October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામ

ઉમરગામ પાલિકાની માલિકીની જમીનમાં દબાણ કરનારાઓ સામે પગલાં ભરવા પ્રજામાં ઉઠેલી વ્‍યાપક માંગ

પાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખે તપાસ કરાવી દબાણ હટાવવા આપેલી ખાત્રી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.16
ઉમરગામ પાલિકા હદમાં નિર્માણ થયેલી હરી રેસીડેન્‍સીની લગોલગ આવેલી ઉમરગામ પાલિકાની માલિકીની સર્વે નંબર 279 અને ખાતા નંબર 1449ની બાર ગુંઠા માંથી નવ ગુંઠા ગાયબ થયેલી જમીન શોધવી ઉમરગામ પાલિકા માટે યક્ષ પ્રશ્ન બની જવા પામ્‍યો છે.
આ જમીન પર દબાણ થયેલાની પ્રબળ શકયતા જોતા પાલિકાની પ્રજામાં કાર્યવાહી માટે પ્રબળ માંગ ઊભી થવા પામી છે. ઉમરગામ ટાઉન અને સ્‍ટેશનને જોડતા મુખ્‍ય માર્ગને અડીને આવેલી આ સોનાની લગડી સમાન જમીન મુશ્‍કેલથી 3 થી 4 ગુંઠા સ્‍થળ ઉપર દ્રશ્‍યમાન થઈ રહી છે.
ઉમરગામ પાલિકાના પ્રમુખ શ્રીમતી ચારૂશીલાબેન પટેલે પ્રજાની પ્રબળ માંગને વશ થઈ યોગ્‍ય તપાસ અને કાયદાકીય પગલાં ભરવા અધિકારીને સૂચના આપી હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.
આ પ્રકારે દબાણ કરનારાઓની શાન ઠેકાણે લાવવા રાજ્‍ય સરકારે અમલમાં મૂકેલો લેન્‍ડ ગ્રેબિગ એકટ હેઠળ પણ કાર્યવાહી થવી જોઈએ એવી પ્રજામાં માંગ ઉઠવા પામી છે.
સૂત્રો દ્વારા મળતીમાહિતી મુજબ ઉમરગામ પાલિકા ઓથોરિટીએ આ જમીનની માપણી કરવા માટે ડી.આઈ.એલ.આર.માં માપણી ફિશ સાથે અરજી કરી યોગ્‍ય દિશામાં કાર્યવાહીનો પ્રારંભ કરી દીધો છે.
આ સંદર્ભમાં ઉમરગામ પાલિકાના ચીફ ઓફિસરશ્રીએ પણ તાત્‍કાલિક યોગ્‍ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. ઉમરગામ પાલિકા હદમાં આ ઉપરાંત પણ ઘણી જગ્‍યાએ પાલિકાની માલિકીની જમીનમાં થયેલા દબાણ સામે કાર્યવાહી કરવાની જરૂરત જણાઈ રહી છે.

Related posts

વલસાડનગરપાલિકા દ્વારા કાર્યરત કરાયેલ સીટી બસ સેવાનો હજારો રિક્ષા ચાલકોએ વિરોધ કર્યો

vartmanpravah

76મા સ્‍વાતંત્ર્ય દિન નિમિત્તે દમણના સોમનાથ મહાદેવ મંદિરના શિવલીંગને તિરંગાની શોભાથી સજ્જ કરી આધ્‍યાત્‍મિકતાની સાથે જિ.પં.ના પૂર્વ અધ્‍યક્ષ હેમલતાબેન અને ઈશ્વરભાઈએ કરેલી ઉજવણી

vartmanpravah

મુંબઈમાં યોજાયેલા કાર્યક્રમમાં વાપીના વિનય વાડીવાલાને ‘છત્રપતિ શિવાજી મહારાજ ગૌરવ’ એવોર્ડ એનાયત કરાયો

vartmanpravah

ચીખલી-વાંસદા કોંગ્રેસના ધારાસભ્‍ય અનંત પટેલ પર થયેલા હુમલા અંગે ચીખલી કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું

vartmanpravah

સાપુતારા નજીક ઘાટમાં મહારાષ્‍ટ્ર એસ.ટી. બસ ખીણમાં ખાબકી : એક મહિલાનું કરુણ મોત

vartmanpravah

સેલવાસની અથશ્રી સોસાયટીમાં ઈલેક્‍ટ્રીક સ્‍કૂટર ચાર્જમાં મુક્‍યા બાદ આગ લાગતા બળીને ખાખ

vartmanpravah

Leave a Comment