July 29, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશમાં નવતર રીતે પ્રવેશોત્‍સવની ઉજવણી કરવા શરૂ થયેલી કવાયતઃ દાનહના ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ સાથે શિક્ષણ નિર્દેશકે કરેલો સંવાદ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે 2017ના વર્ષમાં પહેલાં ધોરણમાં પ્રવેશ લેતાં વિદ્યાર્થીઓ માટે શરૂ કરેલા પ્રવેશોત્‍સવના કાર્યક્રમને આ વર્ષથી પૂર્વ પ્રાથમિક સ્‍તર સુધી લઈ જવા શિક્ષણ વિભાગે લગાવેલી જહેમત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં શિક્ષણ વિભાગ દ્વારા આગામી તા.14મી જૂનથી 16મી જૂન, 2023 સુધી શાળા પ્રવેશોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં તમામ પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1, પૂર્વ પ્રાથમિક વિભાગ અને આંગણવાડીમાં પ્રવેશ લેનાર બાળકોને આવકારવા ભવ્‍ય કાર્યક્રમ યોજવામાં આવશે. આ પ્રસંગે ચાલુ શૈક્ષણિક વર્ષ 2023-2024નાવર્ષમાં, ધોરણ 1માં પ્રવેશ મેળવતા બાળકોને આવકારવા અને શુભેચ્‍છા પાઠવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જેમાં 14 જૂન, 2023ના રોજ ‘મેગા ઈવેન્‍ટ’, જેમાં નવા પ્રવેશ મેળવનાર બાળકોને મુખ્‍ય મહેમાન અને અન્‍ય આમંત્રિતો દ્વારા તિલક કરીને શાળામાં પ્રવેશ આપવામાં આવશે અને તેમને શિક્ષણ વિભાગ દ્વારા ‘શૈક્ષણિક કીટ’ આપવામાં આવશે.
તારીખ 15 જૂન 2023ના રોજ ‘મેગા એસ.એમ.સી. મીટીંગ’ અને 16 જૂન, 2023ના રોજ ‘શૈક્ષણિક જાગૃતિ રેલી’નું આયોજન કરવામાં આવશે. તેના સંબંધમાં આજે, 06 જૂનના રોજ દાદરા નગર હવેલી અને દમણ-દીવના શિક્ષણ નિયામક, દાનહ જિલ્લા પંચાયતના સભ્‍યો, સરપંચો અને તમામ વોર્ડના સભ્‍યોની બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં આગામી ‘શાળા પ્રવેશોત્‍સવ’ કાર્યક્રમ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે શિક્ષણ નિયામકશ્રીએ તમામ જનપ્રતિનિધિઓને શાળામાં પ્રવેશ માટે પાત્રતા ધરાવતા કોઈપણ બાળક પ્રવેશથી વંચિત ન રહે અને 100 ટકા નોંધણી થાય તે સુનિヘતિ કરવા હાકલ કરી હતી.
અત્રે યાદ રહે કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે 2017ના વર્ષમાં પહેલાં ધોરણમાં પ્રવેશ લેતાં વિદ્યાર્થીઓ માટે શરૂ શાળા પ્રવેશોત્‍સવના કાર્યક્રમની શરૂઆત કરાવીહતી. જેને આ વર્ષથી પૂર્વ પ્રાથમિક સ્‍તર સુધી લઈ જવા શિક્ષણ વિભાગ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

Related posts

માઉન્‍ટ આબુનાં શ્રી સ્‍વામી વિવેકાનંદ ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ માઉન્‍ટેનીરિંગ ખાતે ખડક ચઢાણ તાલીમ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દીવના વણાંકબારા બસ સ્‍ટેન્‍ડ નજીક 7 મકાનની સાઈડ દિવાલોનું કરાયું ડિમોલીશન

vartmanpravah

ચીખલી પંથકમાં કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન : કરા પડયા

vartmanpravah

‘પ્રધાનમંત્રી ૨૦૨પ ટીબી નાબૂદી અભિયાન’ અંતર્ગત નાનાપોîઢા સીએચસી ખાતે ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહર અને પ્રોટીન પાવડર કરાયેલું વિતરણ

vartmanpravah

દમણના મહિલા મંડળના સ્‍થાપક પ્રભાબેન શાહની ભારત સરકારે પદ્મશ્રી પુરસ્‍કાર માટે કરેલી જાહેરાત

vartmanpravah

ચીખલી એસ.ટી. બસ સ્‍ટેશનનો સ્‍લેબ ધરાશાયી થયાના 9 માસ બાદ પણ બાંધકામ ફરી શરૂ ન થતાં અનેક તર્ક-વિતર્ક

vartmanpravah

Leave a Comment