(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.09: નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાના પ્રોગ્રામ મેનેજર કમલેશપઢીયારે જણાવ્યું હતું કે, અગાઉના વર્ષોમાં કટોકટીના વધતા જતા આંકડાને આધારે આ વર્ષેના ડેટા આધારે પર્વ દરમિયાન વલસાડ જિલ્લામાં દિવાળીના દિવસે 15.27%, નવા વર્ષમાં 26.72% તથા ભાઈબીજ પર 22.14%નો વધારો થવાની શકયતા સામે વલસાડ જિલ્લામાં 23 એમ્બ્યુલન્સ સાથે તમામ વોરિયર્સ પોતાની રજા કેન્સલ કરી ઘરથી દૂર રહી 24×7 સેવાના સંકલ્પ સાથે ખડેપગે હાજર રહેશે.
ગુજરાત ચ્પ્ય્ત્ ગ્રીન હેલ્થ સર્વિસના સીઓઓ (ચ્પ્ય્ત્ ઞ્શ્વફૂફૂઁ ણ્ફર્ૂીશ્રદ્દત્ર્ લ્ફૂશ્વરુશણૂફૂતના ઘ્બ્બ્) જશવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, દિવાળીએ એવો સમય છે, જ્યારે પરિવારો અંધકાર પર પ્રકાશના વિજયની ઉજવણી કરવા માટે ભેગા થતાં હોય છે. તહેવારોમાં પ્રજાજનોની સલામતી અને સુખાકારી જળવાઈ રહે તે માટે સાવધાની રાખવી આવશ્યક છે, જ્યારે ફટાકડા ફોડતી વખતે સાવધાની સાથે તકેદારી રાખવાનો અનુરોધ કર્યો હતો.