Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહમાં છેલ્લા 24 કલાકમાં 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયાઃ 6 દર્દી રિક્‍વર થયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા. 10: દાદરા નગર હવેલીમાં આજે નવા 3 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. જ્‍યારે 6 દર્દી સાજા થતાં તેમને હોસ્‍પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પ્રદેશમાં હાલમાં કુલ 17 સક્રિય કેસ છે, અત્‍યાર સુધીમાં 6274કોરોના દર્દીઓ રિક્‍વર થઈ ચુકયા છે, જ્‍યારે ત્રણ વ્‍યક્‍તિના મોત થયેલ હોવાનું પ્રશાસનની અખબારી યાદી જણાવે છે. આજે પ્રદેશમાં આરટીપીસીઆરના 313 નમૂના લેવામાં આવ્‍યા હતા. જેમાંથી 3 વ્‍યક્‍તિના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્‍યા હતા અને રેપિડ એન્‍ટિજનના 151 નમૂના લેવામાં આવ્‍યા હતા, જેમાંથી કોઈપણ વ્‍યક્‍તિનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્‍યા ન હતો. જિલ્લામાં 3 નવા કન્‍ટાઈન્‍મેન્‍ટ ઝોન જાહેર કરાયા છે. દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા પીએચસી, સીએચસી સેન્‍ટરો પર અને સબસેન્‍ટરમાં વેક્‍સિનેશન કરવામાં આવ્‍યું હતું. જેમાં આજે 519 લોકોને કોરોના વિરોધી વેક્‍સિન આપવામાં આવી હતી. અત્‍યાર સુધી પ્રદેશમાં પ્રથમ ડોઝ 442929 અને બીજો ડોઝ 328104 વ્‍યક્‍તિઓને કોરોના વિરોધી વેક્‍સિનના ડોઝ આપવામાં આવ્‍યા છે. જ્‍યારે એક્‍વિપમેન્‍ટ ડોઝ 2706 જેટલા વ્‍યક્‍તિઓને આપવામાં આવ્‍યો છે. જિલ્લામાં કુલ 773739 વ્‍યક્‍તિઓને વેક્‍સિન આપવામાં આવી છે.

Related posts

દાનહમાં કૌશલ સંવર્ધન અને વિકાસ કાર્યક્રમ અંતર્ગત હેવી મોટર વેહિકલ ટ્રેનિંગનું ઉદ્‌ઘાટન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં ભાજપના મિશન શંખનાદનો આરંભઃ દમણ ખાતે યોજાઈ કાર્યશાળા

vartmanpravah

આજે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી તકેદારી જાગૃતિ સપ્તાહ નિમિત્તે કાર્યક્રમને સંબોધિત કરશે

vartmanpravah

રામજી મંદિર હોલ દુધિયા તળાવ ખાતે ‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ અંતર્ગત રૂા.૩૩.૫૮ કરોડના વિકાસકાર્યોનું ઇ- ખાતમુહૂર્ત અને ઈ – લોકાર્પણ કરતા નવસારી ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ

vartmanpravah

દમણ-દીવ અને દાદરા નગર હવેલીની આવનારી પેઢી ગુલામી અને મુક્‍તિના ઈતિહાસથી વંચિત રહેશે

vartmanpravah

નિર્માણ યોજનાઓની સ્વીકૃતિ ભવન અનુમોદન માટે દાનહ પીડીએ વિભાગ અને બેંક ઓફ બરોડા વચ્‍ચે એમઓયુ થયા

vartmanpravah

Leave a Comment