April 29, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશ

સરકારી વિનયન અને વાણિજ્‍ય કોલેજ નેત્રંગ ખાતે આદિવાસી સંસ્‍કૃતિ અને સાહિત્‍યનો અકાદમિક કુંભ યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નેત્રંગ, તા.03: ગુજરાત સાહિત્‍ય અકાદમી, ગાંધીનગર અને સરકારીવિનયન અને વાણિજ્‍ય કોલેજ, નેત્રંગના સહિયારા પ્રયાસથી નેત્રંગ ખાતે આગામી તા.11મી માર્ચ, 2023ના રોજ કોલેજના આચાર્યશ્રી ડૉ. જી.આર. પરમારના નેતૃત્‍વ હેઠળ પ્રબુદ્ધ અધ્‍યાપકો માટે એક રાષ્ટ્રીય સેમીનારનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ સેમીનારમાં આદિવાસી સંસ્‍કૃતિ અને સાહિત્‍ય વિષય પર વિમર્શ કરવામાં આવશે. આ સેમિનારમાં દેશના નામાંકિત અધ્‍યાપકો, પ્રોફેસરો અને વિદ્વાનો ભાગ લેશે. જેમાં આદિવાસી સંસ્‍કૃતિ, સાહિત્‍ય, અર્થશાષા, નૃત્‍ય, વાજિંત્રો, લેખકો, લોક કલા અને બીજા ઘણા બધા વિષયો પર ચર્ચા વિચારણા થશે.
આ પ્રસંગે અનુસૂચિત જનજાતિના વીર નાયકોનું ભારતની સ્‍વતંત્રતાની ચળવળમાં અમૂલ્‍ય યોગદાન વિશે સંશોધન પત્રો રજૂ થશે. આ રાષ્ટ્રીય કક્ષાના શૈક્ષણિક પર્વમાં રાષ્ટ્રના નામાંકિત વિદ્વાનો, કુલપતિશ્રીઓ, રાજનેતાઓ, અનુસૂચિત જનજાતિના રાષ્ટ્રીય કાઉન્‍સિલના સભ્‍યો અને અન્‍ય પ્રબુદ્ધ નાગરિકોને આમંત્રણ આપવામાં આવ્‍યું છે તેવું કાર્યક્રમના સંયોજક ડૉ. જશવંત રાઠોડે એક અખબારી યાદીમાં જણાવ્‍યું હતું.

Related posts

દાનહ-રખોલી હાયર સેકન્‍ડરી સ્‍કૂલમાં માતૃ-પિતૃ વંદન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ખડકી હાઈવે પર એકસાથે ચાર વાહનો ભટકાયા : ચારેય વાહન સવારોનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

ચીખલીમાં આઈસીડીએસ શાખા દ્વારા સશક્‍ત અને કુપોષિત કિશોરી અભિયાન અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં કિશોરીઓને પોષણ, શિક્ષણ, સ્‍વરોજગારી અંગે માર્ગદર્શન અપાયું

vartmanpravah

કપરાડા કુંભઘાટમાં સ્‍ટેયરીંગ પર ચાલકે કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ગઈ

vartmanpravah

સોમવારે વલસાડ જિલ્લા પંચાયતની સામાન્‍ય સભા યોજાશે : કારોબારી ચેરમેન મેન્‍ડેટનો મુદ્દો ફરી ગરમાશે

vartmanpravah

ભિલાડ હાઈવે ઉપર ટેમ્‍પો અને કન્‍ટેનર વચ્‍ચે થયેલા ટ્રીપલ અકસ્‍માતમાં ત્રણના મોત, ચાર ઘાયલ

vartmanpravah

Leave a Comment