Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસની લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલમાં સમ્રાટ પૃથ્‍વીરાજ ચૌહાણની જન્‍મ જયંતિ ઉજવાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.01
આજે સેલવાસની લાયન્‍સ ઈંગ્‍લીશ મીડીયમ શાળા પરિસરમાં સમ્રાટ પૃથ્‍વીરાજ ચૌહાણની જન્‍મ જયંતિ ઉજવવામાં આવી હતી. જેની શરૂઆત દીપ પ્રાગટય કરી કરવામાં આવી હતી.
આ પ્રસંગે લાયન્‍સ ક્‍લબ ઓફ સિલવાસા ચેરીટેબલ ટ્રસ્‍ટના ચેરમેન શ્રી ફત્તેહસિંહ ચૌહાણે સમ્રાટ પૃથ્‍વીરાજ ચૌહાણની વીરતા અને એમના જીવન અંગે જાણકારી આપી હતી અને સમાજમાં ફેલાયેલી વિકળતિઓને દૂર કરવા અને એકજૂટ કરવા જોર આપ્‍યું. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, કે સમ્રાટ પૃથ્‍વીરાજ ચૌહાણ ભારતવર્ષના છેલ્લા સમ્રાટ હતા.
કાર્યક્રમ દરમ્‍યાન સમ્રાટ પૃથ્‍વીરાજ ચૌહાણની વીરતાને કવિતાઓ અને વક્‍તવ્‍યનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. આ અવસરે લાયન્‍સ ક્‍લબ ઓફ સિલવાસા ચેરીટેબલ ટ્રસ્‍ટના વાઇસ ચેરમેન શ્રી એડી નિકમ, સેક્રેટરી શ્રી એ.નારાયણન, ટ્રેઝરર શ્રીવિશ્વેશ દવે તથા શાળા અને કોલેજનો સ્‍ટાફ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી રોફેલબીબીએ-બીસીએ કોલેજના પોફેસર નમ્રતા ખીલોચિયાને પીએચડી પદવી એનાયત

vartmanpravah

પારડી હાઇવે સ્‍થિત ફાઉન્‍ટેન હોટલની સામે એક વિશાળકાય અજગર નજરે ચઢતા સર્વિસ રોડ પર ટ્રાફિક થઈ ગઈ

vartmanpravah

સેલવાસ રેડક્રોસના દિવ્‍યાંગ બાળકો દ્વારા રક્ષાબંધન તહેવાર નિમિતે રાખડી તૈયાર કરી સ્‍ટોલ શરૂ કરાયો

vartmanpravah

દાદરા નગર હવેલીમાં યુવા કોંગ્રેસના પ્રદેશ જિલ્લા વોર્ડ અને પંચાયત કમિટીઓનું થશે પુનર્ગઠન

vartmanpravah

વાપી-વલસાડ સહિત ગુજરાતના શહેરોમાં નવરાત્રી અટકાવીને ખેલૈયાઓએ ભારતના ‘રતન’ રતન ટાટાને શ્રધ્‍ધાંજલી અર્પી

vartmanpravah

રેંટલાવ ઓવર બ્રિજ પર અજાણ્‍યા વાહન ચાલકે મોટર સાયકલને અડફટે લેતા બે યુવાનોના મોત

vartmanpravah

Leave a Comment