July 18, 2026
Vartman Pravah
Breaking Newsદમણદેશ

દમણવાડા ગ્રા.પં.ની આંગણવાડીમાં ‘પોષણ પખવાડા’ અંતર્ગત યોજાયેલી પૌષ્‍ટિક વાનગી સ્‍પર્ધા

દમણવાડા ગ્રા.પં. વિસ્‍તારના કુપોષિત બાળકોની ઓળખ કરી તેની ખાસ તકેદારી લેવા અનુરોધ કરતા સરપંચ મુકેશ ગોસાવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.01
સંઘપ્રદેશ પ્રશાસનના બાળ વિકાસ વિભાગ દ્વારા મોટી દમણની દમણવાડા ગ્રામ પંચાયતની આંગણવાડી(નંદઘર)માં ‘પોષણ પખવાડા’ અંતર્ગત આજે વિવિધ પૌષ્‍ટિક વાનગીઓની સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં આંગણવાડીમાં રજીસ્‍ટર થયેલ લાભાર્થી બાળકોની માતાઓએ ભાગ લીધો હતો અને વિવિધ પૌષ્‍ટિક અને સ્‍વાદિષ્‍ટ વાનગીઓ બનાવી હતી. જે પૈકી ત્રણ માતાઓને પુરસ્‍કૃત કરવામાં આવી હતી.
આ પ્રસંગે ઉપસ્‍થિત દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ પૌષ્‍ટિક વાનગી સ્‍પર્ધાનું આયોજન કરવા બદલ બાળ વિકાસ વિભાગ અને આંગણવાડીને અભિનંદન પાઠવ્‍યા હતા. તેમણે દમણવાડા ગ્રામ પંચાયત વિસ્‍તારમાં જો કોઈ કુપોષિત બાળક હોય તો તેની ખાસ તકેદારી લેવાઆગ્રહ કર્યો હતો અને પંચાયત વિસ્‍તારમાંથી કુપોષણની સમસ્‍યા નાબૂદ થાય તે દિશામાં કાર્ય કરવા તમામ માતાઓને આહ્‌વાન કર્યું હતું અને જણાવ્‍યું હતું કે, બાળકોને વિવિધ વિટામિન્‍સ, પ્રોટીન્‍સ વગેરે જરૂરી માત્રામાં મળી રહે તેવો આહાર આપવા તાકિદ કરી હતી, અને આંગણવાડી દ્વારા લેવાતી કાળજીની ખાસ પ્રશંસા કરી હતી.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આંગણવાડી સુપરવાઈઝર શ્રીમતી શિવાની પટેલ અને આંગણવાડી સંચાલક શ્રીમતી મધુબેન બારીએ કર્યું હતું. આ પ્રસંગે દમણવાડા પંચાયતના સેક્રેટરી શ્રી નિખિલ મીટના સહિત લાભાર્થી બાળકોની માતાઓ ઉપસ્‍થિત રહી હતી.

Related posts

રાજ્‍યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ ચીખલી તાલુકાના ઘોલાર ગામે રૂા. 200 લાખના ખર્ચે અદ્યતન સુવિધાથી સજ્જ ‘હાટ બજાર’નું કરેલું લોકાર્પણ

vartmanpravah

વલસાડના છીપવાડમાં શ્રી કૃષ્‍ણ પ્રણામી જૂના મંદિર ખાતે 10મી માર્ચે આયુષ મેળો યોજાશે

vartmanpravah

દાનહમાં 02 કોરોના પોઝિટીવ કેસ નોંધાયાઃ દમણમાં એકપણ કોરોના પોઝિટીવ કેસ નહીં: તકેદારી રાખવી જરુરી

vartmanpravah

દાનહના ગુલાબ રોહિત સહિત ડિરેક્‍ટરોની મુંબઈ મરીન ઇંસ્‍ટીટયુટમાં ટ્રેનિંગ

vartmanpravah

આજે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસને ઉજવવા માટે થનગની રહેલો સમસ્‍ત સંઘપ્રદેશ

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ સચિવ અંકિતા આનંદે પરિયારી શાળાના પ્રવેશોત્‍સવમાં આપેલી હાજરીઃ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આપેલું ઉમદા માર્ગદર્શન

vartmanpravah

Leave a Comment