April 21, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વલસાડ નંદવાલા ગામે પેપર-પસ્‍તીના ગોડાઉનમાં ભિષણ આગ લાગી : લાખોનો સામાન ખાખ

લક્ષ્મી ઓલ્‍ડ પેપરઅને પ્રમાણિક પ્‍લાસ્‍ટીક એન્‍ડ પસ્‍તીના ગોડાઉનમાં લાગેલી આગ છ કલાકની જહેમત બાદ બુઝાવાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: વલસાડના નંદવાલા ગામે આવેલ એક પસ્‍તી અને ભંગારના ગોડાઉનમાં આજે શુક્રવારે વહેલી સવારે અચાનક ભિષણ આગ લાગતા અફરા તફરી મચી ગઈ હતી.
વલસાડના નંદવાલા ગામે શિવ એસ્‍ટેટમાં લાડલી હોટલના પાછળના ભાગે શ્રી લક્ષ્મી ઓલ્‍ડ પેપર અને પ્રમાણિક પ્‍લાસ્‍ટીક એન્‍ડ પસ્‍તી નામના ભંગારના ગોડાઉન કાર્યરત છે. આજે વહેલી સવારે શોર્ટ સર્કિટ થવાથી ભિષણ આગ લાગી હતી. પ્‍લાસ્‍ટીક અને પેપરનો ભંગાર સંગ્રહાયેલો હોવાથી આગે જોતજોતામાં ભિષણ રૂપ ધારણ કરી લીધું હતું. લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરતા બે ફાયર ફાઈટર ઘટના સ્‍થળે ધસી જઈને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. છ એક કલાકની જહેમત બાદ માંડ માંડ આગ પર કાબુ કરી લેવાયો હતો. જો કે આગમાં અન્‍ય કોઈ જાનહાની થવા પામી નહોતી. આગ લાગવાનું કારણ એફ.એસ.એલ.ના રીપોર્ટ બાદ પ્રોપર જાણી શકાશે. ઘટના અંગે ગોડાઉન માલિક ગીરીશભાઈ બચુભાઈ ઠક્કરે રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આગમાં 20 લાખ ઉપરાંતનું નુકશાન થવાની ચર્ચાઓ ચાલતી હતી.

Related posts

સાયલી નહેર નજીકથી યુવતીની લાશ મળી આવતા ચકચાર

vartmanpravah

પારડીની એન.કે.દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજમાં પ્રાથમિક ઉપચાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સરીગામમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્‍ય ઉજવણી : તમામ આદિવાસી જાતિ એક મંચ પર

vartmanpravah

પારડીમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યકર સંમેલનનું થયેલું આયોજન

vartmanpravah

વલસાડના ધારાસભ્‍ય ભરતભાઈ પટેલ દ્વારા શ્રી ચંદ્રમોલિશ્વર મહાદેવજી મંદીર ખાતે સ્‍નેહમિલન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા ‘રન ફોર યુનિટી’ અંતર્ગત એકતા દોડ યોજાઈ

vartmanpravah

Leave a Comment