March 4, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

કેન્‍દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બદલી કરાતા સંઘપ્રદેશથી બદલી થયેલા ચાર અધિકારીઓના સન્‍માનમાં યોજાયેલો વિદાય સમારંભ

  • બદલી થયેલા અધિકારીઓએ સંઘપ્રદેશમાં પસાર કરેલા પોતાના કાર્યકાળને જીવનનું સંભારણું ગણાવ્‍યું

  • પ્રશાસક પ્રફુલભાઈ પટેલ, સાંસદ લાલુભાઈ પટેલ અને પ્રશાસનિક અધિકારીઓએ આપેલી ભાવભીની વિદાય : અધિકારીઓએ કરેલા શ્રેષ્‍ઠ કાર્યોને બિરદાવાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.27
કેન્‍દ્રીય ગળહ મંત્રાલય દ્વારા કરાયેલી બદલી બાદ કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનના 4 અધિકારીઓને રીલીવ કરાતા સંઘપ્રદેશ પ્રશાસક દ્વારા 25મી ફેબ્રુઆરી મોટી દમણ ખાતે ઓલ્‍ડ લાઈટ હાઉસ પરિસરમાં વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
વિદાય સમારંભ દરમિયાન કેન્‍દ્રીય શિક્ષણ સચિવ શ્રીમતી પૂજાજૈન, દમણ અને સેલવાસના પૂર્વ જિલ્લા કલેક્‍ટર શ્રી સંદીપ કુમાર સિંઘ, આઈ.ટી. સચિવ શ્રી દાનિશ અશરફ અને પોલીસ અધિક્ષક શ્રી શરદ દરાડેને વિદાય આપવામાં આવી હતી.
આ અવસરે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ, દમણ-દીવ સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી એ.કે.સિંઘ, શિક્ષણ સચિવ શ્રીમતી એ.મુથમ્‍મા, નાણા સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવત, દમણ જિલ્લા કલેક્‍ટર શ્રીમતી તપસ્‍યા રાઘવ, સેલવાસ કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસ, ડીઆઈજી શ્રી વિક્રમજીત સિંહ અને અન્‍ય વહીવટી અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહ્યા હતા.ઉપરાંત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અનેદમણ-દીવના તમામ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી સેવાઓ ઉપર ભાર મૂકવામાં આવ્‍યો હતો.
ઉલ્લેખનીય છે કે, શ્રીમતી પૂજા જૈને રમતગમત સચિવ, પ્રવાસન સચિવ, મુખ્‍ય ચૂંટણી, અધિકારી શ્રી સંદીપ કુમાર સિંઘ, દમણ અને સિલ્‍વાસા જિલ્લા કલેક્‍ટર, દાનિશ અશરફ, આઈ.ટી. પરિવહન સચિવ અને આઈ.પી.એસ શ્રી શરદ દરાડેએ સેલવાસમાં તેમજ દમણમાં પોલીસ હેડક્‍વાર્ટરમાં મહત્‍વપૂર્ણ હોદ્દા પર રહીને કેન્‍દ્રશાસિત પ્રદેશના વિકાસને નવી ગતિ આપવામાં મદદ કરી હતી.
વિદાય સમારોહ દરમિયાન દમણના પદ્મશ્રી શ્રીમતી પ્રભાબેન શાહનું પણ સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

Related posts

ફોટોસ્‍ટોરી

vartmanpravah

સેલવાસ ઝંડાચોક અંગ્રેજી માધ્‍યમ શાળાના વિદ્યાર્થીઓએ નમો મેડીકલ કોલેજ અને અક્ષયપાત્ર ફાઉન્‍ડેશનની લીધેલી મુલાકાત

vartmanpravah

..તો પછી ક્‍યાંથી લાવશો મહિલા નેતૃત્‍વ..? દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપે જાહેર કરેલ 30 મંડળોના અધ્‍યક્ષોમાં એક પણ મહિલા નથી..!

vartmanpravah

સરીગામમાં આદિવાસીના ભગવાન બિરસા મુંડાની પ્રતિમાની અનાવરણની ચાલતી તડામાર તૈયારી

vartmanpravah

ભાજપની જાહેર સભામાં જનમેદની લાવવા પ્રદેશ ભાજપ ઓબીસી મોર્ચાના અધ્‍યક્ષ હરિશભાઈ પટેલે ભજવેલી મહત્‍વની ભૂમિકા

vartmanpravah

રાજ્‍યમાં ઉમરગામ મામલતદાર કચેરી ભ્રષ્ટાચારમાં અગ્રેસરની ચાલતી ચર્ચા

vartmanpravah

Leave a Comment