April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

2024ની લોકસભા ચૂંટણીને ધ્‍યાનમાં રાખી ભાજપ રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડાએ રાજ્‍યોના પ્રભારીઓની કરેલી નિયુક્‍તિ – સંઘપ્રદેશના નવા ભાજપ પ્રભારી તરીકે સાંસદ વિનોદ સોનકરની નિયુક્‍તિ

જમીન સાથે જોડાયેલા નેતા એવા સાંસદ વિનોદ સોનકરને દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભાજપના પ્રભારીની કમાન સોંપાતા હવે છેવાડેના કાર્યકર્તાઓનો પક્ષમાં અવાજ સંભળાવાની સંભાવના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.09: ભારતીય જનતા પાર્ટીના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી જગત પ્રકાશ નડ્ડાએ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રભારી તરીકે સાંસદ શ્રી વિનોદ કુમાર સોનકરની નિયુક્‍તિ કરી છે અને હાલના પ્રભારી શ્રીમતી વિજ્‍યા રહાટકરને રાજસ્‍થાનના સહ પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
2024ની લોકસભા ચૂંટણીને ધ્‍યાનમાં રાખી પ્રદેશ પ્રભારીઓની કરાયેલી નિયુક્‍તિમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રભારી બનેલા ઉત્તર પ્રદેશની કૌશામ્‍બી લોકસભા બેઠકના સાંસદ શ્રી વિનોદ સોનકર ભાજપના જમીનથી જોડાયેલા નેતા છે અને દરેક કાર્યકર્તાઓને સાથે રાખવાની તેમની આગવી શૈલી હોવાનું જાણવા મળે છે. તેઓ 2017થી 2020 સુધી અનુસૂચિત જાતિ મોર્ચાના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ તરીકે પણ રહ્યા હતા.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રભારીતરીકે શ્રી વિનોદ સોનકરની કરાયેલી નિયુક્‍તિથી દાદરા નગર હવેલીના છેવાડેના આદિવાસી સમુદાયને ભાજપ સાથે જોડવાની તેઓ તક ઝડપશે એવું માનવામાં આવી રહ્યું છે.

Related posts

અયોધ્યા ખાતે શ્રી રામ લલ્લાની પ્રાણપ્ર­તિષ્ઠામાં ­પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સંબોધનનો મૂળપાઠ:- શ્રી રામના વિચારો માનસની સાથે સાથે જનમાનસમાં પણ હોવા જાઈઍ, આ રાષ્ટ્ર નિર્માણ તરફનું પગલું છે

vartmanpravah

કેરી ચોર બાબતે ચીખલીના મીણકચ્‍છમાં બે પરિવાર વચ્‍ચે થયેલ ઝઘડામાં વૃધ્‍ધનું મોતઃ બે મહિલા સહિત 3 સામે હત્‍યાનો ગુનો નોંધાયો

vartmanpravah

રાજ્યમાં સૌપ્રથમ વલસાડ જિલ્લામાં ચૂંટણીના મેનેજમેન્ટ માટે વલસાડ ડીઈઓ એપ જિલ્લા ચૂંટણી અધિકારીક્ષિપ્રા આગ્રે દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં લોન્ચ કરાઈ

vartmanpravah

દમણ જિ.પં.માં વધુ ત્રણ સમિતિઓના અધ્‍યક્ષોની વરણી કરાઈ

vartmanpravah

ડુંગરા ઈન્‍ડસ્‍ટ્રીઝ એસો. દ્વારા ગેરકાયદે દબાણો હટાવવાની રજૂઆત : જીઆઈડીસી કે પાલિકાએ નોંધ જ ના લીધી

vartmanpravah

આજે મોટી દમણ ન્‍યૂ લાઈટ હાઉસ પાસે એમ્‍ફીથિયેટર અને ન.પા. કાર્યાલયમાં વિભાજન વિભીષિકા સ્‍મૃતિ દિવસના ઉપલક્ષમાં પ્રદર્શન યોજાશે

vartmanpravah

Leave a Comment