October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી-વલસાડ સહિત ગુજરાતના શહેરોમાં નવરાત્રી અટકાવીને ખેલૈયાઓએ ભારતના ‘રતન’ રતન ટાટાને શ્રધ્‍ધાંજલી અર્પી

રતન ટાટાનું પારસી તિર્થધામ ઉદવાડા માટે મોટું યોગદાન રહ્યું હતું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: ભારત દેશ માટે બુધવારે રાતે શોક અને આઘાત આપતા સમાચાર મળ્‍યા હતા. દેશના મહાન ઉદ્યોગપતિ અને ટાટા સામ્રાજ્‍યના હામી એવા રતન ટાટાનું મુંબઈ બિચકેન્‍ડી હોસ્‍પિટલમાં અવસાન થયું હતું. રતન ટાટા ભારત દેશનું રતન હતા. સમાચાર બાદ આખો દેશ શોકમગ્ન બન્‍યો હતો. સોશિયલ મીડિયાથી લઈ ન્‍યુઝ ચેનલમાંરતન ટાટા માટે અકલ્‍પનીય શ્રધ્‍ધાંજલી દોર શરૂ થઈ ગયો હતો તે મધ્‍યે વાપી, વલસાડ સહિત ગુજરાતના નાાન મોટા શહેરોમાં નવરાત્રી થોભાવીને મહાન ઉદ્યોગપતિ રતન ટાટાને ખેલૈયાઓએ શ્રધ્‍ધાંજલી પાઠવી હતી. રતન ટાટાનું પારસી તિર્થધામ ઉદવાડા માટે પણ મોટુ યોગદાન રહ્યું હતું.
રતન ટાટાના અકાળે અવસાનના સમાચારની અસર નવરાત્રી મહોત્‍સવોમાં પણ જોવા મળી હતી. વલસાડ ગોકુલ ગૃપ સહિત વાપી સહિત ગુજરાતના અનેક શહેરોમાં નવરાત્રી અટકાવીને ખેલૈયાઓએ દિવંગત પદ્મવિભૂષણ અને મહાન ઉદ્યોગપતિ રતન ટાટાને ભાવભરી શ્રધ્‍ધાંજલી આપવામાં આવી હતી. ભારત ભરમાં અનેક ક્ષેત્રોમાં વિશ્વસનીય ટાટા બ્રાન્‍ડ ઉભી કરનારા મુઠ્ઠી ઉચેરા ઉદ્યોગપતિ રતન ટાટાની ખોટ કાયમ માટે ભારત દેશને રહેશે.

Related posts

સમરોલીમાં લાકડાનો જથ્‍થો ભરેલ ટ્રેલર રોડની બાજુમાં ઉતરી ગયું

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા. 16 ઓક્ટોબરે લેવાનારી જીપીએસસીની પરીક્ષા અંગે કલેકટર ક્ષિપ્રા આગ્રેએ બેઠક યોજી, તટસ્થ રીતે કામગીરી કરવા સૂચના આપી

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને ટ્રક ડ્રાઈવરોની સૂચિત હડતાળ મુદ્દે બેઠક મળી

vartmanpravah

વાપી સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં લાઈફ સેવીંગ વ્‍યાખ્‍યાન, ટ્રેનિંગ યોજાઈ

vartmanpravah

વાપી એલ.જી હરિયા સ્‍કૂલમાં વિશ્વ પૃથ્‍વી દિવસની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

સેલવાસ ન.પા.ના અધ્‍યક્ષ રાકેશસિંહ ચૌહાણે વિવિધ સોસાયટીના રહેવાસીઓને પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા કરેલું આહ્‌વાન

vartmanpravah

Leave a Comment