December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપીમાં અનંત ચૌદશે બાપ્‍પાની ભાવિકોએ અશ્રુભીની આંખે ભાવવિભોર બની વિદાયઆપી

શહેર ગણેશમય બની ગયું : બાપ્‍પા મોરીયા અગલે બરસ લવકર યા સાથે ડી.જે.ના તાલ-સુરો સાથે વિસર્જન યાત્રાઓ યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: ભાદરવા સુદ-ચતુર્થી ગણેશ ચોથના દિવસથી વાપી સહિત વલસાડ જિલ્લામાં ગણેશ મહાઉત્‍સવનો ભક્‍તિભાવ સાથે શુભારંભ થયો હતો. વાપી સહિત જિલ્લાભરમાં બે હજાર ઉપરાંત શ્રીજીની સ્‍થાપના વિવિધ ગણેશ મંડળો દ્વારા સોસાયટીઓ, મોહલ્લાઓમાં કરવામાં આવી હતી. દશ દિવસીય ગણેશ મહોત્‍સવના આજે અનંત ચૌદશના છેલ્લા દિવસે બાપ્‍પાની ઠેર ઠેર ભવ્‍ય અવર્ણનીય વિસર્જન યાત્રાઓ યોજાઈ હતી.
વાપીમાં આજે અનંત ચૌદશ શ્રીજી મહોત્‍સવનો અંતિમ દિવસ યાદગાર, રળીયામણો અને ભક્‍તિસભર બની ગયો હતો. ધીમા વરસાદના અમી છાંટણા સાથે વાપીમાં ઠેર ઠેર શ્રીજીની વિસર્જન યાત્રાઓ નિકળી હતી ત્‍યારે તમામ રોડ ભરચક બની ગયા હતા. શહેર ગણેશમય બની ગયું હતું. ઠેર ઠેર નિકળેલી વિસર્જન યાત્રાઓમાં ભાવિકો ડી.જે. તાલ-સુરો સાથે ઝુમી રહ્યા હતા. ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત સાથે શ્રીજીની વિસર્જનયાત્રાઓ નિકળી હતી. કેટલાક મંડળના શ્રીજી દમણ દરિયામાં વિસર્જન કરાયા હતા તો અડધા જેટલા દમણગંગા નદીમાં બાપ્‍પાની સેવા પૂજા, અર્ચન, આરતી કરી અગલે બરસ લૌકરિયાના ભાવ સાથે અશ્રુભીની આંખે બાપ્‍પાને ભાવવિભોર બનીભાવિકોએ ભારે હૈયે વિસર્જીત કર્યા હતા.

Related posts

વલસાડ જિલ્લામાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારોનો પાર્ટીને અલવિદાનો સિલસિલો યથાવત

vartmanpravah

વર્તમાન પ્રવાહમાં પ્રસિદ્ધ થયેલ જ્‍યોતિષી બાબુભાઈ શાષાીની ભવિષ્‍યવાણી સચોટ સાબિત થઈઃ ભાજપે 153 કરતા વધુ બેઠકો જીતી સર્જેલો ઈતિહાસ

vartmanpravah

સેલવાસ ઝંડાચોક ઉપર વારંવાર થઈ રહેલો અકસ્‍માતઃ સોમવારે ફરી કન્‍ટેઈનરચાલકે વળાંક લેતી વખતે આઝાદી સ્‍મારક સ્‍તંભને ફાલકો અડાડી દેતાં થયેલું નુકસાન

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસ નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાયા

vartmanpravah

વાપી કેબીએસ કોલેજમાં લીડરશીપ માટે તાલીમ યોજાઈ

vartmanpravah

નાની દમણના પરકોટા શેરીમાં આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા યોજાયો કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment