April 25, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશ

આજે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી તકેદારી જાગૃતિ સપ્તાહ નિમિત્તે કાર્યક્રમને સંબોધિત કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવી દિલ્‍હી, તા.02 : પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી 3જી નવેમ્‍બરે વિજ્ઞાન ભવન, નવી દિલ્‍હીમાં સવારે 11 વાગ્‍યે સેન્‍ટ્રલ વિજિલન્‍સ કમિશન (CVC)ના તકેદારી જાગૃતિ સપ્તાહ નિમિત્તે કાર્યક્રમને સંબોધશે.
આ પ્રસંગે, પ્રધાનમંત્રી CVCના નવા ફરિયાદ વ્‍યવસ્‍થાપન સિસ્‍ટમ પોર્ટલને લોન્‍ચ કરશે. પોર્ટલની કલ્‍પના નાગરિકોને તેમની ફરિયાદોની સ્‍થિતિ અંગેનિયમિત અપડેટ દ્વારા અંતથી અંત સુધીની માહિતી પૂરી પાડવા માટે કરવામાં આવી છે. તે એથિક્‍સ એન્‍ડ ગુડ પ્રેક્‍ટિસીસ; જાહેર પ્રાપ્તિ પર ‘પ્રિવેન્‍ટિવ વિજિલન્‍સ’ અને વિશેષ અંક VIGEYE-VANI” પર શ્રેષ્ઠ પ્રયાસોનાં સંકલન પર સચિત્ર પુસ્‍તિકાઓની શ્રેણી પણ બહાર પાડશે. જીવનના તમામ ક્ષેત્રોમાં અખંડિતતાનો સંદેશ ફેલાવવા માટે તમામ હિતધારકોને સાથે લાવવા માટે CVC દર વર્ષે તકેદારી જાગૃતિ સપ્તાહનું અવલોકન કરે છે. આ વર્ષે, તે 31મી ઓક્‍ટોબરથી 6ઠ્ઠી નવેમ્‍બર સુધી નીચેની થીમ ‘વિકસિત રાષ્ટ્ર માટે ભ્રષ્ટાચાર મુક્‍ત ભારત’ સાથે મનાવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી તકેદારી જાગૃતિ સપ્તાહની ઉપરોક્‍ત થીમ પર CVC દ્વારા આયોજિત રાષ્ટ્રવ્‍યાપી નિબંધ સ્‍પર્ધા દરમિયાન શ્રેષ્ઠ નિબંધ લખનારા પાંચ વિદ્યાર્થીઓને ઇનામ પણ આપશે.

Related posts

મોટી દમણ વીવીઆઈપી સર્કિટ હાઉસ ખાતે આયોજીત એટ હોમ કાર્યક્રમમાં સંઘપ્રદેશ પ્રશાસન અને જનભાગીદારીથી પરિવર્તન સંભવ હોવાનો નગરજનોએ કરેલો પ્રત્‍યક્ષ અનુભવઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

મોટાપોંઢાની કોલેજમાં વીર નર્મદ જ્યંતિ અને વિશ્વ ગુજરાતી ભાષાની ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં સર્વગ્રાહી કુટુંબ આરોગ્‍ય સર્વે-2023નો પ્રારંભ: સર્વે માટે ત્રણેય જિલ્લાઓમાં તાલીમની થયેલી શરૂઆત

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતની સંપૂર્ણ ટીમ એનઆરએલએમના માધ્‍યમથી બહેનોને આત્‍મનિર્ભર બનાવવા પ્રતિબદ્ધ : દમણ જિ.પં.પ્રમુખ નવિનભાઈ પટેલ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પ્રદેશ કમિટીની નવનિયુક્‍ત ટીમનું દમણ જિલ્લા ભાજપે કરેલું સ્‍વાગત

vartmanpravah

સરીગામની આરતી ડ્રગ્‍સ લિમિટેડ કંપનીને મજબૂત પુરાવાના આધાર સાથે જીપીસીબીએ આપેલી ક્‍લોઝર

vartmanpravah

Leave a Comment