(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) નવસારીઃતા.19
ભારત સરકારશ્રી દ્વારા ‘પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (PM-KISAN) યોજના’ વર્ષ-૨૦૧૯ થી અમલમાં મુકવામાં આવી છે. PM-KISAN યોજના હેઠળ ખેતીની જમીન ધરાવતા ખેડૂતપરીવારને વાર્ષિક રૂ.૬૦૦૦/- સહાય ૩(ત્રણ) સરખા હપ્તામાં ચુકવવાની જોગવાઇ કરવામાં આવેલી છે.
વર્તમાનમાં ભારત સરકારશ્રી દ્રારા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધી યોજના(PM-KISAN) હેઠળ લાભાર્થી ખેડૂતોને ફરજીયાત ‘ આધાર e-KYC ‘ કરાવવાનું થાય છે.આ માટેની ખેડૂતોએ નજીકના બાયોમેટ્રીક ઓથેન્ટીફિકેશન સુવિધા ધરાવતા કોમન સર્વિસ સેન્ટર (CSC) માં જઇ આધાર e-KYC કરાવી શકાશે જેનો ચાર્જ રૂા.૧૫/- લાભાર્થીએ આપવાનો રહેશે.
વધુમાં આગામી એપ્રિલ ૨૦૨૨ થી યોજનાનો લાભ ‘આધાર બેઝડ ‘ પેમેન્ટના અનુસાર કરવામાં આવશે. જેમાં લાભાર્થી ખેડૂતોનું જે બેન્ક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લીન્ક કરેલ હોય તે એકાઉન્ટમાં સહાયની રકમ ચુકવવામાં આવશે. જે ખેડૂત લાભાર્થીઓએ બેન્ક ખાતાને આધારકાર્ડ સાથે લીંક ન કરાવેલ હોય તેમણે સત્વરે તેમને લાગુ પડતી બેન્કનો સંપર્ક કરી ‘ આધાર સિડિંગ ‘ કરાવી લેવાનુ રહેશે.
વધુમાં ભારત સરકારશ્રી તથા રાજ્ય સરકારશ્રીની સુચના અનુસાર PM-KISAN યોજનાનો લાભ લેવા માટે ‘આધાર e-KYC ‘ અને બેંક ખાતા સાથે ‘આધાર સિડિંગ ‘ કરાવવુ ફરજીયાત હોય ખેડૂતોએ આધાર e-KYC અને બેંક ખાતા સાથે ‘આધાર સિડિંગ “કરાવી લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી નવસારીની યાદીમાં જણાવ્યુ છે.