March 3, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશમાં પ્રશાસક પ્રફુલભાઈ પટેલે આંગણવાડી વર્કરો-સહાયકો તથા આશા વર્કરોના વેતનમાં વધારાની કરેલી જાહેરાત

આંગણવાડી વર્કરો-સહાયકો તથા આશા વર્કરોઍ પ્રશાસકશ્રીના સંવેદનશીલ અને માનવીય અભિગમની કરેલી પ્રશંસાઃ મોદીની ગેરંટીનો થયેલો અહેસાસ

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ડોકમરડી ખાતેની ડૉ. ઍ.પી.જે. અબ્દુલ કલામ કોલેજના ઓડિટોરિયમમાં આંગણવાડી કાર્યકર્તા અને આશા સંમેલન યોજાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.27 : સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા સેલવાસ ડોકમરડી ખાતે આવેલ ડૉ. એ.પી.જે. અબ્‍દુલ કલામ કોલેજના ઓડિટોરિયમમાં પ્રદેશના આંગણવાડી કાર્યકર્તા અને આશા બહેનો સાથે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે સીધી વાતચીત કરી હતી અને તેમની સમસ્‍યાઓને પણ સમજી હતી.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આંગણવાડી સાથે જોડાયેલ તમામ કાર્યકર્તા બહેનો અને આશા વર્કરોની તેમના દ્વારા આરોગ્‍ય, શિક્ષણ અને બાળકના સમગ્ર વિકાસ તથા સગર્ભા અને ધાત્રી માતાઓના આરોગ્‍યને સુનિヘતિ કરવા માટે પાયાના સ્‍તરની કરાતી સખત મહેનત માટે તેમની ખુલ્લા દિલથી ભરપેટ પ્રશંસા કરી હતી અને આંગણવાડી કાર્યકર્તા, આંગણવાડી સહાયકતથા આશા વર્કરોની કામગીરીથી પ્રભાવિત થઈ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે યુ.ટી. ટોપ અપમાં વધારાની રકમની ઘોષણા કરી હતી.
એટલે કે, આંગણવાડી કાર્યકરોનો પગાર રૂા.1000 થી રૂા.3500, આંગણવાડી સહાયકનો પગાર રૂા.600થી રૂા.1750 અને આશાવર્કરોનો પગાર રૂા.1000 થી રૂા. 2000 થશે, વધારા પછી આંગણવાડી કાર્યકરોનું કુલ માનદ્‌ વેતન રૂા. 8000/- માસિક હશે.
આંગણવાડી સહાયક માટે તે રૂા. 4000/- માસિક અને આશા વર્કર માટે તે લગભગ રૂા. 4000/- માસિક હશે. તેમજ પ્રશાસકશ્રીએ બે ગણવેશ સાડીના રૂપમાં અને દર વર્ષે બે સાડી યુનિફોર્મ તરીકે આપવાની તથા માતા યશોદા એવોર્ડની પણ જાહેરાત કરી હતી.
આ પ્રસંગે પ્રશાસકશ્રીએ બાળકોને નૈતિક શિક્ષણ માટે પંચતંત્રના પુસ્‍તકો પૂરા પાડવા, આંગણવાડીના તમામ બાળકોને સ્‍વાદિષ્ટ અને આરોગ્‍યપ્રદ ખોરાક પીરસવામાં આવે તે સુનિશ્ચિત કરવા, વ્‍યવસ્‍થાપન સંસ્‍થાઓ તરફથી રસોડું તાલીમ અભ્‍યાસક્રમો યોજવા અને વચ્‍ચે નિયમિત સ્‍પર્ધાઓનું આયોજન કરવાની જવાબદારી પણ ઉપાડવા આંગણવાડી કાર્યકરોને સૂચનાઓ આપી હતી. ઉપરાંત તેમણે રમકડા આધારિત શિક્ષણ પર ભાર મૂક્‍યો હતો અને બાળકોમાં કૌશલ્‍ય વધારવા માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવા નિર્દેશ આપ્‍યો હતો.
સંઘપ્રદેશનાપ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે સંવેદનશીલ અને માનવીય અભિગમ અપનાવી આંગણવાડી સાથે જોડાયેલ તમામ કાર્યકર્તા બહેનો અને આશા વર્કરોના વેતનમાં કરેલા વધારાના કારણે ઉપસ્‍થિત તમામ બહેનો આનંદ અને ઉત્‍સાહથી ઝૂમી ઉઠી હતી અને ફરી એકવાર તેમને મોદીની ગેરંટીનો અહેસાસ થયો હતો.

Related posts

વાપી વીઆઈએમાં વિવિધ સંસ્‍થાઓ દ્વારા ગ્‍લોબલ કેમિકલ અવરનેસ સેશન યોજાયું

vartmanpravah

વાપી નગરપાલિકા દ્વારા સમર્પણ જ્ઞાન સ્‍કૂલને બેસ્‍ટ ક્રિએટિવિટી પેઇન્‍ટિંગ એવોર્ડ એનાયત

vartmanpravah

દમણના બીડીઓ તરીકે મિહિર જોશીની વરણીઃ રાહુલ ભીમરાને દાનહના કલેક્‍ટરાલયમાં વેટ અને જીએસટીનો પ્રભાર

vartmanpravah

દાનહના રખોલીની આર.આર.કેબલ લિમિટેડ કંપનીમાં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી ગણદેવી તાલુકાના નાંદરખામાં બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટ અંતર્ગત એલ એન્‍ડ ટી કંપની દ્વારા ખેડૂતોની જમીનનો ભાડા કરાર કરાવી માટી ખનન કરી બિન ઉપજાવ બનાવી યોગ્‍ય વળતર ન ચૂકવી છેતરપીંડી કરી હોવાની કરેલી રજૂઆત

vartmanpravah

વલસાડમાં મેજીસ્‍ટ્રેટ દ્વારા બહાર પડાયેલ જાહેરનામામાં ગણેશજીની મૂર્તિની 9 ફૂટ ઊંચાઈ અંગે ગણેશ મંડળોનો વિરોધ

vartmanpravah

Leave a Comment