October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશ

સરકારી વિનયન અને વાણિજ્‍ય કોલેજ નેત્રંગ ખાતે આદિવાસી સંસ્‍કૃતિ અને સાહિત્‍યનો અકાદમિક કુંભ યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નેત્રંગ, તા.03: ગુજરાત સાહિત્‍ય અકાદમી, ગાંધીનગર અને સરકારીવિનયન અને વાણિજ્‍ય કોલેજ, નેત્રંગના સહિયારા પ્રયાસથી નેત્રંગ ખાતે આગામી તા.11મી માર્ચ, 2023ના રોજ કોલેજના આચાર્યશ્રી ડૉ. જી.આર. પરમારના નેતૃત્‍વ હેઠળ પ્રબુદ્ધ અધ્‍યાપકો માટે એક રાષ્ટ્રીય સેમીનારનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ સેમીનારમાં આદિવાસી સંસ્‍કૃતિ અને સાહિત્‍ય વિષય પર વિમર્શ કરવામાં આવશે. આ સેમિનારમાં દેશના નામાંકિત અધ્‍યાપકો, પ્રોફેસરો અને વિદ્વાનો ભાગ લેશે. જેમાં આદિવાસી સંસ્‍કૃતિ, સાહિત્‍ય, અર્થશાષા, નૃત્‍ય, વાજિંત્રો, લેખકો, લોક કલા અને બીજા ઘણા બધા વિષયો પર ચર્ચા વિચારણા થશે.
આ પ્રસંગે અનુસૂચિત જનજાતિના વીર નાયકોનું ભારતની સ્‍વતંત્રતાની ચળવળમાં અમૂલ્‍ય યોગદાન વિશે સંશોધન પત્રો રજૂ થશે. આ રાષ્ટ્રીય કક્ષાના શૈક્ષણિક પર્વમાં રાષ્ટ્રના નામાંકિત વિદ્વાનો, કુલપતિશ્રીઓ, રાજનેતાઓ, અનુસૂચિત જનજાતિના રાષ્ટ્રીય કાઉન્‍સિલના સભ્‍યો અને અન્‍ય પ્રબુદ્ધ નાગરિકોને આમંત્રણ આપવામાં આવ્‍યું છે તેવું કાર્યક્રમના સંયોજક ડૉ. જશવંત રાઠોડે એક અખબારી યાદીમાં જણાવ્‍યું હતું.

Related posts

વલસાડ જિલ્લામાં 25-26મીએ કમોસમી વરસાદની આગાહી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાક દરમિયાન ત્રણ ઇંચથી વધુ નોંધાયેલો વરસાદ

vartmanpravah

વલસાડ માલવણ કોસ્‍ટલ હાઈવે ઉપર મધરાતે બુટલેગરની કારે 19 ગાયો અડફેટે લીધી : 11 એ જીવ ગુમાવ્‍યા

vartmanpravah

સેલવાસ રેલવે બુકીંગ સેન્‍ટર પર વિજીલન્‍સ ટીમે રેડ પાડી એક કર્મચારીને ઝડપી પાડયો

vartmanpravah

ચીખલી તાલુકાના હોન્‍ડ ગામે વય મર્યાદાના કારણે નિવૃત થયેલ પોસ્‍ટ માસ્‍તરનો નિવૃત વિદાય સન્‍માન સમારોહ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં ગૌદાન અને પુસ્‍તક પરબની કામગીરી બદલ મોટાપોંઢાના પ્રાધ્‍યાપિકાને મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ દ્વારા બિરદાવાયા

vartmanpravah

Leave a Comment