April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશ

આજે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી તકેદારી જાગૃતિ સપ્તાહ નિમિત્તે કાર્યક્રમને સંબોધિત કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવી દિલ્‍હી, તા.02 : પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી 3જી નવેમ્‍બરે વિજ્ઞાન ભવન, નવી દિલ્‍હીમાં સવારે 11 વાગ્‍યે સેન્‍ટ્રલ વિજિલન્‍સ કમિશન (CVC)ના તકેદારી જાગૃતિ સપ્તાહ નિમિત્તે કાર્યક્રમને સંબોધશે.
આ પ્રસંગે, પ્રધાનમંત્રી CVCના નવા ફરિયાદ વ્‍યવસ્‍થાપન સિસ્‍ટમ પોર્ટલને લોન્‍ચ કરશે. પોર્ટલની કલ્‍પના નાગરિકોને તેમની ફરિયાદોની સ્‍થિતિ અંગેનિયમિત અપડેટ દ્વારા અંતથી અંત સુધીની માહિતી પૂરી પાડવા માટે કરવામાં આવી છે. તે એથિક્‍સ એન્‍ડ ગુડ પ્રેક્‍ટિસીસ; જાહેર પ્રાપ્તિ પર ‘પ્રિવેન્‍ટિવ વિજિલન્‍સ’ અને વિશેષ અંક VIGEYE-VANI” પર શ્રેષ્ઠ પ્રયાસોનાં સંકલન પર સચિત્ર પુસ્‍તિકાઓની શ્રેણી પણ બહાર પાડશે. જીવનના તમામ ક્ષેત્રોમાં અખંડિતતાનો સંદેશ ફેલાવવા માટે તમામ હિતધારકોને સાથે લાવવા માટે CVC દર વર્ષે તકેદારી જાગૃતિ સપ્તાહનું અવલોકન કરે છે. આ વર્ષે, તે 31મી ઓક્‍ટોબરથી 6ઠ્ઠી નવેમ્‍બર સુધી નીચેની થીમ ‘વિકસિત રાષ્ટ્ર માટે ભ્રષ્ટાચાર મુક્‍ત ભારત’ સાથે મનાવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી તકેદારી જાગૃતિ સપ્તાહની ઉપરોક્‍ત થીમ પર CVC દ્વારા આયોજિત રાષ્ટ્રવ્‍યાપી નિબંધ સ્‍પર્ધા દરમિયાન શ્રેષ્ઠ નિબંધ લખનારા પાંચ વિદ્યાર્થીઓને ઇનામ પણ આપશે.

Related posts

રોટરી ક્‍લબ ભરૂચ દ્વારા દમણના સ્‍વામી વિવેકાનંદ કોલેજ ગ્રાઉન્‍ડ ખાતે કોર્પોરેટ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું કરાયેલું આયોજન

vartmanpravah

દમણના નવનિયુક્‍ત કલેક્‍ટર તપસ્‍યા રાઘવનું અભિવાદન કરતા સાંસદ લાલુભાઈ પટેલ

vartmanpravah

સામાજિક ઉત્થાન અને સદ્દભાવના કાર્યક્રમોમાં રાજ્ય સરકાર દ્વારા હંમેશા મદદરૂપ બનવાની ખાતરી આપતા મુખ્યમંત્રી

vartmanpravah

દમણના દલવાડા એરપોર્ટ રોડ ઉપર બે વર્ષ પહેલાં નશાની હાલતમાં તેજ ગતિ અને લાપરવાહીથી વાહન ચલાવનાર ચાલકને 7 વર્ષની કેદની સજા: દમણના સેશન જજ શ્રીધર એમ. ભોસલેએ આપેલો ચુકાદો

vartmanpravah

વાપી વીઆઈએ દ્વારા ભારતીય માનક બ્‍યુરો વિષયક અવેરનેસ સેમિનાર યોજાયો

vartmanpravah

દાનહમાં કોરોનાનો ઍકપણ કેસ નોંધાયો નથી: ૦૧ સક્રિય કેસ

vartmanpravah

Leave a Comment