August 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મુંબઈની હેર આર્ટિસ્‍ટ નૈના મહંતની હત્‍યામાં આવ્‍યો નવો વળાંક: પૂર્વ પ્રેમી મનોહરે પત્‍ની સાથે મળી 2019 માં કરી હતી નૈનાને મારી નાખવાની કોશિશ

કેસ પરત ખેંચવા મનોહર કરી રહ્યો હતો દબાણ :
નેનાએ કેસ પરત ન ખેંચતા કરી નાખી હત્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.15: મુંબઈના વસઈ-નાયગાંવ ખાતે રહેતી અને ફિલ્‍મ ઈન્‍ડસ્‍ટ્રીમાં હેર આર્ટિસ્‍ટ એવી નૈના મહંતના ફિલ્‍મ ઈન્‍ડસ્‍ટ્રીમાં જ ડ્રેસ આર્ટિસ્‍ટ એવા મનહર શુક્‍લા સાથે સંબંધ હતા પરંતુ મનોહરે ચૂપચાપ ચોરી છૂપીથી 2018 માં પોતાના ગામ જઈ અન્‍યસ્ત્રી સાથે લગ્ન કરી લીધા હતા જેને લઈ બંને વચ્‍ચે બોલાચાલી થતી હતી.
2019 માં મનોહર અને તેની પત્‍ની નૈનાને તુંગારેશ્વર મંદિર લઈ ગયા હતા. જ્‍યાં તેનો મોબાઈલ લઈ ખોવાઈ ગયો હોવાનું જણાવ્‍યું હતું. અને મોટરસાયકલ પર પરત ફરતી વખતે મનહરની પત્‍નીએ પાછળ બેસેલ નૈનાને ચાલુ મોટર સાયકલે બાલ પકડી નીચે પાડી દઈ તેને ઘસડી ઈજાગ્રસ્‍ત કરી ખાડીમાં ફેંકી દઈ મોટો પથ્‍થર માથા પર મારી મારી નાખવાની કોશિશ કરી હતી.
આ અંગેનો કેસ નૈનાએ મુંબઈ પોલીસ સ્‍ટેશનમાં નોંધાવતા મનહર શુક્‍લાની ધરપકડ પણ થઈ હતી પરંતુ એક મહિનાની સજા ભોગવ્‍યા બાદ તે જામીન પર છૂટી ગયો હતો. જામીન પર છુટયા બાદ મનોહર નૈનાનેકેસ પરત ખેંચી લેવા દબાણ કરતો હતો અને વારંવાર ધમકીઓ આપી બ્‍લેકમેલ પણ કરતો હતો પરંતુ નૈનાએ કેસ પરત ન ખેંચતા આખરે મનોહરે તેની પત્‍ની સાથે મળી નૈનાની હત્‍યા કરી તેની લાસ પારડીના બાલદા જીઆઈડીસી બુલેટ ટ્રેન બ્રિજની બાજુમાં નાખી દીધી હતી.
આ વાતને એક મહિના જેટલો સમય થઈ ગયો હોવા છતાં હજુ સુધી પોલીસ દ્વારા યોગ્‍ય પગલાં ન લેવાતા મુંબઈ પોલીસની કામગીરી ખૂબ ધીમી હોવાનું નૈનાની બહેન જયાએ જણાવ્‍યું હતું અને સાથે સાથે ભારતમાં મહિલાનું સ્‍થાન પહેલા નંબર હોય વિદેશ જેવા કડક કાયદાઓ બનાવી તેનું અમલ થશે તો જ મહિલા સુરક્ષા રહેશે હોવાનું આક્રોશ ઠાલવ્‍યો હતો.

Related posts

પારડી શહેર કોંગ્રેસ દ્વારા પારડી નગર પાલિકાના વહીવટદાર અને મામલતદારને આપવામાં આવેલું આવેદનપત્ર

vartmanpravah

સલવાવની, શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં પ્‍લેસમેન્‍ટ સેલ દ્વારા વિદ્યાર્થીઓને ઈન્‍ટરવ્‍યુની તૈયારી હેતુ ગેસ્‍ટ લેક્‍ચર યોજાયો

vartmanpravah

વલસાડના ધારાસભ્‍ય ભરતભાઈ પટેલ દ્વારા શ્રી ચંદ્રમોલિશ્વર મહાદેવજી મંદીર ખાતે સ્‍નેહમિલન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ ખેરગામ રોડનું કામ શરૂ કરાવવા સરપંચોનું અનોખું આંદોલન: અઠવાડીયામાં રસ્‍તાનું કામ શરૂ ન કરાય તો રસ્‍તાઓ ખોદી રસ્‍તાની વચ્‍ચે કરાશે વૃક્ષારોપણ

vartmanpravah

સરીગામ સીઇટીપીની નાજુક સ્‍થિતિ

vartmanpravah

વાપી ચલા ચોકી ફળીયામાં સાયકલ ચોર ઝડપાયા

vartmanpravah

Leave a Comment