(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.09: દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રદેશ ભાજપ પ્રભારી શ્રીમતી વિજ્યા રહાટકરે ભાજપ સંગઠનને નવી દિશા આપવાનું કામ કર્યું હતું. તેમના કાર્યકાળ દરમિયાન દાનહ લોકસભા બેઠકની પેટા ચૂંટણીમાં પક્ષના થયેલા કરૂણ રકાસ પાછળ લોકાભિમુખ સંગઠનનો અભાવ હોવાનું પ્રતિત થતાં તેમણે સંગઠન ક્ષેત્રે પણ સારી કામગીરી શરૂ કરી હતી.
શ્રીમતી વિજ્યા રહાટકરને રાજસ્થાનના સહ પ્રભારી તરીકે નિયુક્ત કરી ભાજપ હાઈકમાન્ડે પડકારજનક જવાબદારી સોંપી છે. તેઓ રાજસ્થાનમાં પણ પક્ષના માળખાને અસરકારક અને લોકાભિમુખ બનાવશે એવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.