(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.21: વાપીની રોફેલના બીબીએ-બીસીએ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા પ્રો.નમ્રતા મણીલાલ ખીલોચિયાને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ એન્ડ ઈન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ વિભાગના પ્રોફેસર ડો.વિનોદ બી. પટેલના માર્ગદર્શન હેઠળ સંશોધન કાર્ય પૂર્ણ કરી રજૂ કરેલા મહાશોધ નિબંધ ‘‘A STUDY AS WORK LIFE BALANCE (WLB) AMONG WOMAN EMPLOYEES IN SERVICE SECTOR WITH SPECIAL”ને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ માન્ય રાખી પીએચ.ડી.ની પદવી એનાયત કરી છે. રોફેલ કોલેજ પરિવાર તરફથી એમને શુભેચ્છા પાઠવવામાં આવી છે.