July 28, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

વાપી ન્‍યાયાલય પરિસરમાં કેન્‍ટીન અને પાર્કીંગ પોલીસ બુથ જેવી સેવાઓનો પ્રારંભ

પક્ષકારો-વકીલોને લાંબા સમયથી પડી રહેલી તકલીફોનો અંત આવશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29
વાપી ન્‍યાયાલયમાં આજે સોમવારે વિવિધ સેવાઓનો ઉદ્દઘાટન કાર્યક્રમ યોજાયો હતો. વલસાડ જિલ્લાની સૌથી વધુ વ્‍યસ્‍ત વાપી ન્‍યાયાલય છે તેથી કેન્‍ટીન, પાર્કીંગ જેવી સુવિધાઓની પક્ષકારો અને વકીલો દ્વારા માંગણી હતી તેથી આવી સુવિધાઓ આજે કાર્યવિંદ ડીસ્‍ટ્રીક જજશ્રીના હસ્‍તે લોકાર્પણ કરવામાં આવી હતી.
વાપી ન્‍યાયાલય વલસાડ જિલ્લાની સૌથી વ્‍યસ્‍ત કોર્ટ છે. અહીં સેસન્‍સ કોર્ટ કાર્યરત થયા બાદ પારડી, વાપી અને ઉમરગામ તાલુકાના કેસોની સુનાવણી આ કોર્ટમાં થાય છે. કોર્ટ પરિસરમાં પક્ષકારો અને વકીલો માટે પાર્કીંગ, કેન્‍ટીન જેવી સુવિધા હતી નહી તેથી આજે યોજાયેલ કાર્યક્રમમાં ડીસ્‍ટ્રીક જજશ્રી એન.કે. દવેના હસ્‍તે વિવિધ સેવાઓનુંઉદ્દઘાટન અને લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું. અહીં ક્‍યારેક જાહેર સલામતિ માટે એક પોલીસ બુથની પણ સેવાની જરૂરીયાત હતી. આ સેવા પણ ઉપલબ્‍ધ થઈ છે. જિલ્લા કાનૂની સેવા મંડળ અને વાપી બાર એસોસિએશનના સહયોગથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે રક્‍તદાન કેમ્‍પ પણ યોજાયો હતો.

Related posts

સેલવાસના આમળીથી બે યુવતિઓ ગુમ થઈ

vartmanpravah

કેબીએસ કોમસ એન્‍ડ નટરાજ સાયન્‍સ કોલેજમાં ડીજીટલ માર્કેટીંગ પર સેમીનાર યોજાયો

vartmanpravah

દમણમાં ડુપ્‍લીકેટ નંબર પ્‍લેટ સાથેની એક રેનોલ્‍ટ ડસ્‍ટર કાર જપ્ત : આરોપીની ધરપકડ

vartmanpravah

સેલવાસ પાલિકા વિસ્‍તારમાં વગર પરમીશને ઝંડા લગાવવામા આવશે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17 સેલવાસ નગરપાલિકા દ્વારા દાનહ નગર પરિષદ વિજ્ઞાપન પર કર, નિયમ 2018ના ખંડ 2ર્(ી)ની પરિભાષા મુજબ ધ્‍વજના માધ્‍યમ દ્વારા જાહેરાત પાલિકા વિસ્‍તારમા વગર પરમિશને નિષિદ્ધ છે. જેથી દરેકને સૂચિત કરવામા આવે છે કે કોઈપણ એજન્‍સી/સંસ્‍થા/વ્‍યક્‍તિ જે પાલિકા વિસ્‍તારમા ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન આપવા માંગે છે તેઓએ પાલિકાની પૂર્વ અનુમતિ લેવા અરજી કરવી પડશે.જેનો દર 1 રૂપિયા પ્રતિ દિન પ્રતિ સંખ્‍યા અધિસુચના સંખ્‍યા 10/9/18 અનુસાર છે. અવરજવર સબંધી ખતરો અને વીજળીના સંભવિત ખતરાને જોતા સુરક્ષા સુનિヘતિ કરવા માટે કોઈપણ વીજળીના થાંભલા પર ઝંડા લગાવવાની પરમીશન આપવામા આવશે નહિ. જો પાલિકા વિસ્‍તારમાં પાલિકાની પરમિશન વગર ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન અથવા પ્રચાર કરવામા આવશે તો કાર્યક્રમ આયોજક એજન્‍સી સંસ્‍થા વ્‍યક્‍તિને જવાબદાર ઠેરવવામા આવશે અને દાદરા નગર હવેલી નગર પરિષદ નિયમ 2018 અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

vartmanpravah

વલસાડ જિલ્લા સરકારી પુસ્‍તકાલયમાં બુધસભા દ્વારા રાષ્‍ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણી

vartmanpravah

વલસાડ ઔરંગા નદી બ્રિજ પાસે બેરીકેટમાં પીકઅપ ટેમ્‍પો ભટકાયો, મોટા વાહનોની અવરજવર થંભી ગઈ

vartmanpravah

Leave a Comment