Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જેસીઆઈ નવસારી દ્વારા વિમેન્‍સ ટર્ફ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન કરાયું 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.30: નવસારી ઈટાળવા સ્‍થિત બ્‍લેક રેબિટ પોદાર સ્‍કૂલના પાસેના મેદાન પર વિમેન્‍સ ટર્ફ ટુર્નામેન્‍ટનું આયોજન તારીખ 28/4/24ને રવિવારે સાંજે 5 કલાકે કરવામાં આવ્‍યું હતું. જેમાં 7 ટીમે ભાગ લીધો હતો. દરેક ટીમમાં 8 મેમ્‍બર્સ લેવામાં આવ્‍યા હતા. આ ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં કોમેન્‍ટ્રી આશિષભાઈ શાહ અને મેહુલભાઈ શર્માએ કરી હતી. નિર્ણાયકની ભૂમિકા હિતેશભાઈ પવાર તેમજ હર્ષિલભાઈ શાહે કરી હતી. સ્‍કોરબોર્ડ મેન્‍ટેઇન કરવાનું કામ રાહુલ સોની, કલ્‍પેશભાઈ પ્રજાપતિએ કર્યું હતું. ભોજન વ્‍યવસ્‍થા જલ્‍પેશ સાકરીયાએ કરી હતી. વિવિધ સ્‍પોન્‍સર્સનો સાથ સહકાર રહ્યો હતો. જેમાં પ્રિયા મેકઅપના પ્રિયંકાબેન, પ્‍લેનેટ એકેડેમીના હિતેશભાઈ મહેતા, યુનિવર્સ ઓવરસીસના મેહુલ શર્મા, વીએચશાહ ઈન્‍સ્‍ટિ. ઓફ કોમ્‍યુટર સાયન્‍સના ધરતીબેન શાહ, મોર્નિંગ કેક, વિજેતા ટીમને કોલ્‍ડડ્રીંક ચેતનાબેન પટેલ તેમજ સોશિયલ મીડિયા નવસારિયન્‍સનો જેસીઆઈ નવસારીએ આભાર માન્‍યો હતો.
આ ટુર્નામેન્‍ટમાં ગર્લ્‍સ ટાયટન ટીમ વિજેતા રહી હતી. જેમના કેપ્‍ટન ખુશી દેસાઈ હતા. ફર્સ્‍ટ રનર્સઅપ બુટલાવ હૃશ ટીમ રહી હતી. જેના કેપ્‍ટન જિયા પટેલ હતા. વિજેતા ટીમને તેમજ બેસ્‍ટ બોલરબેસ્‍ટ બેટ્‍સમેન અને મેન ઓફ ધી ટુર્નામેન્‍ટને પણ ટ્રોફી આપવામાં આવી હતી. ટીમનો જુસ્‍સો વધારવા માટે ZD JC યોગેશ્વરી રાઠોડ ખાસ પધાર્યા હતા. ટુર્નામેન્‍ટના પ્રોજેક્‍ટ ચેરમેન સુનિલભાઈ લાડ, પ્રો.કોઓર્ડીનેટર જલ્‍પેશ સાકરીયા, હર્ષિલ શાહ રહ્યા હતા. આ ક્રિકેટ ટૂર્નામેન્‍ટની સફળતા માટે જેસીઆઈ નવસારીના પ્રેસિડેન્‍ટ કામિનીબેન શુક્‍લએ નવસારીજનો, ભાગ લેનાર ટીમ, સ્‍પોન્‍સર્સ તેમજ જેસીઆઈ નવસારી પરિવારનો આભાર માન્‍યો હતો.

Related posts

દાનહની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં અજાણ્‍યા યુવાનનું સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

વાપીથી પાલઘર જવા ઈકોમાં નિકળેલી મહિલાની છેડતી થતા દિકરીને હાઈવે પર ફેંકી પોતે કુદી પડતા દિકરીનું મોત

vartmanpravah

વલસાડના લીલાપોર ઔરંગા નદીનો પીચીંગ રોડ ફરી બંધ કરાયો : વરસાદી પ્રકોપમાં કૈલાસ રોડ પુલ પણ બેહાલ

vartmanpravah

સરીગામ એન્‍જિનિયરીંગ ઝોનમાં થર્મોકોલ બનાવતી કંપનીમાં લાગેલી આગ

vartmanpravah

વલસાડ રેલવે કોલોનીમાં પોલીસને ધર્માંતરણની માહિતી મળતા કાફલો ધસી ગયો

vartmanpravah

વાપી ચલા જ્ઞાનદીપ સ્‍કૂલ બંધ કરવાના નિર્ણયથી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ફૂંકાયેલો જોરદાર વિરોધ

vartmanpravah

Leave a Comment