January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

2024ની લોકસભા ચૂંટણીને ધ્‍યાનમાં રાખી ભાજપ રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડાએ રાજ્‍યોના પ્રભારીઓની કરેલી નિયુક્‍તિ – સંઘપ્રદેશના નવા ભાજપ પ્રભારી તરીકે સાંસદ વિનોદ સોનકરની નિયુક્‍તિ

જમીન સાથે જોડાયેલા નેતા એવા સાંસદ વિનોદ સોનકરને દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભાજપના પ્રભારીની કમાન સોંપાતા હવે છેવાડેના કાર્યકર્તાઓનો પક્ષમાં અવાજ સંભળાવાની સંભાવના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.09: ભારતીય જનતા પાર્ટીના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી જગત પ્રકાશ નડ્ડાએ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રભારી તરીકે સાંસદ શ્રી વિનોદ કુમાર સોનકરની નિયુક્‍તિ કરી છે અને હાલના પ્રભારી શ્રીમતી વિજ્‍યા રહાટકરને રાજસ્‍થાનના સહ પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
2024ની લોકસભા ચૂંટણીને ધ્‍યાનમાં રાખી પ્રદેશ પ્રભારીઓની કરાયેલી નિયુક્‍તિમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રભારી બનેલા ઉત્તર પ્રદેશની કૌશામ્‍બી લોકસભા બેઠકના સાંસદ શ્રી વિનોદ સોનકર ભાજપના જમીનથી જોડાયેલા નેતા છે અને દરેક કાર્યકર્તાઓને સાથે રાખવાની તેમની આગવી શૈલી હોવાનું જાણવા મળે છે. તેઓ 2017થી 2020 સુધી અનુસૂચિત જાતિ મોર્ચાના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ તરીકે પણ રહ્યા હતા.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રભારીતરીકે શ્રી વિનોદ સોનકરની કરાયેલી નિયુક્‍તિથી દાદરા નગર હવેલીના છેવાડેના આદિવાસી સમુદાયને ભાજપ સાથે જોડવાની તેઓ તક ઝડપશે એવું માનવામાં આવી રહ્યું છે.

Related posts

વાપી જી.આઈ.ડી.સી. વિસ્‍તારમાં પાંચ કિ.મી. 66કે.વી.વીજલાઈનનું અન્‍ડરગ્રાઉન્‍ડ કેબલિંગકરાશે:  નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

નાશિકના કાળીદાસ હોલ ખાતે વલસાડના જાદુગર ડી.લાલ (ધીમંત મસરાણી)ને જાદુ ભૂષણ નેશનલ એવોર્ડથી સન્‍માનકરાયું

vartmanpravah

દાનહ સુરંગી ગામે સનાતન કંપનીમાં કોપર વાયરની ચોરીના ૬ આરોપીઓની ધરપકડ

vartmanpravah

વલસાડમાં જ્ઞાન સહાયક યોજના રદ્દ કરી ટેટ-ટાટના પાસ ઉમેદવારોની ભરતી કરી કાયમી કરવા માટે રેલી યોજાઈ

vartmanpravah

ઉમરગામ પાલિકાના ચીફ ઓફિસર સામે કાઉન્‍સિલરોએ માંડેલો મોરચો દુઃખે પેટ અને કુટે માથુની સ્‍થિતિમાઃ નગરજનોમાં હાસ્‍યાસ્‍પદ બની રહેલી કાઉન્‍સિલરોની લડાઈ

vartmanpravah

વલસાડના મોપેડ સવારને પારડી ખાતે અજાણ્‍યા વાહન ચાલકે ટક્કર મારી

vartmanpravah

Leave a Comment