June 13, 2026
Vartman Pravah
Breaking Newsતંત્રી લેખદમણદીવદેશસેલવાસ

દાનહ-દમણ-દીવમાં અનુ.જાતિ / જનજાતિ વિદ્યાર્થીઓને નવા સત્રથી ફ્રી શિપ કાર્ડની સુવિધા શરૂ કરવા કલેક્‍ટર અને શિક્ષણ સચિવ સમક્ષ ગુલાબ રોહિતે કરેલી માંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.19
દાદરા નગર હવેલી ભાજપએસ.સી. મોર્ચાનાં ઉપાધ્‍યક્ષ શ્રી ગુલાબ રોહિત દાનહ-દમણ-દીવમાં અનુ.જાતિ / જનજાતિ પોસ્‍ટ મેટ્રિક સ્‍કૉલરશિપની ફ્રી શિપ કાર્ડ સુવિધા શરૂ કરવાની માંગ કરી છે. આદિવાસી બહુલ દાનહનાં કલેક્‍ટરશ્રીને લખેલ પત્રમાં અને શિક્ષણ સચિવને મોકલાવેલ પત્રની નકલમાં ભાજપ નેતા શ્રી ગુલાબ રોહિતે જણાવ્‍યું છે કે, કેન્‍દ્ર સરકારે વર્ષ 2020-2021માં ફ્રી શિપ કાર્ડ શરૂ કરેલ છે. ફ્રી શિપ કાર્ડ ધારક અનુ.જાતિ/જનજાતિ વિદ્યાર્થી કોઈપણ ફી ભર્યા વગર સરકારી અને બિનસરકારી સ્‍કૂલો/ કૉલેજો / યુનિવર્સિટીઓમાં મફત પ્રવેશ લઈ શકે છે. પ્રવેશ મળી ગયાં હોય તો તમામ ફી પરત મેળવી શકશે.
દાનહ-દમણ-દીવમાં ઘણાં પ્રતિભાશાળી અનુ.જાતિ / જનજાતિ વિદ્યાર્થીઓ પૈસાના અભાવે સારી સ્‍કૂલો, કૉલેજો, યુનિવર્સિટીઓમાં ભણવા વગર રહી જાય છે. એવા ગરીબ તેજસ્‍વી વિદ્યાર્થીઓને ફ્રી શિપ કાર્ડની સુવિધા મળે તો સારૂં ઉચ્‍ચ શિક્ષા મેળવી ભવિષ્‍ય ઉજ્જવળ બનાવી શકે છે. પડોશી રાજ્‍ય ગુજરાતમાં પણ ફ્રી શિપ કાર્ડની સુવિધા અનુ.જાતિ / જનજાતિ વિદ્યાર્થીઓને ઉપલબ્‍ધ છે. ત્‍યારે ભાજપ નેતા શ્રી ગુલાબ રોહિતે અનુ.જાતિ /જનજાતિ વિદ્યાર્થીઓનાં હિતમાં આવતાં સત્રથી ફ્રી શિપ કાર્ડની સુવિધા શરૂ કરવાની સાથે મેડિકલ, પેરામેડિકલ, નર્સિંગ, એન્‍જિનિયરિંગ, મેનેજમેન્‍ટ કૉલેજો, યુનિવર્સિટીઓમાં અનુસૂચિત વર્ગનીસીટો વધારવા, અનુ.જાતિ / જનજાતિ, આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને યુપીએસસી જેવી સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓની તૈયારી કરાવવા કોચિંગ ક્‍લાસની પણ સુવિધા શરૂ કરવાની વિનંતી કરવામાં આવી છે.

Related posts

ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ધરાસણા ખાતે ડીજીવીસીએલ પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ કરાયું

vartmanpravah

પારડીમાં થયેલ ચાર બંધ ઘરોની ચોરીનો ભેદ ઉકેલતી પોલીસ

vartmanpravah

શ્રી જય અંબે સૌરાષ્‍ટ્ર સિનીયર સીટીઝન ગ્રુપનો 13મા વર્ષમાં મંગળ પ્રવેશ: વાર્ષિક સામાન્ય સભા યોજાઈઃ પ્રમુખ તરીકે રમેશભાઈ સોજીત્રાની નિમણૂક કરાઈ

vartmanpravah

યુઆઇએ ચૂંટણી જંગમાં યુવા ઇન્‍ડસ્‍ટ્રીયલ ટીમને ટેક્‍સટાઇલ અને ગારમેન્‍ટ્‍સના ઉદ્યોગપતિઓએ જાહેર કરેલું સમર્થન

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી 27મી એપ્રિલે દમણમાં ચૂંટણી સભાને સંબોધશે

vartmanpravah

દમણ શહેરના વોર્ડ નં.11માં ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલની ચૂંટણીસભામાં કરાયો જીતનો જય જયકાર

vartmanpravah

Leave a Comment