August 31, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશ

આજે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી તકેદારી જાગૃતિ સપ્તાહ નિમિત્તે કાર્યક્રમને સંબોધિત કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવી દિલ્‍હી, તા.02 : પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી 3જી નવેમ્‍બરે વિજ્ઞાન ભવન, નવી દિલ્‍હીમાં સવારે 11 વાગ્‍યે સેન્‍ટ્રલ વિજિલન્‍સ કમિશન (CVC)ના તકેદારી જાગૃતિ સપ્તાહ નિમિત્તે કાર્યક્રમને સંબોધશે.
આ પ્રસંગે, પ્રધાનમંત્રી CVCના નવા ફરિયાદ વ્‍યવસ્‍થાપન સિસ્‍ટમ પોર્ટલને લોન્‍ચ કરશે. પોર્ટલની કલ્‍પના નાગરિકોને તેમની ફરિયાદોની સ્‍થિતિ અંગેનિયમિત અપડેટ દ્વારા અંતથી અંત સુધીની માહિતી પૂરી પાડવા માટે કરવામાં આવી છે. તે એથિક્‍સ એન્‍ડ ગુડ પ્રેક્‍ટિસીસ; જાહેર પ્રાપ્તિ પર ‘પ્રિવેન્‍ટિવ વિજિલન્‍સ’ અને વિશેષ અંક VIGEYE-VANI” પર શ્રેષ્ઠ પ્રયાસોનાં સંકલન પર સચિત્ર પુસ્‍તિકાઓની શ્રેણી પણ બહાર પાડશે. જીવનના તમામ ક્ષેત્રોમાં અખંડિતતાનો સંદેશ ફેલાવવા માટે તમામ હિતધારકોને સાથે લાવવા માટે CVC દર વર્ષે તકેદારી જાગૃતિ સપ્તાહનું અવલોકન કરે છે. આ વર્ષે, તે 31મી ઓક્‍ટોબરથી 6ઠ્ઠી નવેમ્‍બર સુધી નીચેની થીમ ‘વિકસિત રાષ્ટ્ર માટે ભ્રષ્ટાચાર મુક્‍ત ભારત’ સાથે મનાવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી તકેદારી જાગૃતિ સપ્તાહની ઉપરોક્‍ત થીમ પર CVC દ્વારા આયોજિત રાષ્ટ્રવ્‍યાપી નિબંધ સ્‍પર્ધા દરમિયાન શ્રેષ્ઠ નિબંધ લખનારા પાંચ વિદ્યાર્થીઓને ઇનામ પણ આપશે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દીવ જિલ્લાના વિકાસ કામોની વિવિધ પ્રોજેક્‍ટોના સ્‍થળે રૂબરૂ પહોંચી કરેલું તલસ્‍પર્શી નિરીક્ષણ

vartmanpravah

વાપી રાતા પાંજરાપોળમાંથી ચાર પશુઓની તસ્‍કરી કરનારા બે આરોપીને પોલીસે ઝડપી પાડયા

vartmanpravah

સેલવાસ દત્ત મંદિરમાં શ્રી દત્ત ભગવાનના અવતારની પાંચ મૂર્તિઓની કરાયેલી પ્રાણ પ્રતિષ્ઠા

vartmanpravah

મોદી સરકારના દિશા-નિર્દેશ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ વહીવટમાં દાનહમાં ‘રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન’ દ્વારા આપવામાં આવેલા જંગી ભંડોળથી મહિલા સમાજમાં સર્જાયેલો આનંદ અને ઉત્‍સાહનો માહોલ

vartmanpravah

દાનહઃ મારગપાડા પ્રાથમિક મરાઠી શાળામાં શિક્ષણ વિભાગ દ્વારા વાલીઓ માટે સંવાદ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

75માં પ્રજાસતાક દિનની ઉજવણીમાં વાપી કેબીએસ કોમર્સ એન્‍ડ નટરાજ પ્રોફેશનલ સાયંન્‍સીસ કોલેજમાં તિરંગો લહેરાયો

vartmanpravah

Leave a Comment