September 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી-વલસાડ સહિત ગુજરાતના શહેરોમાં નવરાત્રી અટકાવીને ખેલૈયાઓએ ભારતના ‘રતન’ રતન ટાટાને શ્રધ્‍ધાંજલી અર્પી

રતન ટાટાનું પારસી તિર્થધામ ઉદવાડા માટે મોટું યોગદાન રહ્યું હતું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: ભારત દેશ માટે બુધવારે રાતે શોક અને આઘાત આપતા સમાચાર મળ્‍યા હતા. દેશના મહાન ઉદ્યોગપતિ અને ટાટા સામ્રાજ્‍યના હામી એવા રતન ટાટાનું મુંબઈ બિચકેન્‍ડી હોસ્‍પિટલમાં અવસાન થયું હતું. રતન ટાટા ભારત દેશનું રતન હતા. સમાચાર બાદ આખો દેશ શોકમગ્ન બન્‍યો હતો. સોશિયલ મીડિયાથી લઈ ન્‍યુઝ ચેનલમાંરતન ટાટા માટે અકલ્‍પનીય શ્રધ્‍ધાંજલી દોર શરૂ થઈ ગયો હતો તે મધ્‍યે વાપી, વલસાડ સહિત ગુજરાતના નાાન મોટા શહેરોમાં નવરાત્રી થોભાવીને મહાન ઉદ્યોગપતિ રતન ટાટાને ખેલૈયાઓએ શ્રધ્‍ધાંજલી પાઠવી હતી. રતન ટાટાનું પારસી તિર્થધામ ઉદવાડા માટે પણ મોટુ યોગદાન રહ્યું હતું.
રતન ટાટાના અકાળે અવસાનના સમાચારની અસર નવરાત્રી મહોત્‍સવોમાં પણ જોવા મળી હતી. વલસાડ ગોકુલ ગૃપ સહિત વાપી સહિત ગુજરાતના અનેક શહેરોમાં નવરાત્રી અટકાવીને ખેલૈયાઓએ દિવંગત પદ્મવિભૂષણ અને મહાન ઉદ્યોગપતિ રતન ટાટાને ભાવભરી શ્રધ્‍ધાંજલી આપવામાં આવી હતી. ભારત ભરમાં અનેક ક્ષેત્રોમાં વિશ્વસનીય ટાટા બ્રાન્‍ડ ઉભી કરનારા મુઠ્ઠી ઉચેરા ઉદ્યોગપતિ રતન ટાટાની ખોટ કાયમ માટે ભારત દેશને રહેશે.

Related posts

વાપી ગુંજનમાંથી ફોન સ્‍નેચિંગ કરતા બે લબર મુછીયા ઝડપાયા : મોપેડ અને ત્રણ મોબાઈલ પોલીસે જપ્ત કર્યો

vartmanpravah

આયુષ્‍યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના સાથે જોડાવા માટે એક મહિનો બાકી છે

vartmanpravah

કમોસમી વરસાદ તથા સાફ-સફાઈના અભાવે સેલવાસમાં વધી રહેલો મચ્‍છરોનો ઉપદ્રવઃ તંત્ર દ્વારા દવાનો છંટકાવ કરવો જરૂરી

vartmanpravah

વલસાડ સિવિલમાં મૃત નવજાત શિશુને તરછોડી રફુચક્કર થઈ ગયેલી નિષ્‍ઠુર માતા ડુંગરાથી ઝડપાઈ

vartmanpravah

કૌંચા ગ્રામ પંચાયતના તમામ ગામોમાં ‘‘સરકાર આપકે દ્વાર” શિબિર યોજાઈ

vartmanpravah

પ્રદેશ લઘુમતી મોરચાની દમણ ખાતે યોજાયેલી બેઠક : લઘુમતી મોરચાના પ્રદેશ પ્રભારી યુનુસ તલતે આપેલું સંગઠનાત્‍મક માર્ગદર્શન

vartmanpravah

Leave a Comment