Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

શ્રી સ્‍વામીનારાયણ ગુરુકુળ સલવાવ પ્રી સ્‍કૂલ દ્વારા નાના નાના ભૂલકાઓની આરતી થાળી ડેકોરેશન અને ચિત્રકળા સ્‍પર્ધા યોજવામાં આવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: તા.18-10-2022ના રોજ દિવાળીના શુભ પર્વની ઉજવણી નિમિત્તે શ્રી સ્‍વામીનારાયણ પ્રી સ્‍કૂલ સલવાવ, ઉદવાડા, ચણોદ, પરીયા સીનીયર કે.જી. અભ્‍યાસ કરતા બાળકોની સર્જનાત્‍મકતા, રચનાત્‍મકતા વિકસાવવાના હેતુથી આરતીની થાળી શણગારની પ્રતિયોગીતા રાખવામાં આવી હતી. જેમાં બાળકોએ ખુબ જ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો અને જાત જાતની વસ્‍તુઓથી આરતીની થાળી શણગારી તેમની કલાકૃતિ દાખવી હતી. જેમાં નિર્ણાયક તરીકે ગુજરાત બોર્ડના શિક્ષક શ્રી શિવાંગી ભંડારીએ ખુબ જ સારી રીતે ભૂમિકા ભજવી હતી.
નર્સરી અને જુનિયર કે.જી.માં પણ ચિત્રકળાસ્‍પર્ધા યોજવામાં આવી હતી. એમાં પણ બાળકોએ પોતાની પૂરેપૂરી આવડત વાપરી ખુબ જ સરસ ચિત્રકામ કર્યું હતું. ચિત્રકલા સ્‍પર્ધાના નિર્ણાયક તરીકે ઉદવાડા બ્રાંચના મુખ્‍ય શિક્ષક શ્રીમતી રીટા એચ. દેસાઈએ નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી.
આચાર્યા શ્રીમતી નીતુ સિંહના નેતૃત્‍વ હેઠળ સ્‍પર્ધાઓ સારી રીતે યોજાઈ હતી અને તેણી દ્વારા દિવાળીનો તહેવાર બધા માટે સ્‍વસ્‍થ, શુભ, આરોગ્‍યવર્ધક રહે એ માટે શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી છે.

Related posts

આજે મોટી દમણ ન્‍યૂ લાઈટ હાઉસ પાસે એમ્‍ફીથિયેટર અને ન.પા. કાર્યાલયમાં વિભાજન વિભીષિકા સ્‍મૃતિ દિવસના ઉપલક્ષમાં પ્રદર્શન યોજાશે

vartmanpravah

વાપીમાં મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલની જાહેર સભા યોજાઈઃ ભાજપના ઉમેદવાર ધવલભાઈ પટેલને 5 લાખની લીડ સાથે જીતાડવા હાંકલ કરી

vartmanpravah

દાનહ અને દમણ-દીવ ભાજપ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરની 131મી જન્‍મજયંતિની ઉજવણી કરાઈ

vartmanpravah

વાપી રાજ રેસીડેન્‍સીમાં ચૈત્રી આઠમનો યજ્ઞ કરાયો

vartmanpravah

આજથી શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજ દ્વારા સોમનાથ ભવન ભેંસરોડ ખાતે શ્રીમદ્‌ ભાગવત કથા યોજાશે

vartmanpravah

વાપીમાં અન્ન અને નાગરિક પૂરવઠા મંત્રીશ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ફોર્ટિફાઇડ ઘટકતત્વોની થેલેસેમિયા તથા સિકલસેલ એનિમિયાના દર્દીઓ પર અસર અંગે જનજાગૃતિ વર્કશોપ યોજાયો

vartmanpravah

Leave a Comment