April 18, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશમાં ‘હર ઘર તિરંગા’ અભિયાને પકડેલું લોક આંદોલનનું સ્‍વરૂપઃ લોકોનો ઉમંગ અને જુસ્‍સો સાતમા આસમાને

  • આજે ‘ઈન્‍ડિયા ડે’ નિમિત્તે મોટી દમણ અને સેલવાસમાં માનવ મહેરામણ ઉમટશે

  • સમગ્ર પ્રદેશમાં પેદા થયેલા હકારાત્‍મક અને વિકાસલક્ષી વાતાવરણના કારણે દેશના જુદા જુદા રાજ્‍યોમાંથી રોજીરોટી કમાવા આવેલા શ્રમિકોથી માંડી છેવાડેની ઝૂંપડીમાં રહેતાઆદિવાસી પરિવારમાં પણ ભારતની આઝાદીના અમૃત મહોત્‍સવ નિમિત્તે બદલાઈ રહેલા પ્રદેશ સાથે તાલથી તાલ મેળવવા પ્રશાસનને સહયોગ આપવાની શરૂ થયેલી સ્‍પર્ધા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ/સેલવાસ તા.12: સમગ્ર દેશની સાથે આવતી કાલથી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પણ ઘર ઘર તિરંગા અભિયાનનો આરંભ થઈ રહ્યો છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની કાયાપલટ કરી નવા ભારત સાથે મેળવેલા કદમથી કદમના કારણે પ્રદેશના લોકોની વૈચારિક શક્‍તિમાં પણ પરિવર્તન આવ્‍યું છે અને સંઘપ્રદેશ પ્રશાસને શરૂ કરેલી જાગૃતિ અને લોકો સાથે કરેલા સીધા સંવાદના કારણે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ઘર ઘર તિરંગા અભિયાને લોક આંદોલનનું સ્‍વરૂપ પકડયું છે. આજથી જ લગભગ મોટાભાગના ઘરો ઉપર તિરંગો લહેરાવવાની શરૂઆત પણ થઈ ચુકી છે.
આવતી કાલે મોટી દમણના રામસેતૂ બીચના જમ્‍પોરથી લાઈટ હાઉસ અને સેલવાસ ખાતે શહિદ ચોકથી રિવરફ્રન્‍ટ સુધી સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા આઝાદીકા અમૃત મહોત્‍સવ અંતર્ગત આયોજીત ‘ઈન્‍ડિયા ડે’ નિમિત્તે પોતપોતાના પ્રદેશની વેશભૂષા અને વિવિધ સમાજના પરંપરાગત પરિધાન સાથે હજારો લોકો આનંદ અને ઉત્‍સાહથી ઉમટવાના હોવાના સંકેત મળી રહ્યા છે.સમગ્ર પ્રદેશમાં પેદા થયેલા હકારાત્‍મક અને વિકાસલક્ષી વાતાવરણના કારણે જુદા જુદા રાજ્‍યોમાંથી રોજીરોટી કમાવા આવેલા શ્રમિકોથી માંડી છેવાડેની ઝૂંપડીમાં રહેતા આદિવાસી પરિવારમાં પણ ભારતની આઝાદીના અમૃત મહોત્‍સવ નિમિત્તે બદલાઈ રહેલા પ્રદેશ સાથે તાલથી તાલ મેળવવા સંઘપ્રદેશ પ્રશાસનને સહયોગ આપવાની સ્‍પર્ધા પણ શરૂ થઈ છે. જેના કારણે લોકોમાં આગવો જુસ્‍સો અને ઉમંગ પણ દેખાઈ રહ્યો છે.
સંઘપ્રદેશના ઈતિહાસમાં પહેલી વખત દાદરા નગર હવેલી અને દમણ-દીવના જિલ્લા પંચાયતના સભ્‍યો, સરપંચો અને કાઉન્‍સિલરો તથા સર્વ સમાજના પ્રતિનિધિઓએ ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ને ચિરંજીવ અને યાદગાર બનાવવા માટે પણ પોતાના શ્રેષ્‍ઠ પ્રયાસો કર્યા છે. જેના કારણે આવતી કાલે મોટી દમણ અને સેલવાસમાં માનવ મહેરામણ ઉમટશે એવો વિશ્વાસ વ્‍યક્‍ત થઈ રહ્યો છે.

Related posts

પદ્મશ્રી એસ.એસ.વૈશ્‍યના અધ્‍યક્ષસ્‍થાને નાની દમણ ખારીવાડ ખાતે ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

દાદરા નગર હવેલી મુક્‍તિનું મોટાભાગનું શ્રેય પિંપુટકર, રમણ ગુજર અને નાના કાજરેકરે કરેલા પ્રદેશ નિરીક્ષણને જાય છે

vartmanpravah

નવસારી અને સુરતના કાઉન્‍સિલરને સારી કામગીરી બદલ અભયમ ટીમ દ્વારા સન્‍માનિત કરાયા

vartmanpravah

કપરાડા વડોલી વિસ્તારમાં વટાળ પ્રવૃત્તિઓમાં વધારો: આવેદનપત્ર પાઠવાયું

vartmanpravah

વાપી ફેલોશીપ સ્‍કૂલ દ્વારા આયોજિત આંતર સ્‍કૂલ વક્‍તૃત્‍વ સ્‍પર્ધામાં હરિયા સ્‍કૂલ ટોપ રહી

vartmanpravah

વલસાડમાં પત્રકાર વેલફેર એસોસિએશન દ્વારા ચોથો મીડિયા એવોર્ડ 2024 યોજાયો

vartmanpravah

Leave a Comment