Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

સેલવાસના સ્‍કાયહાઇટ્‍સ સોસાયટીના લોકોએ વાઇન શોપનો વિરોધ કર્યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.10
દાદરા નગર હવેલી એક્‍સાઇઝ વિભાગ દ્વારા નવા નિયમો મુજબ અનુસરતા નહીં હોય તેવા કેટલાક વાઇનશોપ અને બારને બંધ કરાવવામાં આવ્‍યા હતા. જે છ મહિના બાદ ફરી એક્‍સાઇઝ વિભાગ દ્વારા કેટલીક છૂટછાટ આપી બાર અને વાઇનશોપને ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ સેલવાસના સ્‍કાયહાઇટ્‍સ સોસાયટીના રહીશો દ્વારા જે વાઇનશોપ ચાલુ કરવામાં આવ્‍યો છે જેનો વિરોધ કરવામાં આવ્‍યો હતો. અહીં સ્‍થાનિક લોકોના ટોળાએં એકત્રીત થઈ સૂત્રોચ્‍ચાર કરી વિરોધ વ્‍યક્‍ત કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ પીએસઆઈ શશીસિંગ અને એમની ટીમ પહોંચી જઈ લોકટોળાને સમજાવી, આપે જે કોઈ ફરિયાદ કરવી હોય તે કાલે એક્‍સાઇઝ વિભાગમાં જઈને કરવા કહ્યું હતું. ત્‍યારબાદમામલો શાંત થયો હતો.

Related posts

પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા 500 વિદ્યાર્થીનીઓને સેલ્‍ફ ડિફેન્‍સ તાલીમ અપાઈ

vartmanpravah

નવસારી જિલ્લામાં વરસાદનું જોર ઘટતા નુકશાનીનો સત્વરે સર્વે કરી સહાય ચૂકવવા તાકિદ કરતાં પ્રભારી સચિવશ્રી

vartmanpravah

વાપી નજીકના પંડોરમાં અનોખો અનાવિલ સમાજનો સ્‍નેહ મિલન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પારડી ભેસલાપાડામાં ખોટી નંબર પ્‍લેટ કારમાં લગાવીને કથિત ગૌમાંસ હેરાફેરી કરતો એક ઝડપાયો : બે ફરાર

vartmanpravah

દાનહ જિ.પં.ના પ્રમુખ-ઉપપ્રમુખની વરણીમાં ભાજપના ચોક્કસ પદાધિકારીઓ દ્વારા થનારા મોટા ‘ખેલા’ સામે 11 જિ.પં. સભ્‍યોએ ખેંચેલી સીધી લાઈન

vartmanpravah

દમણ જિલ્લા ભાજપના બૂથ સશક્‍તિકરણ કાર્યક્રમનો આરંભઃ મંડળ સમિતિના સભ્‍યો સાથે યોજાયેલી બેઠક

vartmanpravah

Leave a Comment