March 2, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહમાં છેલ્લા 24 કલાકમાં 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયાઃ 6 દર્દી રિક્‍વર થયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા. 10: દાદરા નગર હવેલીમાં આજે નવા 3 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. જ્‍યારે 6 દર્દી સાજા થતાં તેમને હોસ્‍પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પ્રદેશમાં હાલમાં કુલ 17 સક્રિય કેસ છે, અત્‍યાર સુધીમાં 6274કોરોના દર્દીઓ રિક્‍વર થઈ ચુકયા છે, જ્‍યારે ત્રણ વ્‍યક્‍તિના મોત થયેલ હોવાનું પ્રશાસનની અખબારી યાદી જણાવે છે. આજે પ્રદેશમાં આરટીપીસીઆરના 313 નમૂના લેવામાં આવ્‍યા હતા. જેમાંથી 3 વ્‍યક્‍તિના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્‍યા હતા અને રેપિડ એન્‍ટિજનના 151 નમૂના લેવામાં આવ્‍યા હતા, જેમાંથી કોઈપણ વ્‍યક્‍તિનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્‍યા ન હતો. જિલ્લામાં 3 નવા કન્‍ટાઈન્‍મેન્‍ટ ઝોન જાહેર કરાયા છે. દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા પીએચસી, સીએચસી સેન્‍ટરો પર અને સબસેન્‍ટરમાં વેક્‍સિનેશન કરવામાં આવ્‍યું હતું. જેમાં આજે 519 લોકોને કોરોના વિરોધી વેક્‍સિન આપવામાં આવી હતી. અત્‍યાર સુધી પ્રદેશમાં પ્રથમ ડોઝ 442929 અને બીજો ડોઝ 328104 વ્‍યક્‍તિઓને કોરોના વિરોધી વેક્‍સિનના ડોઝ આપવામાં આવ્‍યા છે. જ્‍યારે એક્‍વિપમેન્‍ટ ડોઝ 2706 જેટલા વ્‍યક્‍તિઓને આપવામાં આવ્‍યો છે. જિલ્લામાં કુલ 773739 વ્‍યક્‍તિઓને વેક્‍સિન આપવામાં આવી છે.

Related posts

બિહાર મુખ્‍યમંત્રી નિતીશકુમારની ડર્ટી સ્‍પીચના પડઘા વલસાડમાં પડયા : ભાજપે પુતળા દહન કાર્યક્રમ યોજ્‍યો

vartmanpravah

દાનહના બાલદેવી ગામમાં માટી ખનન સ્‍થળે મામલતદારે ટીમ સાથે રેડ પાડી બે ડમ્‍પર અને એક જેસીબી જપ્ત કર્યું

vartmanpravah

રેલવે અને પોસ્‍ટ વિભાગના સંયુક્‍ત સાહસથી ચાલતી પાર્સલ સુવિધા ઉમરગામમાં કાર્યરત કરવા યોજેલ કાર્યક્રમ

vartmanpravah

નિરાલી હોસ્‍પિટલ નવસારીના સહયોગથી નરોલી રાજપૂત સમાજ દ્વારા પ્રાર્થના ભવન ખાતેયોજાયો મેડીકલ કેમ્‍પ

vartmanpravah

તા.30મીએ સંચારી રોગ અટકાયત સમિતિની બેઠક મળશે

vartmanpravah

વલસાડના વશીયર ગામે ગેરેજમાં બે ગાડીઓમાં અચાનક આગ ભભુકતા દોડધામ મચી જવા પામી

vartmanpravah

Leave a Comment