April 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડ

વલસાડનાં સરોધીગામથી મુંબઈ સુધી ગેરકાયદેસર થઈ રહયો છે રેતીનો વેપાર 

  • ગ્રામ પચાયત,ખાણ-ખનીજ અને પોલીસની કામગીરી સામે પ્રશ્નાર્થ

  • હીંગરાજ,દાંડીદા,દાતી જેવાં દરિયામાંથી ખારી રેતીને સાફ-સફાઈ કરી મુંબઈનાં માર્કેટમાં પહોંચાડવામાં આવે છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.01
અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર આવેલ વલસાડનું સરોધી ગામ ગેરકાયદેસર ખારીરેતી ચોરીનું આંતરાજયમાં સપ્‍લાઈ માટે અડ્ડો બન્‍યો છે.
સરોધી ગ્રામ પચાયતનાં તત્‍કાલિન સરપંચ અને 8થી 10ખનીજ માફિયાઓનાં સાંઠગાંઠથી ખેતીની જમીન બિનખેતી કર્યા વિના જ ખનીજ માફિયાઓએ રેતી ધોવાનાં નામે રેતીનો પ્‍લાન્‍ટ કે શેડ બનાવી રેતી ધોવાનું કામ કરતાં હોવાનું પચાયત ચોપડા પર બતાવે છે.
મહારાષ્‍ટ્રનાં મુંબઈ સુધી ગેરકાયદેસર રેતીનો વેપાર કરે છે આ ખનીજમાફિયા વલસાડ દરિયા કિનારે આવેલાં હીંગરાજ, દાંતી, દાંડી અને નવસારીનાં ધોલાઈ બંદર સહિતનાં દરિયા કાંઠે આવેલ ગામોનાં દરિયામાંથી ગેરકાયદેસર ખારીરેતી કાઢવામાં આવે છે અને આ બેનંબરી ખારી રેતીને સરોધી ગામમાં ગેરકાયદેસરચાલતાં રેતી ધોવાનાં પ્‍લાન્‍ટ તથા રેતી શેડોનાં માલિકોને બેનંબરીયામાં વેચી દેવામાં આવે છે આંતરરાજય ખનીજ માફિયાઓ આ રેતી ધોવાનાં પ્‍લાન્‍ટમાં કે રેતીશેડમાં પાણી દ્વારા રેતી ધોવામાં આવે છે અને એ માટી અને રેતીનાં કણવાળું પાણી બાજુમાંથી પસાર થતી ગટરમાં છોડે છે જે માટી અને રેતીવાળું પાણી જાહેર રસ્‍તા પર આવી જાય છે.
જયારે રેતીનાં નાના કણ હવામાં ઊડે છે જેથી આજુબાજુ આવેલ જમીન પણ બંજર બની રહી છે વલસાડ જિલ્લાથી મુંબઈ સુધી ફેલાયેલો આંતરરાજય ખનીજ રેતી માફિયાઓ સામે યોગ્‍ય કાર્યવાહી કરવાં ગ્રામલોકોની માંગ છે.

Related posts

મોતીવાડાના ચકચારી રેપ વીથ મર્ડર કેસને સફળતાપૂર્વક ઉકેલવા બદલ વલસાડ પોલીસ ટીમનું ગાંધીનગરમાં સન્‍માન કરાયું

vartmanpravah

વાપીથી પાલઘર જવા ઈકોમાં નિકળેલી મહિલાની છેડતી થતા દિકરીને હાઈવે પર ફેંકી પોતે કુદી પડતા દિકરીનું મોત

vartmanpravah

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મોદી@20 પુસ્‍તકની ગુજરાતી આવૃત્તિનું કરેલું વિમોચન

vartmanpravah

પરીક્ષા ડિપ્રેશનને લઈ પારડીના યુવાને ઘર છોડ્‌યું

vartmanpravah

વાપી જીઆઈડીસીમાંનોટિફાઈડ દ્વારા કાર્યરત કરાયેલ જાહેર સુલભ શૌચાલય છ મહિનાથી અસુલભ બની રહ્યું છે

vartmanpravah

એલ. એન્‍ડ ટી. કંપની હજીરા તથા મહાકાલ એજ્‍યુકેશન ગૃપ દ્વારા અનોખું આયોજન: ‘સર્વ ધર્મ સમભાવ’ની ભાવના સાથે ધનશેર પ્રાથમિક શાળામાં આનંદોત્‍સવ ઉજવાયો

vartmanpravah

Leave a Comment