Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા પંચાયતે ગંદકી ફેલાવનાર કંપનીઓના કાપેલા વીજ કનેકશનઃ ગંદકી ફેલાવનારાઓમાં ફફડાટ

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09: દાદરા નગર હવેલીના દાદરા પંચાયત દ્વારા ગામમાં ચાલ માલિકો કંપનીઓને ગંદકી ન ફેલાવવા માટે નોટિસ આપવામાં આવી હતી અને 15 દિવસનો સમય પણ આપવામાં આવ્‍યો હતો. જેમાં ગંદા પાણીનો યોગ્‍ય નિકાલ કરવા તાકીદ કરી હતી, છતાં પણ કંપની સંચાલક દ્વારા ગંદુ પાણી બંધ ના કરાતા દાદરા પંચાયત દ્વારા દેમણી રોડ પર આવેલ વેલસેટ પ્‍લાસ્‍ટ એક્‍સટ્રુસન પ્રાઈવેટ લીમીટેડ કંપની અને હેમ ઈન્‍ડસ્‍ટ્રીઝને કેમીકલ અને બાથરૂમનુ ગંદુ પાણી ગટરમાં છોડવાને કારણે સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ રૂલ્‍સ મુજબ બન્ને કંપનીઓની ઈલેક્‍ટ્રીસીટી કનેક્‍શન કાપી નાખવામાંઆવ્‍યા છે. આ બન્ને કંપનીઓને નિયમોના પાલન કરવા માટે 15 દિવસ પહેલા નોટિસ આપવામાં આવી હતી. છતાં પણ નિયમનો પાલન ના કરતા ઈલેક્‍ટ્રીક કનેકશન કાપી નાખવામા આવ્‍યા છે. સાથે દાદરા પંચાયત દ્વારા બીજી કંપનીઓ તેમજ ચાલ માલિકોને પણ જે કોઈપણ નિયમોનું પાલન ન કરશે તેઓનું પણ ઈલેક્‍ટ્રીક કનેક્‍શન કાપી નાખવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવું જણાવવામાં આવ્‍યું છે.

Related posts

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા કૃષિ ક્ષેત્ર આત્મનિર્ભર થાય તે ઘણુ મહત્વનું છેઃ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા:- આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રિ- વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં રાજ્યના કૃષિ ક્ષેત્રમાં ૨૩૫૯ કરોડના એમઓયુ થયા

vartmanpravah

વલસાડમાં 108 કર્મીઓ રજા કેન્‍સલ સેવાના સંકલ્‍પ સાથે 24×7 ખડેપગે હાજર રહેશે

vartmanpravah

સંઘપ્રદેશમાં પ્રશાસક પ્રફુલભાઈ પટેલે આંગણવાડી વર્કરો-સહાયકો તથા આશા વર્કરોના વેતનમાં વધારાની કરેલી જાહેરાત

vartmanpravah

‘મારી દીકરી સમૃદ્ધ દીકરી’- સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતા ખોલવા માટે તા.૨૪મી જૂનના શુક્રવારના રોજ વલસાડ જિલ્લા તથા સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવની તમામ પોસ્ટ ઓફિસ ખાતે મેગા કેમ્પનું આયોજન

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ની આંગણવાડીમાં ‘પોષણ પખવાડા’ અંતર્ગત યોજાયેલી પૌષ્‍ટિક વાનગી સ્‍પર્ધા

vartmanpravah

સંઘપ્રદેશમાં ‘હર ઘર તિરંગા’ અભિયાને પકડેલું લોક આંદોલનનું સ્‍વરૂપઃ લોકોનો ઉમંગ અને જુસ્‍સો સાતમા આસમાને

vartmanpravah

Leave a Comment