(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.10
દાદરા નગર હવેલી એક્સાઇઝ વિભાગ દ્વારા નવા નિયમો મુજબ અનુસરતા નહીં હોય તેવા કેટલાક વાઇનશોપ અને બારને બંધ કરાવવામાં આવ્યા હતા. જે છ મહિના બાદ ફરી એક્સાઇઝ વિભાગ દ્વારા કેટલીક છૂટછાટ આપી બાર અને વાઇનશોપને ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ સેલવાસના સ્કાયહાઇટ્સ સોસાયટીના રહીશો દ્વારા જે વાઇનશોપ ચાલુ કરવામાં આવ્યો છે જેનો વિરોધ કરવામાં આવ્યો હતો. અહીં સ્થાનિક લોકોના ટોળાએં એકત્રીત થઈ સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ પીએસઆઈ શશીસિંગ અને એમની ટીમ પહોંચી જઈ લોકટોળાને સમજાવી, આપે જે કોઈ ફરિયાદ કરવી હોય તે કાલે એક્સાઇઝ વિભાગમાં જઈને કરવા કહ્યું હતું. ત્યારબાદમામલો શાંત થયો હતો.