(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02 : દાદરા નગર હવેલીના સીલી ગામે આવેલ કે.એલ.જે. ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના યુનિટ-2ના પરિસરમાં કંપનીના સંસ્થાપક શ્રી કનૈયાલાલ જૈનના જન્મદિવસ નિમિતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લાયન્સ ક્લબ ઓફ સેલવાસ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીનો પણ સહયોગ રહ્યો હતો.
શિબિરનો શુભારંભ દા.ન.હ.ના એસ.પી. શ્રી અમિત શર્માના હસ્તે રીબીન કાપીને અને ઉપસ્થિત અતિથિઓના હસ્તે દીપ પ્રાગટયથી કરવામાં આવ્યો હતો. શિબિરમાં મોટી સંખ્યામાં કંપનીના અધિકારીઓ, કર્મચારીઓ તથા કામદારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં 215 યુનિટ જેટલું રક્ત એકત્ર થયું હતું.
આ અવસરે કે.એલ.જે. ગ્રુપના જી.એમ. શ્રી આર.સી.ગુપ્તા, જનરલ મેનેજર શ્રી આર.પી.શર્મા, શ્રી વિપુલ પરમાર, શ્રી અનિલ જૈન, લાયન્સ ક્લબના પ્રમુખ લા. વિનોદ અમેરિયા અને ઉદ્યોગપતિ શ્રી અતુલ શાહ તથા ઇન્ડિયયન રેડક્રોસ સોસાયટીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાહતા.