January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધી યોજનાનો લાભ લેવા માટે  ખેડૂતોએ “આધાર e-KYC ” અને બેંક ખાતા “આધાર સિડિંગ” કરાવી લેવા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) નવસારીઃતા.19

ભારત સરકારશ્રી દ્વારા ‘પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (PM-KISAN) યોજના’ વર્ષ-૨૦૧૯ થી અમલમાં મુકવામાં આવી છે. PM-KISAN યોજના હેઠળ ખેતીની જમીન ધરાવતા ખેડૂતપરીવારને વાર્ષિક રૂ.૬૦૦૦/- સહાય ૩(ત્રણ) સરખા હપ્તામાં ચુકવવાની જોગવાઇ કરવામાં આવેલી છે.

વર્તમાનમાં ભારત સરકારશ્રી દ્રારા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધી યોજના(PM-KISAN) હેઠળ લાભાર્થી ખેડૂતોને ફરજીયાત ‘ આધાર e-KYC ‘  કરાવવાનું થાય છે.આ માટેની ખેડૂતોએ નજીકના બાયોમેટ્રીક ઓથેન્ટીફિકેશન સુવિધા ધરાવતા કોમન સર્વિસ સેન્ટર (CSC) માં જઇ આધાર  e-KYC  કરાવી શકાશે જેનો ચાર્જ રૂા.૧૫/- લાભાર્થીએ આપવાનો રહેશે.

વધુમાં આગામી એપ્રિલ ૨૦૨૨ થી યોજનાનો લાભ ‘આધાર બેઝડ ‘ પેમેન્ટના અનુસાર કરવામાં આવશે. જેમાં લાભાર્થી ખેડૂતોનું જે બેન્ક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લીન્ક કરેલ હોય તે એકાઉન્ટમાં સહાયની રકમ ચુકવવામાં આવશે. જે ખેડૂત લાભાર્થીઓએ બેન્ક ખાતાને આધારકાર્ડ સાથે લીંક ન કરાવેલ હોય તેમણે સત્વરે તેમને લાગુ પડતી બેન્કનો સંપર્ક કરી  ‘ આધાર સિડિંગ ‘   કરાવી લેવાનુ રહેશે.

વધુમાં ભારત સરકારશ્રી તથા રાજ્ય સરકારશ્રીની સુચના અનુસાર PM-KISAN યોજનાનો લાભ લેવા માટે  ‘આધાર e-KYC ‘ અને બેંક ખાતા સાથે ‘આધાર સિડિંગ ‘  કરાવવુ ફરજીયાત હોય ખેડૂતોએ  આધાર e-KYC  અને બેંક ખાતા સાથે ‘આધાર સિડિંગ “કરાવી લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી નવસારીની યાદીમાં જણાવ્યુ છે.

Related posts

દમણ જિલ્લા ભાજપ સંગઠન પર્વ-2024ના ચૂંટણી અધિકારી તરીકે દમણના તેજતર્રાર યુવા નેતા વિમલ પટેલની કરેલી નિમણૂક

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા કરાયેલા લોક કલ્‍યાણના અનેક કામોથી દાનહ લોકસભા બેઠક ઉપર ઝડપથી બદલાઈ રહેલા સમીકરણોઃ ભાજપ માટે એડવાન્‍ટેજનું વાતાવરણ

vartmanpravah

ચીખલી-ખેરગામ તાલુકામાં સામી દિવાળીએ માર્ગ મકાન વિભાગ દ્વારા 25 રસ્‍તાઓનું નવીનીકરણ કરાતા લોકોમાં રાહત

vartmanpravah

હવે વલસાડ જિલ્લાની વિધાનસભા ચૂંટણી બાદ જાન્‍યુઆરીમાં યોજાનાર ત્રણ નગરપાલિકા ચૂંટણીનું રાજકારણ ગરમાશે

vartmanpravah

વાપીમાં સાબરકાંઠા પંચાલ સેવા સમિતિ દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

ઈચ્‍છાપૂર્તિ કરનારા મંત્રો છે પણ ઈચ્‍છા પૂર્તિ ને ઈચ્‍છા મુક્‍તિ તો મહામંત્ર નવકાર કરે : યશોવર્મસૂરિજી

vartmanpravah

Leave a Comment