મેં. ટ્રસ્‍ટી પૂજ્‍ય કપિલ સ્‍વામીજી અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

દમણગંગા નદીનું પાણી અત્‍યંત પ્રદૂષિત થતા નદીકાંઠાના ગામડાઓની પ્રજામાં વ્‍યાપેલો રોષ

vartmanpravah

સંઘપ્રદેશ માટે ગૌરવપ્રદ ઘટના: દાનહ અને દમણ-દીવની ગર્લ્‍સ અને બોયઝની ફૂટબોલ ટીમ નેશનલ કક્ષાએ ટુર્નામેન્‍ટમાં ભાગ લેશે

vartmanpravah

પર્યાવરણને ખતરામાં નાખનારા વિકાસ મોડેલ માનવતા માટે યોગ્‍ય નથી પરંતુ..  સેલવાસ ન.પા. દ્વારા વિકાસના નામે વૃક્ષોનું આડેધડ કાઢવામાં આવીરહેલું નિકંદન

vartmanpravah

વાપી હોટલ પેપીલોન પરિવાર દ્વારા રામ નવમીએ યોજાયેલ મહા રક્‍તદાન શિબિરમાં 411 યુનિટ રક્‍ત એકત્ર કરાયું

vartmanpravah

દાનહ અને દમણમાં કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોના પાકને નુકસાન : ઠંડા પવનને કારણે ઠંડીનો અહેસાસ

vartmanpravah

આજે સેલવાસ ખાતે મહામહિમ રાષ્‍ટ્રપતિ પ્રબુદ્ધ નાગરિકોની સભાને સંબોધશે

vartmanpravah

Leave a Comment