April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીને વધાવવા દાનહ-દમણ સજીધજીને તૈયારઃ પ્રદેશમાં બીજી દિવાળીનો માહોલ

આજે સમી સાંજે દાનહ અને દમણના નાગરિકો પોતાના ઘરે દિવા પ્રગટાવી પોતાના હૃદય સમ્રાટ બનેલા નેતા અને પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી પ્રત્‍યે આદર વ્‍યક્‍ત કરશે

ઠેર ઠેર રંગોળી કરી પોતાના ઘરે આનંદ-ઉત્‍સવ મનાવતા લોકો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.23 : મંગળવારના 25મી એપ્રિલના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની સેલવાસ અને દમણ મુલાકાતને વધાવવા માટે પ્રદેશના લોકો સ્‍વયંભૂ થનગની રહ્યા છે. આજે મુલાકાતના બે દિવસ પહેલાં દમણ અને દાદરા નગર હવેલીમાં દિવાળી જેવો માહોલ પોતાના પ્રિય નેતાને વધાવવા માટે બની ચુક્‍યો છે. ઠેર ઠેર લાઈટિંગ, રંગરોગાન અને સફાઈથી ચમકતા બનેલા દમણ અને દાદરા નગર હવેલીના તમામ રસ્‍તા, તમામ ગામ, તમામ ફળિયા અને તમામ શેરીઓ મોદીમય બની ચુકી છે.
આવતી કાલે પ્રધાનમંત્રીશ્રીની સેલવાસ અને દમણ મુલાકાતની પૂર્વ સંધ્‍યાએ પ્રદેશના નાગરિકો પોતપોતાના ઘરે દિવા પ્રગટાવી દિવાળી મનાવવાનો સંકલ્‍પ પણ લઈ ચુક્‍યા છે અને આજથી જ ઘરના આંગણામાં સાથિયા પાડી પોતાના હૃદય સમ્રાટ બનેલા વિશ્વના નેતા અને દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને સત્‍કારી રહ્યા છે.અત્રે નોંધનીય છે કે, દેશમાં મોદી સરકારના ગઠન બાદ મે, 2014થી દાદરા નગર હવેલી અને દમણ-દીવના ભાગ્‍યના પલટવાની પણ શરૂઆત થઈ હતી. આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં છેલ્લા 9 વર્ષ દરમિયાન હજારો કરોડ રૂપિયાના વિકાસકામો થયા છે અને પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદી 25મી એપ્રિલના રોજ દાદરા નગર હવેલી અને દમણ-દીવના રૂા.4800 કરોડ કરતા વધુ રકમના વિકાસ કામોનું ઉદ્‌ઘાટન અને ભૂમિપૂજન કરવાના છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવના રહેવાસીઓનું ભવિષ્‍ય સલામત કરવા માટે ભારત સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસને અનેક પહેલ કરી છે. જેમાં શિક્ષણ, આરોગ્‍ય, ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર, પ્રવાસન, કાયદો અને વ્‍યવસ્‍થા, પારદર્શક અને ગતિશીલ શાસન પધ્‍ધતિ વગેરેના અમલથી અહીંના લોકોના જીવન-ધોરણમાં મોટું પરિવર્તન આવી શક્‍યું છે. દેશના ટચૂકડા એવા કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રત્‍યે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના રહેલા અપાર સ્‍નેહના કારણે અસંભવમાં અસંભવ કામો પણ સંભવ બની શક્‍યા છે. આથી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને સત્‍કારવા માટે દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ઘેલો બન્‍યો છે.

Related posts

સરીગામ સીતારામ ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટની પ્રશંસનીય શિક્ષણલક્ષી કામગીરીથી ગરીબ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં છવાયેલી ખુશી

vartmanpravah

પારડીના તમામ સાતવોર્ડમાં પુષ્‍પાંજલિ તથા વક્‍તવ્‍ય દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્‍યાયની જન્‍મ જયંતિની ઉજવણી

vartmanpravah

ભિલાડ નજીકના ઝરોલીમાં ત્રાટકેલા ચાર લૂંટારૂ

vartmanpravah

નુમા ઈન્‍ડિયા અકાદમી, દમણના બે વિદ્યાર્થીઓની ‘ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ’ માટે થયેલી પસંદગીઃ ઉજ્જૈન જવા રવાના

vartmanpravah

દમણના ખેડૂતો બિયારણ અને ખેતી સંબંધિત ચીજવસ્‍તુઓ સબસીડીના દરે લેવા ઈચ્‍છનારા જિ.પં.ના કૃષિ વિભાગનો સંપર્ક કરે

vartmanpravah

દીવ વિસ્‍તારમાં બે જગ્‍યાએ લાગેલી આગ

vartmanpravah

Leave a Comment