Vartman Pravah
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડ

વલસાડનાં સરોધીગામથી મુંબઈ સુધી ગેરકાયદેસર થઈ રહયો છે રેતીનો વેપાર 

  • ગ્રામ પચાયત,ખાણ-ખનીજ અને પોલીસની કામગીરી સામે પ્રશ્નાર્થ

  • હીંગરાજ,દાંડીદા,દાતી જેવાં દરિયામાંથી ખારી રેતીને સાફ-સફાઈ કરી મુંબઈનાં માર્કેટમાં પહોંચાડવામાં આવે છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.01
અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર આવેલ વલસાડનું સરોધી ગામ ગેરકાયદેસર ખારીરેતી ચોરીનું આંતરાજયમાં સપ્‍લાઈ માટે અડ્ડો બન્‍યો છે.
સરોધી ગ્રામ પચાયતનાં તત્‍કાલિન સરપંચ અને 8થી 10ખનીજ માફિયાઓનાં સાંઠગાંઠથી ખેતીની જમીન બિનખેતી કર્યા વિના જ ખનીજ માફિયાઓએ રેતી ધોવાનાં નામે રેતીનો પ્‍લાન્‍ટ કે શેડ બનાવી રેતી ધોવાનું કામ કરતાં હોવાનું પચાયત ચોપડા પર બતાવે છે.
મહારાષ્‍ટ્રનાં મુંબઈ સુધી ગેરકાયદેસર રેતીનો વેપાર કરે છે આ ખનીજમાફિયા વલસાડ દરિયા કિનારે આવેલાં હીંગરાજ, દાંતી, દાંડી અને નવસારીનાં ધોલાઈ બંદર સહિતનાં દરિયા કાંઠે આવેલ ગામોનાં દરિયામાંથી ગેરકાયદેસર ખારીરેતી કાઢવામાં આવે છે અને આ બેનંબરી ખારી રેતીને સરોધી ગામમાં ગેરકાયદેસરચાલતાં રેતી ધોવાનાં પ્‍લાન્‍ટ તથા રેતી શેડોનાં માલિકોને બેનંબરીયામાં વેચી દેવામાં આવે છે આંતરરાજય ખનીજ માફિયાઓ આ રેતી ધોવાનાં પ્‍લાન્‍ટમાં કે રેતીશેડમાં પાણી દ્વારા રેતી ધોવામાં આવે છે અને એ માટી અને રેતીનાં કણવાળું પાણી બાજુમાંથી પસાર થતી ગટરમાં છોડે છે જે માટી અને રેતીવાળું પાણી જાહેર રસ્‍તા પર આવી જાય છે.
જયારે રેતીનાં નાના કણ હવામાં ઊડે છે જેથી આજુબાજુ આવેલ જમીન પણ બંજર બની રહી છે વલસાડ જિલ્લાથી મુંબઈ સુધી ફેલાયેલો આંતરરાજય ખનીજ રેતી માફિયાઓ સામે યોગ્‍ય કાર્યવાહી કરવાં ગ્રામલોકોની માંગ છે.

Related posts

દી ન.પા.ની ચૂંટણી 7મી જુલાઈએ યોજાશેઃ આજથી ઉમેદવારી પત્રક ભરાવાનો આરંભ: દીવ શહેરમાં રાજકીય સળવળાટ તેજ

vartmanpravah

દાનહમાં ગાયોને ટક્કર મારી મોત નિપજાવવાનો સિલસિલો યથાવત્‌ રવિવારની રાત્રે અથાલ પાસે રસ્‍તા ઉપર બેસેલી ગાયોને ટ્રકચાલકે મારેલી ટક્કરમાં ચાર ગાયોના ઘટના સ્‍થળે જ થયેલા મોતઃ ત્રણને ગંભીર ઈજા

vartmanpravah

નવસારી જિલ્લાની ચારેય વિધાનસભા બેઠકમાં આદર્શ મતદાન મથક ઉભું કરતું ચૂંટણી તંત્ર

vartmanpravah

દાનહ લોકસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવાર કે રાજકીય પક્ષોની નહીં પરંતુ મતદારોની થનારી અગ્નિપરીક્ષા

vartmanpravah

સામરવરણી ગાર્ડન સીટી સોસાયટીની સામે બસ ચાલકે બસમા જ ગળે ફાંસો લગાવી કરી આત્‍મહત્‍યા

vartmanpravah

વાપી શામળાજી રોડ પર ખાડાઓને લીધે ખટાણા ગામના બે લોકોના અકસ્‍માત મોત

vartmanpravah

Leave a Comment