Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

શ્રી સ્‍વામીનારાયણ ગુરુકુળ સલવાવ પ્રી સ્‍કૂલ દ્વારા નાના નાના ભૂલકાઓની આરતી થાળી ડેકોરેશન અને ચિત્રકળા સ્‍પર્ધા યોજવામાં આવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: તા.18-10-2022ના રોજ દિવાળીના શુભ પર્વની ઉજવણી નિમિત્તે શ્રી સ્‍વામીનારાયણ પ્રી સ્‍કૂલ સલવાવ, ઉદવાડા, ચણોદ, પરીયા સીનીયર કે.જી. અભ્‍યાસ કરતા બાળકોની સર્જનાત્‍મકતા, રચનાત્‍મકતા વિકસાવવાના હેતુથી આરતીની થાળી શણગારની પ્રતિયોગીતા રાખવામાં આવી હતી. જેમાં બાળકોએ ખુબ જ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો અને જાત જાતની વસ્‍તુઓથી આરતીની થાળી શણગારી તેમની કલાકૃતિ દાખવી હતી. જેમાં નિર્ણાયક તરીકે ગુજરાત બોર્ડના શિક્ષક શ્રી શિવાંગી ભંડારીએ ખુબ જ સારી રીતે ભૂમિકા ભજવી હતી.
નર્સરી અને જુનિયર કે.જી.માં પણ ચિત્રકળાસ્‍પર્ધા યોજવામાં આવી હતી. એમાં પણ બાળકોએ પોતાની પૂરેપૂરી આવડત વાપરી ખુબ જ સરસ ચિત્રકામ કર્યું હતું. ચિત્રકલા સ્‍પર્ધાના નિર્ણાયક તરીકે ઉદવાડા બ્રાંચના મુખ્‍ય શિક્ષક શ્રીમતી રીટા એચ. દેસાઈએ નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી.
આચાર્યા શ્રીમતી નીતુ સિંહના નેતૃત્‍વ હેઠળ સ્‍પર્ધાઓ સારી રીતે યોજાઈ હતી અને તેણી દ્વારા દિવાળીનો તહેવાર બધા માટે સ્‍વસ્‍થ, શુભ, આરોગ્‍યવર્ધક રહે એ માટે શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી છે.

Related posts

વાઈન શોપને પરમીશન મળી રહે એ માટે સેલવાસ-વાપી રોડ પર શિવજી મંદિરને હટાવી દેતા ધાર્મિક લાગણી દુભાતા દાનહ કલેક્‍ટરને રજૂઆત

vartmanpravah

દીવમાં સીબીઆઈએ ‘ખોદ્યો ડુંગર, નીકળ્‍યો ઉંદર?’: ફિશરીઝ અધિકારી સુકર આંજણીના ઘરે સીબીઆઈ દરોડાનો ફલોપ શૉ..!

vartmanpravah

વલસાડ સાંસદ ડો.કે.સી. પટેલએ સંસદગૃહમાં કેરી પાક નુકશાન માટે ખેડૂતોને વળતરની માંગ કરી

vartmanpravah

ભારતરત્‍ન અટલબિહારી વાજપેયીજીની જન્‍મ જયંતી નિમિત્તે પારડીના સમાજસેવકે 104મી વખત રક્‍તદાન કર્યું

vartmanpravah

સરીગામની વેન પેટ્રોકેમ એન્‍ડ ફાર્મા કંપનીની મોટી હોનારતમાં એનજીટીનો હુકમ: મૃતકોને રૂા.20 લાખ અને ઈજાગ્રસ્‍તોને રૂા.10 લાખના વળતર ચુકવણીના આદેશથી પરિવારોને મળેલી આંશિક રાહતઃ જીપીસીબીને નોટિસની ફટકાર

vartmanpravah

ધરમપુરના ભાંભા ગામના કંડકટર અને તૂરવાદક રણજીતભાઈ પટેલનો ભવ્ય નિવૃતિ સન્માન સમારંભ અને લોકવાદ્ય તૂર સ્પર્ધાનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment