Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

શ્રી સ્‍વામીનારાયણ ગુરુકુળ સલવાવ પ્રી સ્‍કૂલ દ્વારા નાના નાના ભૂલકાઓની આરતી થાળી ડેકોરેશન અને ચિત્રકળા સ્‍પર્ધા યોજવામાં આવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: તા.18-10-2022ના રોજ દિવાળીના શુભ પર્વની ઉજવણી નિમિત્તે શ્રી સ્‍વામીનારાયણ પ્રી સ્‍કૂલ સલવાવ, ઉદવાડા, ચણોદ, પરીયા સીનીયર કે.જી. અભ્‍યાસ કરતા બાળકોની સર્જનાત્‍મકતા, રચનાત્‍મકતા વિકસાવવાના હેતુથી આરતીની થાળી શણગારની પ્રતિયોગીતા રાખવામાં આવી હતી. જેમાં બાળકોએ ખુબ જ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો અને જાત જાતની વસ્‍તુઓથી આરતીની થાળી શણગારી તેમની કલાકૃતિ દાખવી હતી. જેમાં નિર્ણાયક તરીકે ગુજરાત બોર્ડના શિક્ષક શ્રી શિવાંગી ભંડારીએ ખુબ જ સારી રીતે ભૂમિકા ભજવી હતી.
નર્સરી અને જુનિયર કે.જી.માં પણ ચિત્રકળાસ્‍પર્ધા યોજવામાં આવી હતી. એમાં પણ બાળકોએ પોતાની પૂરેપૂરી આવડત વાપરી ખુબ જ સરસ ચિત્રકામ કર્યું હતું. ચિત્રકલા સ્‍પર્ધાના નિર્ણાયક તરીકે ઉદવાડા બ્રાંચના મુખ્‍ય શિક્ષક શ્રીમતી રીટા એચ. દેસાઈએ નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી.
આચાર્યા શ્રીમતી નીતુ સિંહના નેતૃત્‍વ હેઠળ સ્‍પર્ધાઓ સારી રીતે યોજાઈ હતી અને તેણી દ્વારા દિવાળીનો તહેવાર બધા માટે સ્‍વસ્‍થ, શુભ, આરોગ્‍યવર્ધક રહે એ માટે શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી છે.

Related posts

કોંગ્રેસના ઉમેદવારે બનાવ્‍યો ત્રિકોણીય જંગઃ મહેશ ધોડીના મળેલા જાહેર સમર્થનને કારણે ભાજપ-શિવસેનામાં બેચેની

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વ હેઠળની સરકારે આતંકવાદને રોકવા માટે અપનાવેલી આક્રમક વ્‍યૂહરચનાઃ કેન્‍દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ

vartmanpravah

નરોલી ધાપસા પાસે કેમિકલ ભરેલ ટેન્‍કર પલ્‍ટી જતા ટવેરા અને બાઈક ચપેટમાં આવતા 6થી વધુ લોકોને ગંભીર ઈજા

vartmanpravah

પાણી પુરવઠા રાજ્યકક્ષાના મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં કાકડકોપર સેવા સહકારી મંડળીની સ્વર્ણિમ જયંતીની ઉજવણી

vartmanpravah

વિશાખાપટ્ટનમથી રાજસ્‍થાન કારમાં લઈ જવાતો 17.81 લાખનો ગાંજો વલસાડ હાઈવે પરથી પોલીસે ઝડપ્‍યો

vartmanpravah

21મી જૂનના બુધવારે દાદરા નગર હવેલીમાં 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થનારી ઉજવણી

vartmanpravah

Leave a Comment