September 1, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા પંચાયતે ગંદકી ફેલાવનાર કંપનીઓના કાપેલા વીજ કનેકશનઃ ગંદકી ફેલાવનારાઓમાં ફફડાટ

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09: દાદરા નગર હવેલીના દાદરા પંચાયત દ્વારા ગામમાં ચાલ માલિકો કંપનીઓને ગંદકી ન ફેલાવવા માટે નોટિસ આપવામાં આવી હતી અને 15 દિવસનો સમય પણ આપવામાં આવ્‍યો હતો. જેમાં ગંદા પાણીનો યોગ્‍ય નિકાલ કરવા તાકીદ કરી હતી, છતાં પણ કંપની સંચાલક દ્વારા ગંદુ પાણી બંધ ના કરાતા દાદરા પંચાયત દ્વારા દેમણી રોડ પર આવેલ વેલસેટ પ્‍લાસ્‍ટ એક્‍સટ્રુસન પ્રાઈવેટ લીમીટેડ કંપની અને હેમ ઈન્‍ડસ્‍ટ્રીઝને કેમીકલ અને બાથરૂમનુ ગંદુ પાણી ગટરમાં છોડવાને કારણે સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ રૂલ્‍સ મુજબ બન્ને કંપનીઓની ઈલેક્‍ટ્રીસીટી કનેક્‍શન કાપી નાખવામાંઆવ્‍યા છે. આ બન્ને કંપનીઓને નિયમોના પાલન કરવા માટે 15 દિવસ પહેલા નોટિસ આપવામાં આવી હતી. છતાં પણ નિયમનો પાલન ના કરતા ઈલેક્‍ટ્રીક કનેકશન કાપી નાખવામા આવ્‍યા છે. સાથે દાદરા પંચાયત દ્વારા બીજી કંપનીઓ તેમજ ચાલ માલિકોને પણ જે કોઈપણ નિયમોનું પાલન ન કરશે તેઓનું પણ ઈલેક્‍ટ્રીક કનેક્‍શન કાપી નાખવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવું જણાવવામાં આવ્‍યું છે.

Related posts

વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ‘બુથ સશક્‍તિકરણ અભિયાન’ અંતર્ગત મહત્‍વની બેઠક યોજાઈ

vartmanpravah

કરમબેલીમાં સ્‍કેપના ગોડાઉનમાં ભિષણ આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

વડોદરા ખાતે સંકલ્પ સોશિયલ વર્ક ઍન્ડ રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટ (સ્વારી) દ્વારા ઍક દિવસીય પરિસંવાદ યોજાયોઃ ભવિષ્યના વ્યવસાય અને તકો તથા વંચિતતા અને વિકાસ જેવા વિષય પર થયેલી વિશદ્ ચર્ચા

vartmanpravah

વલસાડમાં એસપી કચેરી ખાતેથી વિવિધ પોલીસ પ્‍લાટૂન સાથે યોજાશે ભવ્‍ય તિરંગા યાત્રા

vartmanpravah

વલસાડની સરકારી ઈજનેરીકોલેજના વિદ્યાર્થીઓનું મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલના હસ્‍તે થયું સન્‍માન

vartmanpravah

વાપી લવાછાના પરિવારે ઉજ્જેન મહાકાલ દરબારમાં 2.6 કિલો રૂા.2.50 લાખનો ચાંદીનો મુગટ અર્પણ કર્યો

vartmanpravah

Leave a Comment