Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

2024ની લોકસભા ચૂંટણીને ધ્‍યાનમાં રાખી ભાજપ રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડાએ રાજ્‍યોના પ્રભારીઓની કરેલી નિયુક્‍તિ – સંઘપ્રદેશના નવા ભાજપ પ્રભારી તરીકે સાંસદ વિનોદ સોનકરની નિયુક્‍તિ

જમીન સાથે જોડાયેલા નેતા એવા સાંસદ વિનોદ સોનકરને દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભાજપના પ્રભારીની કમાન સોંપાતા હવે છેવાડેના કાર્યકર્તાઓનો પક્ષમાં અવાજ સંભળાવાની સંભાવના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.09: ભારતીય જનતા પાર્ટીના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી જગત પ્રકાશ નડ્ડાએ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રભારી તરીકે સાંસદ શ્રી વિનોદ કુમાર સોનકરની નિયુક્‍તિ કરી છે અને હાલના પ્રભારી શ્રીમતી વિજ્‍યા રહાટકરને રાજસ્‍થાનના સહ પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
2024ની લોકસભા ચૂંટણીને ધ્‍યાનમાં રાખી પ્રદેશ પ્રભારીઓની કરાયેલી નિયુક્‍તિમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રભારી બનેલા ઉત્તર પ્રદેશની કૌશામ્‍બી લોકસભા બેઠકના સાંસદ શ્રી વિનોદ સોનકર ભાજપના જમીનથી જોડાયેલા નેતા છે અને દરેક કાર્યકર્તાઓને સાથે રાખવાની તેમની આગવી શૈલી હોવાનું જાણવા મળે છે. તેઓ 2017થી 2020 સુધી અનુસૂચિત જાતિ મોર્ચાના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ તરીકે પણ રહ્યા હતા.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રભારીતરીકે શ્રી વિનોદ સોનકરની કરાયેલી નિયુક્‍તિથી દાદરા નગર હવેલીના છેવાડેના આદિવાસી સમુદાયને ભાજપ સાથે જોડવાની તેઓ તક ઝડપશે એવું માનવામાં આવી રહ્યું છે.

Related posts

દીવ કોલેજમાં ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ અંતર્ગત એઈડ્‍સ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશ દમણ ભાજપના યુવા નેતા અને આસામ રાજ્‍યના ઓબીસી મોરચાના પ્રભારી રાષ્‍ટ્રીય ભાજપાએ વિશાલભાઈ ટંડેલને ગુજરાત ભાજપના ઓબીસી મોરચાના પ્રભારી તરીકેની સોંપેલી જવાબદારી

vartmanpravah

વલસાડ જિલ્લામાં આગામી પાંચ દિવસ તાપમાન 43 થી 45 ડિગ્રી સુધી જવાની આગાહી

vartmanpravah

ચીખલીના સાદકપોરમાં દીપડાના હુમલામાં મહિલાના મોત બાદ મધરાતે એક વાછરડાને ફાડી ખાતા સમગ્ર વિસ્‍તારમાં સર્જાયેલો ભયનો માહોલ

vartmanpravah

નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં પારડી નગરપાલિકા વિસ્‍તારમાં વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા રથનું આગમન

vartmanpravah

આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment