Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસમાં ભગવાન મહાવીર જયંતિની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04: સેલવાસમાં ભગવાન મહાવીર સ્‍વામીની જન્‍મ જયંતી કલ્‍યાણક દિન તરીકે ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્વેતામ્‍બર દિગંબર તેરાપંથી અને સ્‍થાનકવાસી દેરાસરોમાં વિશેષ પૂજન અને અભિષેક બાદ સંયુક્‍ત શોભાયાત્રા કાઢવામાં આવી હતી.


આમલી બાલાજી ટાઉનશીપ દિગંબર દેરાસરથી પાર્ヘનાથ યુવા મંડળ, અખિલ ભારતીય પુલન જૈન ચેતના મંચના ધર્મપ્રેમીઓ દ્વારા સવારે 6:00 વાગ્‍યે પ્રભાતફેરી કાઢવામાં આવી હતી. ત્‍યારબાદ સામુહિક અભિષેક તથા પૂજન બાદ વાજતે ગાજતે સંયુક્‍ત પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્‍તારમાં ફરી પરત બાલાજી ટાઉનશીપ દેરાસર પર પરત આવી પહોંચી હતી. ત્‍યારબાદ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ભાવિક ભક્‍તોએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.


શોભાયાત્રા બાદ આચાર્ય વિજયયુગચંદ સુરીશ્વર મહારાજનો પ્રવચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં સુરીશ્વર મહારાજે જૈન સિદ્ધાંતોનું સુંદર વર્ણન કરી જૈન ધર્મના અનુયાયીઓને સત્‍ય, અહિંસા અને નિષ્‍કામ જીવન જીવવાનો સંદેશ આપ્‍યો હતો. તેમણે દેશમાં થઈ રહેલા લોક વિકાસ અને સનાતન ધર્મના હિતોનાકાર્યોની પણ સરાહના કરી હતી. આ અવસરે એસ.ડી.પી.ઓ. સિદ્ધાર્થ જૈન, જૈન સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્‍યામાં ભાવિક ભક્‍તો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

જેસીઆઈ નવસારી દ્વારા વિમેન્‍સ ટર્ફ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન કરાયું 

vartmanpravah

વલસાડ જિલ્લાના કોળી પટેલ સમાજની શૈક્ષણિક ક્ષેત્રે ઊંચી છલાંગઃ ડોક્‍ટર, સી.એ., પી.એચડી. સહિત વિવિધ ક્ષેત્રના તેજસ્‍વી તારલાઓનું સન્‍માન કરાયું

vartmanpravah

નહેરુ યુવા કેન્‍દ્ર, સેલવાસ દ્વારા કરાડ પોલિટેકનિકમાં યુવા સંસદ યોજાઈ

vartmanpravah

મુક્‍તિના 60 વર્ષ દરમિયાન દમણ-દીવે સામાજિક સાંસ્‍કૃતિક શૈક્ષણિક ઔદ્યોગિક અને પ્રવાસન ક્ષેત્રે મેળવેલી અનેરી સિદ્ધિ

vartmanpravah

સરકારી વિનયન અને વાણિજ્‍ય કોલેજ નેત્રંગ ખાતે આદિવાસી સંસ્‍કૃતિ અને સાહિત્‍યનો અકાદમિક કુંભ યોજાશે

vartmanpravah

વલસાડના રોણવેલ અને નાની સરોણ ગામે બે પ્રેમી પંખીડાઓનો મોબાઈલ ઉપર વાત થયા પછી જીવનનો અંત: પ્રેમિકાની હત્યા કરી પ્રેમીનો પણ આપઘાત

vartmanpravah

Leave a Comment