March 2, 2026
Vartman Pravah
Breaking Newsતંત્રી લેખદમણદીવદેશસેલવાસ

દાનહ-દમણ-દીવમાં અનુ.જાતિ / જનજાતિ વિદ્યાર્થીઓને નવા સત્રથી ફ્રી શિપ કાર્ડની સુવિધા શરૂ કરવા કલેક્‍ટર અને શિક્ષણ સચિવ સમક્ષ ગુલાબ રોહિતે કરેલી માંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.19
દાદરા નગર હવેલી ભાજપએસ.સી. મોર્ચાનાં ઉપાધ્‍યક્ષ શ્રી ગુલાબ રોહિત દાનહ-દમણ-દીવમાં અનુ.જાતિ / જનજાતિ પોસ્‍ટ મેટ્રિક સ્‍કૉલરશિપની ફ્રી શિપ કાર્ડ સુવિધા શરૂ કરવાની માંગ કરી છે. આદિવાસી બહુલ દાનહનાં કલેક્‍ટરશ્રીને લખેલ પત્રમાં અને શિક્ષણ સચિવને મોકલાવેલ પત્રની નકલમાં ભાજપ નેતા શ્રી ગુલાબ રોહિતે જણાવ્‍યું છે કે, કેન્‍દ્ર સરકારે વર્ષ 2020-2021માં ફ્રી શિપ કાર્ડ શરૂ કરેલ છે. ફ્રી શિપ કાર્ડ ધારક અનુ.જાતિ/જનજાતિ વિદ્યાર્થી કોઈપણ ફી ભર્યા વગર સરકારી અને બિનસરકારી સ્‍કૂલો/ કૉલેજો / યુનિવર્સિટીઓમાં મફત પ્રવેશ લઈ શકે છે. પ્રવેશ મળી ગયાં હોય તો તમામ ફી પરત મેળવી શકશે.
દાનહ-દમણ-દીવમાં ઘણાં પ્રતિભાશાળી અનુ.જાતિ / જનજાતિ વિદ્યાર્થીઓ પૈસાના અભાવે સારી સ્‍કૂલો, કૉલેજો, યુનિવર્સિટીઓમાં ભણવા વગર રહી જાય છે. એવા ગરીબ તેજસ્‍વી વિદ્યાર્થીઓને ફ્રી શિપ કાર્ડની સુવિધા મળે તો સારૂં ઉચ્‍ચ શિક્ષા મેળવી ભવિષ્‍ય ઉજ્જવળ બનાવી શકે છે. પડોશી રાજ્‍ય ગુજરાતમાં પણ ફ્રી શિપ કાર્ડની સુવિધા અનુ.જાતિ / જનજાતિ વિદ્યાર્થીઓને ઉપલબ્‍ધ છે. ત્‍યારે ભાજપ નેતા શ્રી ગુલાબ રોહિતે અનુ.જાતિ /જનજાતિ વિદ્યાર્થીઓનાં હિતમાં આવતાં સત્રથી ફ્રી શિપ કાર્ડની સુવિધા શરૂ કરવાની સાથે મેડિકલ, પેરામેડિકલ, નર્સિંગ, એન્‍જિનિયરિંગ, મેનેજમેન્‍ટ કૉલેજો, યુનિવર્સિટીઓમાં અનુસૂચિત વર્ગનીસીટો વધારવા, અનુ.જાતિ / જનજાતિ, આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને યુપીએસસી જેવી સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓની તૈયારી કરાવવા કોચિંગ ક્‍લાસની પણ સુવિધા શરૂ કરવાની વિનંતી કરવામાં આવી છે.

Related posts

વાપી-વલસાડ સહિત ગુજરાતના શહેરોમાં નવરાત્રી અટકાવીને ખેલૈયાઓએ ભારતના ‘રતન’ રતન ટાટાને શ્રધ્‍ધાંજલી અર્પી

vartmanpravah

મહેસાણા વડસ્‍મા સત્‍સંગ સાકેતધામ ઈન્‍સ્‍ટિટયૂટની ઘટના : વલસાડ કચીગામની યુવતીની ફાર્મસી કોલેજમાં સહાધ્‍યાયીએ કરેલી હત્‍યાઃ આરોપીની ધરપકડ

vartmanpravah

વલસાડ જિલ્લામાં 19મીએ મોદીની બીજી જાહેર સભા યોજાશેઃ વાપીમાં રોડ શો- જૂજવામાં સભા

vartmanpravah

સેલવાસની પ્રમુખ વિહાર સોસાયટીમાં આવેલ દુકાનમાં ચોરી અને અન્‍ફ બે ફલેટમાં ચોરીનો થયેલો પ્રયાસ

vartmanpravah

નવસારી જિલ્લામાં પાક નુકશાનીનો સર્વે કામગીરી હાથ ધરાઇ

vartmanpravah

મોટી દમણ હિન્‍દુ સ્‍મશાન ભૂમિ ટ્રસ્‍ટના પ્રમુખ તરીકે ઈશ્વરભાઈ પટેલની કરાયેલી વરણી: મહામંત્રી પદે જેસલભાઈ પરમાર અને ટ્રસ્‍ટી તરીકે પ્રમોદભાઈ રાણાની નિયુક્‍તિ

vartmanpravah

Leave a Comment