ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ માટે ગુજકેટ પરીક્ષા આપવી ફરજીયાત છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.04: વર્તમાન સમયમાં વલસાડ જિલ્લામાં વિદ્યાર્થીઓની પરીક્ષા સિઝન ચાલી રહી છે. એસ.એસ.સી.-એચ.એસ.સી. બોર્ડની જાહેર પરીક્ષા હાલમાં જ પૂર્ણ થઈ છે ત્યાં સોમવારે વલસાડ જિલ્લામાં ગુજકેટની કોમન એન્ટરસ ટેસ્ટની પરીક્ષા યોજાઈ હતી.
વલસાડ જિલ્લાના વિવિધ 25 પરીક્ષા કેન્દ્રોમાં ગુજકેટની પરીક્ષા યોજાઈ હતી. જેમાં જિલ્લામાંથી સાયન્સ પ્રવાહના 6124 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે 271 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરહાજર રહ્યા હતા. ગુજકેટ પરીક્ષા 12 સાયન્સમાં પ્રવેશ મેળવવૌ માટે ગુજકેટ પરીક્ષા પાસ કરવી ફરજીયાત હોવાથી દરેક કેન્દ્રો સી.સી.ટી.વી. કેમેરા સજ્જ હતા. શિસ્તપુર્ણ વાતાવરણ વચ્ચે, કોઈપણ ગેરરીતી વગર વલસાડ જિલ્લામાં ગુજકેટની પરીક્ષા પૂર્ણ થઈ હતી. પરીક્ષામાં પાસ થનાર બાળકો સાયન્સમાં પ્રવેશ મેળવી શકશે.