October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રેંટલાવ ઓવર બ્રિજ પર અજાણ્‍યા વાહન ચાલકે મોટર સાયકલને અડફટે લેતા બે યુવાનોના મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.29: કપરાડા તાલુકાના રોહિયાળ જંગલ મોર ચવડા ફળિયા ખાતે રહેતા રતનભાઈ રાજીયાભાઈ ધનગરા પારડી તળાવમાં પડાવ નાંખી ખેતી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે.
તારીખ 28.5.2024 ના રોજ વાપી ખાતે કેરી પાડવાનું કામ કરતા પોતાના મોટા પુત્ર ચેતને પિતા રતનભાઈને સાંજે મળવા આવવાનું જણાવી પોતાના બે મિત્રો સાથે ત્રણેય જણા વાપી નામધાથી પોતાની યુનિકોન મોટરસાયકલ નંબર જીજે 15 ડીક્‍યુ 4875 લઈ ચેતન રતનભાઈ ધનગરા ઉંમર વર્ષ 21 રહે.રોહિયાળ જંગલ, મોર ચવડા ફળિયા, કપરાડા, 2.મણિલાલ શીવાભાઈ કોંગીલ ઉંમર વર્ષ 23 રહે.રોહિયાળ જંગલ, મોર ચવડા ફળિયા, કપરાડા, 3.નિલેશ સુભાષભાઈ બામને ઉંમર વર્ષ 21 રહે.ચિંચવહળ ગામ, બેરીપાડા, ત્રંબકેશ્વર, નાશિક ત્રણેય મિત્રો પારડી પિતા રતનભાઈને મળવા આવ્‍યા હતા. પરંતુ પિતા રતનભાઈ બજારમાં ગયા હોય ત્રણેય મિત્રો પરતનામધા આવવા માટે રવાના થયા હતા આ દરમિયાન રેટલાવ પોલીસ ચોકીનો ઓવરબ્રિજ ઉતરતા વલસાડથી વાપી તરફ જતા હાઈવે નંબર 48 પર કોઈ અજાણ્‍યા વાહન ચાલકે પુરપાટ ઝડપે અને ગફલત ભરી રીતે વાહન હંકારી યુનિકોન મોટરસાયકલને અડફતે લેતા ચેતનભાઈને પેટ તથા શરીરના ભાગે ગંભીર ઈજા થતાં સ્‍થળ પર જ મોત નિપજ્‍યું હતું. આમ પિતાને મળવા આવેલ પુત્રને પિતા તો મળ્‍યા ન હતા પરંતુ મોત મળ્‍યું હતું. એવી જ રીતે નિલેશને પણ જમણા પગે તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતા વલસાડ સિવિલ હોસ્‍પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્‍યું હતું. જ્‍યારે મણિલાલભાઈનો ચમત્‍કારિક બચાવ થયા હતો. પિતા રતનભાઈએ પુત્ર ચેતનની લાશ ઓરવાડ પીએસસી ખાતે તથા નિલેશની લાશ વલસાડ સિવિલ ખાતે પી.એમ.માં મુકયા બાદ ચમત્‍કારિક રીતે બચી ગયેલ મણીલાલભાઈ સાથે આવી અજાણ્‍યા વાહન ચાલક વિરુદ્ધ પારડી પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Related posts

દાદરાની સરલા પર્ફોર્મન્‍સ ફાઇબર્સ કંપનીના કર્મચારીઓએ પગાર વધારા સહિતના વિવિધ મુદ્દે જિલ્લા કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

બુધવારે મોટી દમણના પટલારાના ભીખી માતાજી અને હરી હરેશ્વર મહાદેવ મંદિરનો પાંચમો પાટોત્‍સવ યોજાશે

vartmanpravah

વાપી-દમણના સર્વોદય સેવક પદ્મશ્રી ગફુરભાઈ બિલખીયાનું વાપી સ્‍પંદન પરિવાર દ્વારા કરાયેલું સન્‍માન

vartmanpravah

ધરમપુરમાં બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબોડકરની પુણ્‍યતિથિની ઉજવણી કરાઈ

vartmanpravah

જિલ્લા પ્રશાસન દ્વારા આદિવાસી સમાજના સહયોગથી આયોજીત ‘વિશ્વ આદિવાસી દિવસ’ના સમારંભમાં દમણ જિલ્લાના આદિવાસી સમાજે એકતા શિસ્‍ત અને ખેલદિલીનો આપેલો પરિચય

vartmanpravah

દમણ ન.પા. અને જિ.પં.ના અધ્‍યક્ષોએ દમણવાડા અને પરિયારી ગ્રા.પં. વિસ્‍તારમાં ચાલી રહેલી વિવિધ યોજનાઓના લાભાર્થી સાથે કરેલી મુલાકાત

vartmanpravah

Leave a Comment