(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07
દાદરા નગર હવેલીના બિન્દ્રાબિન ગામે આવેલ તડકેશ્વર મહાદેવ મંદિર સંસ્થાન દ્વારા 13મી ડિસેમ્બરને સોમવારના રોજ મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
જે સંદર્ભે 12મી ડિસેમ્બરને રવિવારના રોજ સવારે 9:00 વાગ્યે યજ્ઞ બાદમા 11:00 વાગ્યે શોભાયાત્રા કાઢવામા આવશે. 13મી ડિસેમ્બરના રોજ સવારે 9 : 00 વાગ્યાથી બપોરે એક વાગ્યા દરમ્યાન મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા બાદમાં ભાવિકભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામા આવેલ છે. તડકેશ્વર મહાદેવ મંદિર સંસ્થાનના ટ્રસ્ટીઓ દ્વારા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવા માટે ભાવભીનુ આમંત્રણ આપવામા આવ્યું છે.